SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ 250 બલવ૫નત્તિ- ૭ર૭૭ ભદત ! જ્યારે જેબૂદ્વીપ નામક દ્વીપમાં મંદરપર્વતની પૂર્વદિશામાં ઉત્કૃષ્ટ 18 મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે પશ્ચિમદિશામાં પણ 18 મુહૂર્તનો ઉત્કૃષ્ટ દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમદિશામાં 18 મુહૂર્તનો ઉત્કૃષ્ટ દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપ નામક દ્વીપમાં સ્થિત સુમેરુપર્વતની ઉત્તર અને દક્ષિણદિશામાં 12 મુહૂર્ત પ્રમાણવાળી જઘન્ય રાત્રિ હોય છે. હા તેમજ હોય છે. હે ભદત ! જ્યારે જેબૂદ્વીપ નામક આ દ્વીપમાં મંદરપર્વતની પૂર્વદિશામાં કંઈક કમ 18 મુહૂર્તનો દિવસ થાય છે ત્યારે મંદરપર્વતની પશ્ચિમદિશામાં પણ કિંઈક કમ 18 મુહૂર્તનો દિવસ થાય છે. ત્યારે આ જબૂદ્વીપ નામક દ્વીપમાં મંદરપર્વતની ઉત્તરદિશામાં અને દક્ષિણ દિશામાં કંઈક અધિક 12 મુહૂર્ત જેટલી રાત્રિ હોય છે કેમકે જેટલા જેટલા ભાગથી હીન દિવસ થવા માંડે છે તેટલા-તેટલા ભાગથી અધિક રાત્રિ થતી જાય છે. કેમકે અહોરાતનું પ્રમાણ તો 30 મુહૂર્ત જેટલું જ છે. જ્યારે જંબૂઢીપ નામક દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણદિશામાં કંઈક અધિક 12 મૂહૂર્ત જેટલી રાત્રી થવા લાગે છે ત્યારે દિનમાનમાં હ્રસ્વતા આવવા માંડે છે. અને રાત્રિ માનમાં વૃદ્ધિ થવા માંડે છે.જ્યારે સવભિંતરમંડળથી અનંત મંડળને લઈને 31 મા મંડલાદ્ધમાં સૂર્ય હોય છે તે સમયે 17 મુહૂર્તનો દિવસ હોય છે. 13 મુહૂર્તની રાત્રિ હોય છે. ? આ પ્રમાણે દિવસ-રાતનું પ્રમાણ 30 મુહૂર્ત ઉચિત રૂપમાં સિદ્ધ થઈ જાય છે. હા, ગૌતમ ! આમ જ થાય છે એટલે કે જ્યારે આ બૂઢીપ નામક દ્વીપમાં મંદરપર્વતની પૂર્વ દિશામાં જઘન્યથી 12 મુહૂર્તનો દિવસ હોય છે. તે વખતે જંબૂદ્વીપ નામક દ્વીપમાં મંદરપર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં 18 મુહૂર્તની રાત્રિ હોય છે. - જ્યારે જમ્બુદ્વીપ નામક દ્વીપમાં, મંદરપર્વતના દક્ષિણ ભાગમાં વષકાળનો પ્રથમ સમય હોય છે ત્યારે ઉત્તરભાગમાં પણ વષકાળનો પ્રથમ ભાગ હોય છે અને જ્યારે ઉત્તરભાગમાં વષકાળનો પ્રથમ સમય હોય છે ત્યારે મંદરપર્વતની પૂર્વ અને પશ્ચિમદિશામાં અનંતર પુરસ્કૃત સમયમાંઅવ્યવહિત રૂપથી આગળ આવનારા ભવિષ્યત્કાળમાં વષકાળનો પ્રથમ સમય હોય છે. જ્યારે જંબૂદ્વીપ નામક દ્વીપમાં મંદરપર્વતની વષકાળનો પ્રથમ સમય હોય છે. ત્યારે જેબૂદીપ નામક દ્વીપમાં મંદર પર્વતની પશ્ચિમ દિશામાં પણ વષકાળનો પ્રથમ સમય હોય છે. અને જ્યારે પશ્ચિમદિશમાં વષકાળના પ્રથમ સમય હોય છે. ત્યારે યાવતું મંદરપર્વતની ઉત્તર-દક્ષિણદિશામાં અનંતર પશ્ચાતકૃત સમયમાં અવ્યવહિત રૂપથી વ્યતીત થયેલા સમયમાં–વષકાળનો પ્રથમ સમય હોય છે? હે ગૌતમ! જે પ્રમાણે તમે પ્રશ્ન કર્યો છે, તે પ્રમાણે જ ત્યાં હોય છે. ' હે ભદત ! જ્યારે જંબૂદીપ નામક દ્વીપમાં મંદરપર્વતના દક્ષિણાદ્ધમાં પ્રથમ ઉત્સ પિણી હોય છે. ત્યારે મંદરપર્વતના ઉત્તરાદ્ધમાં પણ પ્રથમ ઉત્સર્પિણી હોય છે અને હું ભદત છે જ્યારે મંદરપર્વતની ઉત્તરદિશામાં પ્રથમ ઉત્સર્પિણી હોય છે ત્યારે જંબૂઢીપ નામક દ્વીપમાં મંદરપર્વતની પૂર્વ અને પશ્ચિમદિશામાં શું પ્રથમ અવસર્પિણી હોય છે ? હે ગૌતમ ! જેબૂદ્વીપના મંદરપર્વતની પૂર્વદિશામાં અને પશ્ચિમ દિશામાં ન ઉત્સર્પિણી હોય છે અને ન અવસર્પિણી હોય છે. કેમ કે ત્યાં કાળ અવસ્થિત કહેવામાં આવેલો છે. હે ભદત ! બૂઢીપ નામક દ્વીપમાં જે બે ચન્દ્રમાઓ કહેવામાં આવેલા છે, તેઓ ઇશાન કોણમાં ઉતિ થઈને તે પછી શું આગ્નેયકોણમાં આવે આ પ્રમાણે સૂર્ય વક્તવ્ય તાની જેમ આગ્નેયકોણમાં ઉદિત થઈને શું દક્ષિણ પશ્ચિમ કોણમાં આવે છે? દક્ષિણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005078
Book TitleAgam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy