________________ વખારો-૭ 237 ભાગોમાંથી કંઈક અધિક 24 ભાગ પ્રમાણ કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! અબાધાની અપેક્ષાએ સવભ્યિતર સૂર્યમંડળ 4820 યોજન કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! 4822 યોજન અને એક એક યોજનના 61 ભાગો માંથી 48 ભાગ પ્રમાણ દૂર પ્રથમ સવવ્યંતર સૂર્યમંડળથી અનંતર દ્વિતીય સૂર્યમંડળ કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! આ જંબૂદ્વપ નામક દ્વીપમાં સ્થિત સુમેરુપર્વતથી 44825 યોજન તેમજ એક યોજનના 61 ભાગોમાંથી 48 ભાગ પ્રમાણ દૂર તૃતીય સૂર્યમંડળ સવવ્યંતર સૂર્ય મંડળથી સ્થિત કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! 45330 યોજન જેટલે દૂર સર્વ બાહ્ય સૂર્યમંડળ કહેવામાં આવેલ છે. આ પ્રમાણે સર્વ બાહ્ય સૂર્યમંડળનું કથન છે. હે ગૌતમ ! 5327 યોજના અને એક યોજન 61 ભાગોમાંથી 13 ભાગ પ્રમાણ દૂર સર્વ બાહ્ય સૂર્યમંડળ કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! 45324 યોજના અને એક યોજનાના 61 ભાગોમાંથી 26 ભાગ પ્રમાણની દૂર પર બાહ્ય તૃતીય સૂર્યમંડળ પશ્ચાદાનુપૂર્વી મુજબ કહેવામાં આવેલા છે. પૂર્વોક્તરીતિ મુજબ આ ઉપાયથી અહોરાત્ર મંડળના પરિત્યાગ રૂપ ઉપાયથી જેબૂદ્વીપમાં પ્રવિષ્ટ થતો સૂર્ય તદનંતર મંડળથી તદનંતર મંડળ પર સંક્રમણ કરતો કરતો બે યોજન અને એક યોજના 61 ભાગોમાંથી 48 ભાગ પ્રમાણ એક એક મંડળ પર અબાધની બુદ્ધિને અલ્પ-અલ્પ કરતો સભ્યતર મંડપ પર પહોંચીને ગતિ કરે છે, [257-158] હે ભદંત! આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં સવભ્યિતર સૂર્યમંડળ આયામ અને વિધ્વંભની અપેક્ષાએ કેટલા આયામ અને વિખંભવાળો કહેવામાં આવ્યો છે. તેમજ પરિક્ષેપની અપેક્ષાએ તે કેટલા પરિક્ષેપવાળો કહેવામાં આવેલ છે ! હે ગૌતમ ! જંબૂઢીપ નામક દ્વીપમાં સવવ્યંતર મંડળ 99640 યોજન પ્રમાણ આયામ વિષ્કમ વાળો કહેવામાં આવેલ છે. તેમજ 315089 યોજન કરતાં કંઈક વિશેષાધિક પરિક્ષેપ વાળો કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! દ્વિતીય અત્યંતરાનન્તર સૂર્યમંડળ આયામ અને વિખંભની અપેક્ષાએ 99645-35 61 યોજન જેટલો છે. અને આની પરિધિનું પ્રમાણ 3 ૧પ૧૦૭ યોજન જેટલું છે. હે ગૌતમ! આત્યંત૨ તૃતીય સૂર્યમંડળના આયામ વિધ્વંભ ૯૯૬પ૧ યોજના અને એક યોજનના 61 ભાગોમાંથી 9 ભાગ પ્રમાણ છે, તેમજ આની પરિધિકાનું પ્રમાણ 3 15125 યોજન જેટલું છે. આ પ્રમાણે મંડળ ત્રયના સંબંધમાં પ્રદર્શિત રીત મુજબ ઉપાયથી નીકળતો સૂર્ય તદનંતર મંડળથી દૂર જતાં જતાં પાંચ-પાંચ યોજન અને એક યોજનના 61 ભાગોમાંથી ૩પ પ્રમાણની એક-એક મંડળ પર વિખંભની વૃદ્ધિ કરતો-કરતો અને પ્રતિમંડળ પર 18-18 યોજન જેટલી પરિક્ષેપ વૃદ્ધિને અધિ કાધિક બનાવતો સર્વ બાહ્ય મંડળોને પ્રાપ્ત કરીને ગતિ કરે છે હવે પ્રકારાન્તરથી કથન કરે છે હે ગૌતમ! સર્વ બાહ્ય સૂર્યમંડળ એક લાખ 6 સો 60 યોજન જેટલો લાંબો અને પહોળો છે. આમ આ જંબુદ્વીપ એક લાખ યોજન જેટલો છે. એની બન્ને તરફ 330 યોજન 330 યોજન સ્થાન છોડીને આગળ લવણસમુદ્ર આવેલ છે. આ પ્રમાણે આના થોક્ત આયામ અને વિખંભનું 100660 યોજન જેટલું પ્રમાણ થઈ જાય છે. તેમજ 3 183 ૧૫યોજન જેટલો આનો પરિક્ષેપ છે. હે ગૌતમ! સર્વ બાહ્ય સૂર્ય પછી જે દ્વિતીય સૂર્યમંડળ છે તેના આયામ વિધ્વંભો 1 લાખ છે સો ૪૮-પ૨ 61 યોજન જેટલા છે. તેમજ આનો પરિક્ષેપ પ્રમાણ 3 18279 યોજન જેટલું છે. આ પૂર્વોક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org