SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ વલ્કારો-૩ . 153 તરતજ કુદ્ધ થઈ ગયા, રૂખ તોષરહિત થઈ ગયા રોષથી યુક્ત થઈ ગયા. અને ક્રોધાવિષ્ટ થઈને લાલ પીળા થઈ ગયા. હે દેવાનુપ્રિયો એ અજ્ઞાતનામ ધારી કોઈ પુરુષ કે જે પોતાના મૃત્યુને આમંત્રી રહેલ છે તુરંત પ્રાન્ત લક્ષણોવાળો છે અને જેનો જન્મ હીન પુણ્યવાળી કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે થયેલ છે તથા જે લજ્જા અને લક્ષ્મી થઈ હીન છે. પોતાના મૃત્યુની ચાહના કરી રહ્યો છે. અમે આવું કરીએ કે જેથી એની સેના દિશાઓમાં અદ્રશ્ય થઈ જાય તેથી એ અમારા દેશ ઉપર આક્રમણ કરી શકે નહિ તેઓ સર્વે કવચો પહેરીને તૈયાર થઈ ગયા અને પોતપોતાના હાથોમાં તેમણે જ્યાનું આરોપણ કરીને ધનુયો હાથમાં લીધા ગ્રીવામાં ગ્રીવારક્ષક સૈવેયક પહેરી લીધું વીરતિવીરતા સૂચક વિમલવર ચિહ્ન પટ મસ્તક પર ધારણ કર્યું તેમણે પોતાના હાથોમાં આયુધો અને પ્રહરણો લીધાં જ્યાં ભરત રાજાનો સૈન્યાગ્રભાગ હતો ત્યાં પહોંચીને તેમણે ભરતરાજાના અગ્રાનીક સાથે યુદ્ધ કરવાની શરૂઆત કરી. તે યુદ્ધમાં તેમણે ભારતનરેશની અગ્રાનીકના કેટલાક શ્રેષ્ઠ વીરોને મારી નાખ્યા. કેટલાક વીર યોદ્ધાઓ ઘવાયા અને કેટલાક વીર યોદ્ધાઓને આઘાત યુક્ત કરી દીધા તેમજ તેમની પ્રધાન ગરુડ ચિહ્નવાળી ધ્વજાઓ અને તેનાથી ભિન્ન સામાન્ય ધ્વજાઓને નષ્ટ કરી દીધી. [81-83] જ્યારે સેનારૂપ બળના નેતા સુષેણ સેનાપતિએ ભરત રાજાના અગ્રાનીકને આપાત કિરાતો વડે હતમથિત પ્રવર વીર યુક્ત કે જેમાં અનેક યોદ્ધાઓ ઘવાયા છે. તેમ જોયું તે એકદમ કુદ્ધ થઈ ગયો. તેને થોડો પણ સંતોષ રહ્યો નહિ. તેના સ્વભાવમાં રોષ ભરાઈ ગયો. આ પ્રમાણે તે કુપિત અને કોઇના અતિશય આવેશથી પ્રજ્વલિત થતો કમલામેલ નામક અથરત્ન ઉપર સવાર થયો. એ શ્રેષ્ઠ એસી અંગુલ ઊંચો હતો. એ અશ્વરત્નની મધ્ય પરિધિ નવ્વાણુ અંગુલ પ્રમાણવાળી હતી. એક સો આઠ અંગુલ જેટલી એમની લંબાઈ હતી. બત્રીસ અંગુલ પ્રમાણ એ અશ્વરત્નનું મસ્તક હતું. ચાર અંગુલ પ્રમાણ એના કણ હતા. એની બાહા વીસ અંગુલ પ્રમાણ હતી. ચાર અંગુલ પ્રમાણ એનો જાનુભાગ હતો- સોળ અંગુલ પ્રમાણ એની જંઘા હતી ચાર અંગુલ ઉંચી એની ખરીઓ મુક્તોલએવી કોષ્ઠિકા જેવો એનો સારી રીતે ગોળ તેમ જ વિલિતએનો મધ્યભાગ હતો. તે અશ્વની પૃષ્ઠભાગ હરિણીની જંઘાઓની જેમ ઉન્નત હતો અને બને પાર્શ્વભાગોમાં વિસ્તૃત હતો તેમ જ ચરમ ભાગમાં સ્તબ્ધ હતો, સુદ્રઢ હતો. એની ચાલ, એની ઉપર સવાર થયેલા ચક્રવતીના મન મુજબ જ થતી હતી. એના મુખની જે લગામ હતી તે સુવર્ણ નિર્મિત સ્થાસકોથી દર્પણાકારના અલંકારોથી યુક્ત હતી. એની તંગ રૂપ જે રાશ હતી તે રત્નમય હતી. તેમજ વર કનકમય સુંદર પુષ્પોથી તથા સ્થાસકોથી અલંકાર વિશેષોથી વિચિત્ર હતી. કાંચન યુત મણિમય અને ફક્ત કનકમય એવાં પત્રકોના અનેક આભૂષણો મધ્યમાં જેમનામાં જાડત છે, એવા અનેક પ્રકારના ઘંટિકા જાલોથી તેમજ મૌકિક જાલોથી પરિમંડિત સુંદર પૃષ્ઠથી જે સુશોભિત છે. રત્નોમાં જેના અનેક મુખમંડલો પ્રતિબિંબિત થઈ રહ્યા છે, એથી તે અતીવ સોહામણો લાગી રહ્યો છે. કનકમય પદ્મથી જેના મુખ ઉપર સારી રીતે તિલક કરવામાં આવેલ છે. શ્રેષ્ઠ અશ્વ અનબ્રચારી હતો. એની બને આંખો અસંકુચિત હતી. લક્ષ્મીના અભિષે કનું શારીરિક લક્ષણ એની નાસિકા ઉપર હતું. એના શરીરનો દરેકે દરેક અવયવ લાવણ્યના બિંદુઓથી યુક્ત હતો. સ્વામીના કાર્યમાં એ અશ્વ ચાંચલ્ય રહિત હતો, સ્થિર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005078
Book TitleAgam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy