________________ રબારો-૪ 195 તે સિવાય અનેક દેવ દેવિયોનું અધિપતિત્વ, કરતા દિવ્ય એવા ભોગોપભોગોને ભોગ વતા થકા વિચારે છે. હે ગૌતમ ! પૂર્વોક્ત કારણોને લઈને એ પ્રમાણે કહેવામાં આવે છે. જબૂસુદર્શના જંબૂસુદર્શના. જંબૂદર્શના યાવતું શાશ્વત નામ કહેલ છે. અવસ્થિત છે. જંબૂ દ્વીપમાં મંદર નામના પર્વતની ઉત્તર દિશામાં યમિકા નામની રાજધાની સરખા પ્રમાણ વાળી રાજધાની આવેલ છે. [ 13-14 ઉત્તરકુરા એ પ્રમાણે આ કારણથી કહેવામાં આવે છે? હે ગૌતમ! ઉત્તરકુરૂમાં ઉત્તરકુરૂ એ નામધારી દેવ નિવાસ કરે છે. તે દેવ મહર્દિક યાવતું એક પલ્યોપમની સ્થિતિવાળો છે. એ કારણથી ઉત્તરકુર- એ પ્રમાણે કહે છે. તેનાથી બીજું તે. થાવતું શાશ્વત છે. હે ભગવનું મહાવિદેહ વર્ષમાં ક્યાં આગળ માલ્યવંત નામનો વક્ષસ્કાર પર્વત કહેલ છે? હે ગૌતમ! મંદર નામના પર્વતની ઈશાન કોણમાં નીલવાનું નામ ના વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં ઉત્તર કુરૂથી પૂર્વ દિશામાં કચ્છ નામના ચક્રવર્તી વિજયના પશ્ચિમ દિશામાં મહાવિદેહનામના ક્ષેત્ર માલ્યવાનું નામના સીમા કરી પર્વત કહેલ છે. તે પર્વત ઉત્તર દક્ષિણમાં લાંબો છે. પૂર્વ પશ્ચિમ દિશા તરફ વિસ્તારવાળો છે. જે ગંધમાદન વક્ષસ્કારનું પ્રમાણ વિખંભ ત્યાં જે કહેલ છે. એજ પ્રમાણ અને એજ વિખંભ આનો પણ સમજી લેવો. વિશેષતા છે. આ પર્વત સવત્મિના વૈડૂર્ય રત્નમય છે. યાવતુ હે ગૌતમ ! નવ કૂટો કહેલા છે. હે ભગવનું માલ્યવન્ત વક્ષસ્કાર પર્વતમાં સિદ્ધાય તન નામનો કૂટ ક્યાં આવેલો છે ? હે ગૌતમ ! મંદર નામના પર્વતના ઈશાન કોણમાં માલ્ય વાનું કૂટના નૈઋત્યદિશામાં નિશ્ચયથી સિદ્ધાયતન ફૂડ કહેલ છે. પાંચસો યોજન જેટલો ઉપરની તરફ ઉંચો છે. બાકીનું કથન ગંધમાદન અને સિદ્ધાયતન ફૂટની જેમ જ કહેલ છે. સિદ્ધાયતન કૂટના કથન પ્રમાણે માલ્યવાનું નામના કૂટના ઉત્તર કુરૂ દેવ કૂટના કચ્છ વિજ્યાધિપતિના કૂટના આયામ વિખંભાદિ કહી લેવા. કચ્છ કુટની ઈશાન દિશામાં રજત કૂટની દક્ષિણ દિશામાં સાગર કૂટ નામનો કૂટ કહેલ છે. પાંચસો યોજન ઉંચો છે બાકીના મૂળ વિષ્કભ વિગેરે કથન ગંધમાદન વક્ષસ્કાર પર્વતના કથન પ્રમાણે જ કહેલ છે. અધોલોકમાં વસનારી દિકકુમારી સુભોગા અહીંની દેવી છે. અહીંની રાજધાની ઈશાન કોણમાં કહેલ છે. હવે સાતમા કૂટથી લઈને નવમાં કૂટ સુધીના કૂટોનું કથન કરે છે. બાકીના સીતાદિ ત્રણ કૂટ ઉત્તર દક્ષિણમાં સમજી લેવા. પૂર્ણભદ્ર ફૂટની ઉત્તર દિશામાં નીલવાનું પર્વતની દક્ષિણ દિશામાં અહીંયાં હરિસ્સહ કૂટ નામનો કૂટ કહેલ છે. એ કૂટ એક હજાર યોજન ઉપરની બાજુ ઉંચો છે. બાકીનું આયામ વિખંભ. વિગેરે યમક નામના પર્વતના આયામ વિખંભની સરખું સમજી લેવું, એની રાજધાની હરિસ્સહા નામની ઉત્તર દિશામાં અસંખ્યાત દ્વીપોને અવગાહિત કરીને મન્દર પર્વતની ઉત્તર દિશામાં તિછઅસંખ્યાત દ્વીપ સમૂદ્રોને ઓળંગીને બીજા જંબુદ્વીપ નામના દ્વીપમાં ઉત્તર દિશામાં બાર હજાર યોજન પ્રવેશ કરીને અહીંયાં નિશ્ચયથી હરિસ્સહ નામના દેવની હરિસ્સહા નામની રાજધાની કહેલ છે, ચોર્યાશીહજાર યોજન તેની લિંબાઈ પહોળાઈ કહેલી છે. યોજન તેનો પરિક્ષેપ કહેલ છે. બાકીનું સમગ્ર કથન ચમર ચંચા નામની રાજધાનીનું કહેલ છે. એજ પ્રમાણે પ્રાસાદિકનું માપ કરી લેવું જોઈએ. આ રાજધાનીમાં હરિસ્સહ નામના દેવ છે. તે દેવ મહાદ્ધિ સંપન તેમજ મહાદ્યુતિવાળા છે. યાવતું તે દેવ એક પલ્યોપમની સ્થિતિ વાળા છે તે નિવાસ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org