SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ વફખારો-૭ 265 ચન્દ્ર પ્રકરણમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે જ જાણવું. સમસ્ત પ્રહાદિકોની વિજય વૈજ- યત્તિ, જયન્તી અને અપરાજિતા એ નામની ચાર પટ્ટરાણીઓ છે. જંબૂદ્વીપવર્તી ચન્દ્ર- દ્વયના પરિવાર ભૂત ૧૭૬-ગ્રહોની વિજ્યાદિક 4 અગ્રમહિષિઓ જે કહેવામાં આવી છે તે 176 ગ્રહ આ મુજબ છે. વિકાલક લોહિતાક શનૈશ્ચર આધુનિક પ્રાધુનિક કણ કણક કણકણક કણવિતનાક કણસંતાનક આ રીતે ઉપરના 6 ગ્રહ અને પ મળીને 11 ગ્રહોના નામ પ્રકટ કરવામાં આવ્યા છે. સોમ સહિત આશ્વાસન કાપગ કબૂરક અજકરક દુન્દુભક શંખ શંખનામ શંખવણભ ભાવકેતુની અઝમહિષી સુધી આ પ્રમાણે જ કહેવાનું ચાલુ રાખવું નક્ષત્રોના નામ આ પ્રમાણે છે. બ્રહ્મા અભિજિ વિષ્ણુ શ્રમણ વસુ-ધનિષ્ઠા વરૂણ-શતભિષક અજપૂર્વભાદ્રપદા વૃદ્ધિ-ઉત્તરાભાદ્રપદા પુષારેવતી,અશ્વ-અશ્વિની, યમો-ભરણી અગ્નિ-કૃત્તિકા, પ્રજાપતિ-રોહિણી, સોમ મૃગશિર, રૂદ્ર આદ્રા, અદિતિ-પુનર્વસુ, બૃહસ્પતિ-પુષ્પ, સપઅશ્લેષા, ચિત્તા-મઘા, ભગપૂવ ફાલ્ગની, અર્યમ-ઉત્તરફાલ્ગની, સવિતા-હસ્ત, ત્વષ્ટા-ચિત્રા, વાયુ-સ્વાતી, ઇન્દ્રાગ્ની વિશાખા,ચિત્ર-અનુરાધા ઈન્દ્ર-જ્યેષ્ઠા, નિઋતિમૂલ, આપ-પૂર્વાષાઢા અને વિશ્વ- ઉત્તર પાઢા, (આ નક્ષત્રોના નામ તેમના અધિપતિ દેવતાઓ અનુસાર બંને ગાથાઓમાં કહેવામાં આવ્યા છે.) હે ભદન્ત ! ચંદ્રવિમાનમાં દેવોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? હે ગૌતમ ! ચન્દ્રવિમાનમાં દેવોની સ્થિતિ જઘન્યથી એક પલ્યોપમના ચતુર્થ- ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ વર્ષ આધક એક પલ્યોપમની છે. ચન્દ્ર વિમાનમાં દેવીઓની સ્થિતિ જઘન્યથી એક પલ્પના ચતુર્થભાગ પ્રમાણ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ 50 હજાર વર્ષ અધિક અર્ધ્વપલ્યોપમની છે સૂર્યવિમાનમાં રહેનારા દેવોની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમનાં ચતુર્થભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક હજાર વર્ષ અધિક એક પલ્યોપમની છે. સૂર્યવિમાનમાં વસનારી દેવીઓની સ્થિતિ એક પત્યના ચતુર્થભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચસો વર્ષ અધિક અધપલ્યોપમની છે. ગ્રહવિમાનમાં રહેનારા દેવોની જઘન્ય સ્થિતિ તો એક પલ્યો પમના ચતુર્થભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્ણ એક પલ્યોપમની છે. નક્ષત્ર વિમાનમાં રહેનારા દેવોની જઘન્ય સ્થિતિ તો એક પલ્યોપમના ચતુર્થભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધપલ્યોપમ પ્રમાણ છે. નક્ષત્રવિમાનમાં રહેનારી દેવીઓની જઘન્યસ્થિતિ એક પલ્યોપમના ચતુર્થભાગ પ્રમાણ છે અને ઉત્કરસ્થિતિ એક પલ્યોપમનો કઈક વધારે ચતુર્થભાગ પ્રમાણ છે. તારા વિમાનમાં રહેનારા દેવોની જઘન્યસ્થિતિ એક પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટસ્થિતિ એક પલ્યોપમના ચતુર્થભાગ પ્રમાણ છે. તારાવિમાનમાં રહેનારી દેવીયોની જઘન્ય સ્થિતિ એક પલ્યના આઠમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટસ્થિતિ એક પલ્યના કંઈક અધિક આઠમાં ભાગ પ્રમાણ છે. [૩પ૯-૩૬૪] હે ભદન્ત! આ ચક્ર સૂર્ય ગ્રહનક્ષત્ર અને તારારૂપોની વચમાં કોણ કોની અપેક્ષાએ અલ્પ છે? કોણ કોની અપેક્ષાએ અધિક છે અને કોણ કોની અપેક્ષાએ તુલ્ય છે? અને કોણ કોની અપેક્ષાએ વિશેષાધિક છે? હે ગૌતમ! ચન્દ્ર અને સૂર્ય એ બંને પરસ્પરમાં સમાન છે તથા ગ્રહાદિકોથી આ બધાં ચન્દ્ર અને સૂર્ય સોક-ઓછાં હોય છે નક્ષત્રોની અપેક્ષાગ્રહ સંખ્યાતગણા વધારે હોય છે ગ્રહોની અપેક્ષા તારારૂપ સંખ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005078
Book TitleAgam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy