SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ વકખારો-ર 123 ઉત્પન્ન થયો. તેથી તેઓશ્રી સર્વજ્ઞ-સર્વદર્શી નૈવિક તિર્યંચ, નર અને દેવ એમનાથી યુક્ત આ પંચાતિ કાયાત્મક જીવ લોકના અને અલોકના જ્ઞાતા-દ્રષ્ટા બની ગયા. આગ મનના, ગમનના, કાયસ્થિતિના અશિતના, ચૌયદિ કર્મના, મૈથુનાદિ કર્મના, આવિષ્ક “ના, પ્રકટ કર્મના અને રહઃકર્મના સાક્ષાત જ્ઞાતા દ્રષ્ટા બની ગયા. સમસ્ત જીવોના. મન-વચન, કાયરૂપયોગોના તેમજ તેમનાથી સંબદ્ધ બીજા પણ સમસ્ત ભાવોના અને અજીવોના સમસ્ત ભાવોને રૂપાદિ અજીવ-ધના-જ્ઞાતા-દ્રષ્ટા બની ગયા. તેમજ રત્ન ત્રય રૂપ મુક્તિ માર્ગના અતિશય વિશુદ્ધિયુક્ત-સકલ કર્મોના ક્ષયમાં કારણભૂત. ભાવોના-જ્ઞાના ચાર આદિના જ્ઞાતા-દ્રષ્ટા થઈને આ રત્નત્રયાત્મક મુક્તિમાર્ગ નિશ્ચય પૂર્વક મને ઉપદેશક ઋષભને તેમજ મારા સિવાય બીજા ભવ્ય જીવોના માટે હિત-સુખ નિશ્રેયસ્કર છે, પરિણામમાં શુભ છે, એથી હિત રૂપ છે. આત્યાન્તિક દુઃખની નિવૃત્તિ રૂપ છે, એથી સુખકર છે અને સકલ કમને ક્ષય કરનાર છે, એથી નિઃશ્રેયસ્કર સર્વદુઃખ વિમોક્ષણ રૂપ અનન્ત સર્વોત્કૃષ્ટ જે સુખ છે, આ પ્રમાણે જ્ઞાતા-દ્રષ્ટા બની ગયા. ત્યાર બાદ તે શ્રમણ ભગવાન ઋષભદેવે શ્રમણ. નિર્ચન્થોને તેમજ નિગ્રંથીઓને પાંચ પાંચ ભાવનાઓ સહિત પાંચ મહાવ્રતોનો ષધિજીવનિકાયોનો ઉપદેશ આપ્યો. તે સમયે તે કૌશલક ઋષભ પ્રભુને 84 ગણ અને 84 ગણધરો થઈ ગયા, એ પ્રભુને ઋષભસેન વગેરે 84 હજાર શ્રમણો હતા. બ્રાહ્મી સુંદરી વિગેરે 3 ત્રણ લાખ આયઓ હતી. ત્રણ લાખ પાંચ હજાર શ્રેયાંસ વિગેરે શ્રાવકો હતા. પાંચ લાખ ચોપન હાર. સુભદ્રાદિ શ્રમણોપાસિકાઓ-શ્રાવિકાઓ હતી. સવક્ષર સંયોગજ્ઞાતા. જીનભિન્ન પણ જીનસરીખા તેમજ જીનની જેમ અવિતથ અર્થની પ્રરૂપણા કરવાવાળા એવા ચૌદપૂર્વને ધારણ કરનારા ૪૭પ૦ નવ હજાર અવધિજ્ઞાનીયો હતા. વીસ હજાર જીનો હતા. વૈક્રિયલબ્ધિ વાળા વીસ હજાર છસો હતા. 12650 વિપુલમતિ મન:પર્યાય જ્ઞાનીયો હતા. અને એટલાજ વાદીયો હતા. એ કૌશલિક ઋષભ અહંતને અનુત્તરોપ પાતિકોની સંખ્યા 22900 હતી. હજાર શ્રમણસિદ્ધોની સંખ્યા હતી. આર્થિક સિદ્ધોની સંખ્યા ચાળીસ હજારની હતી. તેમાં ઋષભભગવાનના અંતેવાસી-શિષ્ય- સકળજનો દ્વારા પૂજ્ય હતા. તેમાં કેટલાક અંતેવાસી એક માસની દીક્ષાવાળા હતા. આ પાઠથી આરંભીને તમામ અગારવર્ણન ઉવવાઈસૂત્રથી સમજી લેવું. આ પ્રમાણે એ સર્વે અનગાર 17 પ્રકારના સંયમથી અને 12 પ્રકારના તપથી પોતાના આત્માને ભાવિત કરતા હતા. તે આદિનાથ પ્રભુને અન્તકર-મોક્ષગામી જીવોને કાળ-બે પ્રકાર નો થયો. એક યુગાન્તકર ભૂમિ અને બીજી. પર્યાયત્તકર એમનામાં જે યુગાન્તકર ભૂમિ છે તે અસંખ્યાત પુરુષ પરંપરા પ્રમિત હોય છે તથા પર્યાયાન્તકર ભૂમિ એવી છે કે ભગવાન ઋષભને કેવળી થવાની પર્યાયનો અન્તર્મુહૂર્ત પ્રમાણે સમય વ્યતીત થઈ જવા બાદ જે જીવે પોતાના ભવનો અન્ત કરી દીધો એવો તે સમય પયયાત્તકર ભૂમિ રૂપ કહેવામાં આવેલ છે. મ્પિ ઋષભનાથ ભગવાનને પાંચ ઉત્તરાષાઢા નક્ષત્રોમાં થઈ ચ્યવન, જન્મ, રાજ્યાભિષેક, દીક્ષા અને અનુત્તર જ્ઞાન પ્રાપ્તિ તથા અભિજિતુ નામના નક્ષત્રમાં તેઓ નિવણિ કલ્યાણવાળા થયા છે. ઋષભનાથ ભગવાનું સવર્થ સિદ્ધ નામના મહા વિમાનથી ઉત્તરાષાઢા નક્ષત્રમાં નિર્ગત થઈ ને તે ઉત્તરાષાઢા નક્ષત્રમાં જ મરુદેવની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005078
Book TitleAgam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy