SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ 248 જબુદ્ધીવપન્નતિ- ૭ર૭પ ચન્દ્ર અહીંના મનુષ્યો વડે 31,831 યોજન જેટલે દૂરથી દેખાય છે. હે ગૌતમ ! ત્યારે તે પ૧ર૧ યોજન 110 ભાગ પર્યન્ત જાય છે. તથા તેને ૧૩૭૨પ થી વિભક્ત કરીને એમ કહેવું જોઇએ. કેપ૧૨૧-૧૧૬૦ ૧૩૭૨૫યોજન સુધી એ મંડલ પર જાય છે. એનું ચાર ક્ષેત્ર કેવી રીતે થાય છે? તો આ વિષયમાં સઘળું કથન સૂર્યપ્રકરણમાં જોઇ લેવું જોઈએ. હે ભદત ! જ્યારે ચન્દ્ર સર્વબાહ્ય તૃતીયમંડળ ઉપર પહોંચીને પોતાની ગતિક્રિયા કરે છે ત્યારે તે એકમુહૂર્તમાં કેટલા ક્ષેત્રને પાર કરે છે? હે ગૌતમ! તે વખતે તે 5118 યોજન તેમજ 1495 ભાગ સુધી જાય છે. એ ભાગો 13725 થી મંડળની પરિધિને વિભક્ત કર્યા બાદ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે એ પૂર્વોક્ત ત્રણ મંડળોમાં પ્રદર્શિત રીત મુજબ મેરુની સન્મુખ જતો ચન્દ્ર તદનંતર મંડળથી તદનંતર મંડળ પર સંક્રમણ કરતાં-કરતો ત્રણ-ત્રણ યોજન તેમજ ૯૬પપ ભાગો સુધી એક-એક મંડળ ઉપર મુહૂર્ત ગતિને અલ્પ-અલ્પ કરતો સવવ્યંતર મંડળ પર આવીને પોતાની ગતિ કરે છે, T રિ૭૬-૨૭૭] આ નક્ષત્રાધિકારમાં 8 દ્વારો છે. (1) મંડળ સંખ્યા પ્રરૂપણા. (2) મંડળ ચાર ક્ષેત્ર પ્રરૂપણા. (3) અત્યંતર આદિ મંડળોમાં 28 નક્ષત્રોની પારસ્પરિક અંતર પ્રરૂપણા. (4) નક્ષત્ર વિમાનોની આયામાદિ પ્રરૂપણા. (પ) નક્ષત્રમંડળોની મેરુથી અબાધા નિરૂપણ. (6) તેમના આયામાદિની પ્રરૂપણ. (7) મુહૂર્ત ગતિ પ્રમાણ નિરૂપણા તેમજ (8) નક્ષત્રમંડળોની સાથે સમાવતાર પ્રરૂપણા. હે ગૌતમ! નક્ષત્રમંડળો આઠ કહેવામાં આવેલા છે. આ જંબૂઢીપ નામક દ્વીપમાં 180 યોજન પ્રમાણ ક્ષેત્રને અવગાહિત કરીને બે નક્ષત્રમંડળો કહેવામાં આવેલા છે હે ગૌતમ ! લવણ સમુદ્રમાં ત્રણસો ત્રીસ યોજન પ્રમાણ ક્ષેત્રને અવગાહિત કરીને 6 નક્ષત્ર મંડળો કહેવામાં આવેલા છે. આ પ્રમાણે બધા મળીને નક્ષત્ર મંડળો 8 થઇ જાય છે. આમ મેં અને બીજા તીર્થકરોએ કહ્યું છે. હે ગૌતમ! સવભિંતર નક્ષત્ર મંડળથી સર્વબાહય નક્ષત્ર મંડળ 115 યોજન દૂર કહેવામાં આવેલ છે. એક નક્ષત્ર વિમાનનું બીજ નક્ષત્ર વિમાનથી વગર વ્યવધાને બે યોજન જેટલું અંતર છે. હે ગૌતમ ! નક્ષત્રમંડળના આયામ વિખંભનું પ્રમાણ બે ગાઉ જેટલું છે. એના પરિક્ષેપનું પ્રમાણ એના આયામ-વિખંભના પ્રમાણ કરતાં કંઈ વધારે છે. તેમજ આની ઊંચાઈ એક ગાઉ જેટલી છે. હે ગૌતમ ! સુમેરથી 44 820 યોજન દૂર સવભ્યિતર નક્ષત્રમંડળ છે. હે ગૌતમ ! સુમેરુપર્વતથી સર્વબાહ્ય નક્ષત્રમંડળ 45330 યોજન દૂર કહેવામાં આવેલ છે. હે ભદત ! સવવ્યંતર નક્ષત્ર મંડળ કેટલા આયામ અને વિષ્ક્રભવાનું કહેવામાં આવેલું છે ? તેમજ તેની પરિધિનું પ્રમાણ કેટલું કહેવામાં આવેલું છે ? હે ગૌતમ ! 9940 યોજન જેટલો એનો આયામવિખંભ કહેવામં આવેલો છે અને 3 લાખ 15 હજાર 89 યોજન કરતાં કંઈક અધિક આની પરિધિ કહેવામાં આવેલી છે. હે ભદત ! સર્વબાહ્ય નક્ષત્રમંડળ આયામ અને નિષ્ઠભની અપેક્ષાએ કેટલું વિસ્તૃત કહેવામાં આવેલું છે? અને તેની પરિધિનું પ્રમાણ કેટલું કહેવામાં આવેલું છે ગૌતમ ! સર્વબાહ્ય નક્ષત્રમંડળ આયામ અને વિધ્વંભની અપેક્ષાએ 1 લાખ 6 સો દ0 યોજન જેટલું કહેવામાં આવેલું છે અને 3 લાખ 18 હજાર 3 સો 15 યોજન જેટલી પરિધિવાળું કહેવામાં આવેલું છે. હે ભદંત ! જે સમયે નક્ષત્રો સવભિંતર મંડળમાં પ્રાપ્ત થઈને તે પોતાની ગતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005078
Book TitleAgam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy