SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 37 પાહુડ-૮ હોય છે, જ્યારે જંબુદ્વિીપની ઉત્તર દિશાના અધ ભાગમાં સત્તર મુહૂર્વપ્રમાણનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણદિશાના અર્ધભાગ માં પણ સત્તર મુહૂતપ્રમાણનો દિવસ હોય છે. આ પૂર્વોક્ત કથનાનુસાર એક એક મુહૂર્તની ન્યૂનતાના ક્રમથી લાસ એટલે કે ન્યૂનતા સમજી લેવી. જેબૂદ્વીપના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ આ રીતના બે વિભાગના અર્ધમાં એક સાથે જ સોળ મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. પંદર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. ચૌદ મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે. તેર મુહૂતપ્રમાણનો દિવસ હોય છે. આ રીતના ક્રમથી ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી જંબૂદીપના દક્ષિણાર્ધમાં બાર મુહૂતપ્રમાણ નો દિવસ થાય. એ વખતે ઉત્તરાર્ધમાં પણ બાર મુહૂર્તપ્રમાણનો દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં પણ બાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે, અને જ્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ બાર મુહૂતપ્રમાણનો દિવસ હોય છે. જ્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે જંબૂઢીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં સદા પંદર મુહૂર્તનો દિવસ હોય છે. અને પંદર મુહૂર્તની રાત હોય છે, ત્યાં રાત્રિ દિવસ અવસ્થિત એટલે કે સ્થિર કહેલ છે. કોઇ એક બીજો મતવાદી કહેવા લાગ્યો કે જ્યારે જંબદ્વીપ નામના દક્ષિણાર્ધમાં એટલે કે દક્ષિણ વિભાગના અધભાગમાં અઢાર મુહૂર્તપ્રમાણમાં કંઈક ઓછા અથવા જનૂનતર યાવતું સત્તર મુહૂર્તથી કંઈક વધારે પ્રમાણનો દિવસ હોય છે. ત્યારે ઉત્તરા ઈમાં પણ અઢાર મુહૂતનત્તરનો દિવસ હોય છે. અને જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂતાં નંતરનો દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં પણ અઢાર મુહૂતીનંતરનો દિવસ હોય છે, જ્યારે બૂઢીપ નામના દ્વીપના દક્ષિણાર્ધમાં સત્તર મુહૂતીનંતરનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ સત્તર મુહૂતીનંતરનો દિવસ હોય છે. આ પ્રમાણે એક એક મુહૂર્તની ન્યૂનતાથી બેઉ ગળાર્ધમાં ક્રમથી સોળ મુહૂત નંતરનો દિવસ કહેવો જોઇએ તે પછી પંદર મુહૂર્તાનંતરનો દિવસ કહેવો તે પછી તેર મુહૂર્તાનંતરનો દિવસ કહી લેવો. પૂરેપૂરા અઢાર મુહૂર્તનો દિવસ હોતો નથી. તથા પૂરેપૂરા સત્તર મુહૂર્તનો પણ દિવસ હોતો નથી. આ રીતે બાર મુહૂર્ત પ્રમાણવાળા દિવસના કથન સુધી કથન કરી લેવું. જબૂદ્વીપ નામના દીપના દક્ષિણાર્ધમાં જ્યારે બાર મુહૂર્તનંતરનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ બાર મુહૂતનંતરનો દિવસ હોય છે. અને જ્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂતનિંતરનો દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં પણ એજ પ્રમાણેનો દિવસ હોય છે. અઢાર મુહૂતદિ પ્રમાણના દિવસ કાળમાં જંબૂદ્વીપના મંદરપર્વતના પૂર્વ અને પશ્ચિમ દિશામાં સદાકાળ પંદર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોતો નથી. તથા સદાકાળ પંદર મુહૂતી પ્રમાણની રાત્રી પણ નથી હોતી મંદરપર્વતની પૂર્વપશ્ચિમદિશામાં રાત દિવસનું પ્રમાણ અનિયત પ્રકારનું હોય છે. જ્યારે જંબૂઢીપ નામના દ્વીપના દક્ષિણાર્ધમાં અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે. અને જ્યારે ઉત્તર વિભાગધમાં અઢાર મુહૂતપ્રમાણનો દિવસ હોય છે ત્યારે દક્ષિણ વિભાગના અધભાગમાં બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. અને જ્યારે દક્ષિણ વિભાગના અર્ધભાગમાં અઢાર મુહૂર્તા નંતર દિવસ હોય છે ત્યારે ઉત્તરવિભાગધમાં બાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં બાર મૂહૂર્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005076
Book TitleAgam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy