SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ વકબાર-૩ 167 અભિલાષા રાખનારા જનોએ, અનેક કિલ્બિષિક-ભાંડ આદિ જનોએ, અનેક કારોટિક તાંબૂલ સમુગવાહિક જનોએ અનેક કારવાહિક-જનોએ, અનેક શાંખિક જનોએ. અનેક ચાક્રિક ભિક્ષુક જનોએ, અનેક લાંગલિકોએ અવલંબન ભૂત કાષ્ઠના જેવા અસ્ત્ર ધારણ કરનારા સુભટોએ, અનેક મુખમાંગલિકો ચારણાદિકોએ અનેક શકુન શાસ્ત્રજ્ઞોએ. અનેક વર્તમાનકોએ મંગલ ઘટારકોએ, ઉદાર, ઈષ્ટ કાંત, મનોહર પ્રીતિયુક્ત મનોહર તેમજ વાંરવાર યાદ કરવા યોગ્ય-એવી વાણીઓ વડે-વચનો વહે કે જે કલ્યાણ યુક્ત હતી મંગલયુક્ત હતી લાલિત્ય, ઔદાર્ય, આદિ ગુણોથી સુશોભિત તેમજ ર્દયને પ્રમુદિત કરનારી હતી. વગર વિરામ લીધાં જ સતત અભિનન્દન કરતાં. અભિખુતિ-સ્તુતિ કરતાં આ પ્રમાણે કહ્યું હેનન્દ! આનંદ સ્વરૂપ ચક્રવતી ! તમારો જય થાઓ, તમે અજીત શત્રુઓ ઉપર વિજય મેળવો. હે ભદ્ર, કલ્યાણ સ્વરૂપ ભરત ! તમારો વારંવાર જય થાઓ. તમારે કલ્યાણ થાઓ. જેને બીજો વીર હરાવી શકે નહિ એવા શત્રુ ને તમે પરાસ્ત કરો. જેવો તમારી આજ્ઞાનું પાલન કરે છે તેમની તમે રક્ષા કરો. અનેક લાખ પૂર્વ સુધી અનેક કોટી કોટી પૂર્વ સુધી વિનીતા રાજધાની ની પ્રજાનું પાલન કરતાં વારંવાર હજારો વચનમાલી, ઓથી સ્તુતિ કરતા આ પ્રમાણે તે ભરત રાજા હજારો નેત્ર પંક્તિઓ વડે વારંવાર દૃશ્યમાન થતા વારેવાર હજા. વચનાવાળાઓ થી સંસૂયમાં ન થતા. હજારો દર્શક જનોના દયોમાં સંપૂર્ણ પણે પોતાનું સ્થાન બનાવતા, પ્રજાના હજારો મનોરથો વડે વિશેષ રૂપમાં સ્પષ્ટ થતા, કાંતિ, રૂપ અને સૌભાગ્ય ગુણોને લઈને પ્રજા વડે સાશ્ચર્ય દ્રષ્ટિથી જોવાયેલા હજારો આંગળીઓ વડે વારંવાર નિર્દિષ્ટ કરાયેલ પોતાના જમણા. હાથથી હજારો નર-નારીઓ વડે જે અંજલિઓ બનાવવામાં આવી છે, તેનો વારંવાર સ્વીકાર કરતો, હજારો ભવનોની રમણીય શ્રેણી ઓને પાર કરતો ગીતોમાં વાગતા, તત્રી, તલ ત્રુટિત-વાદ્યવિશેષ એ સર્વના, તુમુલ ગડગડાહટ યુક્ત શબ્દ સાથે તેમજ મધુર, મનોહર, અત્યંત કર્ણપ્રિય ઘોષમાં તલ્લીન હોવાથી બીજા કોઈપણ વસ્તુ તરફ જેનું ધ્યાન નથી એવા તે ભરત નરેશ જ્યાં પૈતૃક રાજભવન હતું અને તેમાં પણ જ્યાં જગદ્ધતી વાસ ગૃહોમાં મુકુટરૂપ પોતાનું નિવાસસ્થાન હતું. તેના દ્વારે પહોંચ્યા. ત્યાં આવીને તેમણે પોતાના આભિષેક્ય હતિરાજ ને ઉભો રાખીને પછી તેઓ નીચે ઉતર્યા. સોળહજાર દેવોનો અનુગમનાદિ વડે સત્કાર કર્યો અને સન્માન કર્યું પછી તેમણે ૩ર હજાર રાજાઓ નો, પોતાના સેનાપતિ નો, ગાથાપતિ રત્નનો, વધકિરત્નનો અને પુરોહિત રત્ન નો સત્કાર અને સન્માન કર્યું. ત્યાર બાદ તે ભરત નરેશે ત્રણસો સાઈઠ રસવતીકારકોની- અઢાર શ્રેણિ પ્રશ્રેણિજનોનો સત્કાર કર્યો અને તેમનું સન્માન કર્યું પછી ચક્રવર્તી શ્રી ભરત રાજએ એ બીજા પણ અનેક રાજેશ્વર આદિથી માંડી ને સાથે વાહો સુધીના જન સમૂહોનો સત્કાર કર્યો અને તેમનું સન્માન કર્યું સર્વને સત્કૃત તેમજ સમ્માનિત કરીને શ્રીભરત રાજાએ તેમને પોતાપોતાના સ્થાન ઉપર જવાની આજ્ઞા આપી. ત્યાર બાદ સુભદ્રા નામક સ્ત્રી રત્નથી, ૩ર હજાર સ્તુકલ્યાણિકાઓથી 32 હજાર જનપદાગ્રણીઓની કન્યાઓથી તેમજ 32-32 પાત્રોથી સંબદ્ધ 32 હજાર નાટ કોથી સમન્વિત થયેલો અને કુબેર જેવો લાગતો તે ભરત રાજા કૈલાસ ગિરિના શિખર તુલ્ય પોતાના શ્રેષ્ઠ ભવનાવતંસકની અંદર પોતાના પ્રધાન રાજભવ નની અંદર પ્રવિષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005078
Book TitleAgam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy