SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ 192 જંબુદ્ધીવપનત્તિ-૪/૧૪૬ ગ્રહણ થયેલા છે. જેવું સુધર્મસભાની ઈશાન દિશામાં સિદ્ધાયતન કહેલ છે. એજ રીતે. સિદ્ધાયતનની ઈશાન દિશામાં ઉપપાત સભા આવેલ છે. યમિક નામવાળા દેવની ઉત્પત્તિ કહેવી તે પછી ઉત્પન્ન થયેલ દેવના શુભાધ્ય વસાયના ચિન્તન રૂપ સંકલ્પ, તે પછી ઈન્ટ કરેલ અભિષેક સહિત અલંકાર સભામાં અલંકારોથી શરીરને શોભાવવું અને પુસ્તકરત્નના ખોલવા રૂપ વ્યવસાય, તે પછી સિદ્ધાયતન વિગેરેની અચસહિત સુધમાં સભામાં જવું હવે યમિકા રાજધાની અને દૂહયનું અંતર કેટલું છે તેના નિર્ણય માટે સૂત્ર કાર કહેછેજેટલા પ્રમાણનુંમાપનીલવંતપર્વતનું છેયમકપર્વતનુંપણતેટલું અંતર છે. યમક દૂહનું અને બીજા દૂહોનું અંતર સમાન છે. એટલે કે તે અંતર 834 યોજન 47 સમજવું 1 [147-15] હે ભગવનું ઉત્તર કુરૂમાં નીલવંત દૂહ ક્યાં કહેલ છે? હે ગૌતમ! યમકની દક્ષિણ દિશાના ચરમાન્સથી 834-4 7 યોજનનો ભાગ અપાન્તરાલને છોડીને સીતા નામની મહાનદીનો બરોબર મધ્યભાગ છે. ત્યાં નીલવંત નામનું દૂહ કહેલ છે, તે દૂહ દક્ષિણ ઉત્તર દિશામાં લાંબું છે. પૂર્વ પશ્ચિમ દિશા તરફ વિસ્તારવાળું છે. તે દૂહનું વર્ણન પદ્મદૂહના વર્ણન સરખું છે. જેવિશેષતા છે તે આ પ્રમાણેની છે. એ દૂહ બે પદ્મવર વેદિકા અને બે વર્ષથી વીંટળાયેલ છે. નીલવાનું નામના નાગકુમાર દેવ છે. નીલવંત દૂહના પૂર્વ અને પશ્ચિમ બાજુ એ દસ દસ યોજનની આબાધાથી અથતુ અપાન્તરાલમાં છોડીને ત્યાં આગળ દક્ષી ણોત્તર શ્રેણીથી પરસ્પર સંબદ્ધ અન્યથા સો યોજન વિસ્તારવાળા અને હજાર યોજનના માપમાં દૂહનો આયામ લંબાઈના અવકાશ નો અસમભવ થાત, વીસ કાંચનપર્વત કહેલ છે. એ પર્વત એક સો યોજન જેટલો ઉંચો છે. મૂલ ભાગમાં સો યોજન સત્તાવન યોજના મધ્ય ભાગમાં શિખરના ભાગમાં કાંચન પર્વત પચાસ યોજનનો થાય છે. મૂળમાં ત્રણ સો સોળ યોજન મધ્યમાં બસો સાડત્રીસ યોજન ઉપરના ભાગમાં અઠ્ઠાવન સો અથતુિ પરિધિ ઘેરાવો છે. પહેલું નીલવંત દૂહ છે. બીજી ઉત્તર કુરૂ કહેલ છે. ચંદ્રદૂહ ત્રીજો કહેલ છે. ઐરાવત ચોથો છે. માલ્યવાનું દૂહ પાંચમું છે નીલવંત દૂહાના કથન પ્રમાણે ઉત્તર કુરૂ આદિ દૂહા દીનું વર્ણન કરી લેવું. [૧૫૧-૧પ૩] હે ભગવતુ ઉત્તર કુરૂમાં જંબૂ પીઠ નામનું પીઠ ક્યાં કહેલ છે? હે ગૌતમ નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં મંદર પર્વતની ઉત્તર દિશાની તરફ માલ્યવાનું વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં સીતા મહાનદીના પૂર્વ કિનારે તેના પણ મધ્ય ભાગમાં ત્યાં ઉત્તરકુરૂનું જંબૂપીઠ નામનું પીઠ કહેલ છે. તે પીઠ પાંચસો યોજન વિસ્તારવાળું છે. તથા 1581 યોજનથી કંઈક વિશેષાધિક પરિક્ષેપ છે. તે પીઠ બરોબર મધ્ય ભાગમાં બાર યોજન જેટલું જાડું છે. તે પછી કંઈક પ્રદેશનો લાસ થવાથી નાનો થતાં થતાં બધાથી છેલ્લા ભાગમાં અથતુ મધ્યભાગમાં અઢિ સો યોજન જવાથી ચાર ગાઉ જેટલી મોટાઈ યુક્ત કહેલ છે. સર્વ પ્રકારથી જંબૂનદ નામના સુવર્ણમય છે આકાશ અને સ્કટિકના સમાન અત્યંત નિર્મળ છે. એક પત્રવર વેદિકા તેમજ એક વનપંડથી ચારે તરફથી વ્યાપ્ત રહે છે. એ પૂર્વોક્ત જંબુપીઠની ચારે દિશામાં આ ચાર સુંદર પગથિયાઓ કહેલ છે. તેનું સંપૂર્ણ વર્ણન અહીંયા કરી લેવું. એ જંબુપીઠના બરોબર વચલા ભાગમાં મણિપીઠિકા કહેલ છે. તે જંબૂપીઠની મણિપીઠિકાની લંબાઈ પહોળાઈ આઠ યોજન જેટલી છે. તેની જાડાઈ ચાર યોજન જેટલી છે. તે પૂર્વોકત મણિપીઠિકાની ઉપરના ભાગમાં જંબૂ સુદર્શના નામની મણિપીઠિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005078
Book TitleAgam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy