SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ 82 સૂરપનત્તિ-૧૫-૧૧૧-૧૧૪ આ પંદરમા પાહુડમાં પ્રતિપાદિત કરેલ છે. આ પ્રમાણે હું કહું છું. | પાહુડ-૧૫નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પહુડ-૧) 115 હે ભગવનું કયા પ્રકારથી આપે પ્રકાશનું સ્વરૂપ પ્રતિપાદન કરેલ છે ? ચંદ્રલેશ્યા અને જ્યોત્સના એ બે પદોનો આનુપૂવથી અથવા અનાનુપૂર્વીથી વ્યવસ્થિત એકરૂપ અભિન્ન અર્થ થાય છે. એક અસાધારણ સ્વરૂપવાનું લક્ષણ જેનું હોય તે એક લક્ષણવાળા કહેવાય છે. સૂર્ય વેશ્યા અને આતપ આ બે પદોનો તથા આતપ અને સૂર્યલેશ્યા આ બે શબ્દ ક્રમથી રાખેલ હોય કે વ્યુત્ક્રમથી રાખેલ હોય ગમે તે પ્રમાણે હોય પરંતુ એક સરખોજ બન્નેનો અર્થ થાય છે. એક સ્વરૂપાત્મક અર્થાતુ અભિનાર્થ પ્રતિપાદક છાયા અને અંધકારનો એકજ અર્થ થાય છે. | પાહુડ-૧૬નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧૭) [11] હે ભગવન ચંદ્રાદિનું વન અને ઉપપાત કહો ચંદ્રાદિના ચ્યવન અને ઉપપાત સંબંધી વિચારણામાં આ વક્ષ્યમાણ પ્રકારની પચીસ પ્રતિપત્તિ કહેલ છે. એ પચીસ પરતીર્થિકોમાં પહેલાં પરતીર્થિક કહે છેકે ચંદ્ર સૂર્ય દરેક ક્ષણમાં પૂર્વોત્પન અથતું પહેલાં આવેલનું અવન થાય છે. ચંદ્ર અને સૂર્ય દરેક મુહૂર્તમાં પરિવર્તનશીલ હોય છે. આ પૂર્વકથિત પ્રકારથી જે રીતે પ્રથમોત્પન્ન અથતું છઠ્ઠા પ્રાભૂતમાં ઓજની સંસ્થિતિ વિચારણામાં જે પ્રમાણે પચીસ પ્રતિપત્તિયો છે. એ જ પ્રમાણે અહીંયાં પણ એ તમામ પ્રતિપત્તિયો કહી લેવી. કોઈ એક એ રીતે કહે છે કે-અનુઅવસર્પિણી અને ઉત્સ પિણીમાં ચંદ્રસૂર્ય પૂર્વોત્પનનું ચ્યવન થાય છે અને નવાજ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે અંતિમ સૂત્રપર્યન્ત કહી લેવું. સુગમ હોવાથી વિશેષરૂપે કહેલ નથી. આ સઘળી પ્રતિપ રિયો ભ્રમોત્પાદક અને મીઠારૂપ છે. તેથી આ બધાથી અલગ પોતાના સિદ્ધાંતને શ્રીભગવાન પ્રદર્શિત કરે છે. ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન યુક્ત હું આ વિષયમાં આ પ્રકાર થી કહું છું. ચંદ્ર સૂર્યદિવ મહાન વિમાનાદિ ઋદ્ધિવાળા છે. મહાદ્યુતિ એટલેકે શરીર આભ રણ વિગેરેથી યુક્ત હોય છે. મહાબલ શારીરિક અને માનસિક અધિક બળ જેનું હોય એવા હોય છે. મહાયશવાળા સંપૂર્ણ જગતમાં વિસ્તૃત થશવાળા હોય છે, તથા મહા સૌખ્ય અર્થાત્ ભવનપતિ વ્યંતર દેવથી વધારે સુખ સંપન્ન અને મહાનુભાવ અર્થાત્ વૈક્રિય કરણાદિ સંબંધી અચિંત્ય શક્તિથી યુક્ત હોય છે. વરવ સ્ત્રને ધારણ કરવાવાળા હોય છે. દિશાઓને પ્રકાશિત કરે તેવા વસ્ત્રોને ધારણ કરનારા હોય છે. તથા ઉત્તમ માળાઓને ધારણ કરનારા હોય છે ઉત્તરમ પ્રકારના ગંધને ધારણ કરવાવાળા હોય છે. મહા સુખશાલી હોય છે. ઉત્તમ પ્રકારના અલંકારોને ધારણ કરવા વાળા હોય છે. એવા તે સૂર્ય ચંદ્ર અવ્યવચ્છિન્ન નયાનુસાર પોતપોતાની આયુષ્યનો ક્ષય થાય ત્યારે પૂર્વોત્પન્ન ઐવિત થાય છે. તથા ઉત્પન્ન ન થયેલા ઉત્પન્ન થાય છે. તેમ સ્વશિષ્યોને કહેવું. પાહુડ-૧૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005076
Book TitleAgam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy