________________ 14 સૂરપન્નત્તિ- 1222 બે મુહૂર્તના એકસઠ ભાગ વધારે બાર મુહૂર્ત પ્રમાણનો દિવસ થાય છે. ઈત્યાદિ તે પછી એ અહોરાત્ર સમાપ્ત થઈ જાય ત્યારે સૂર્ય અભ્યત્તરમાં પ્રવેશ કરીને બીજા છ માસના બીજા અહોરાત્રમાં દક્ષિણ ભાગથી દક્ષિણદિભાવી સર્વબાહ્યાનન્તર બીજા મંડળગત અડતાલીસ યોજનાના એકસહિયા ભાગથી વધારે તે પછીના સમીપતિ બે યોજના પ્રમાણવાળા અપાન્તરાલ રૂપ ભાગથી નીકળીને જે સર્વબાહ્યાભ્યન્તરના ત્રીજા ઉત્તર રાધ મંડળના આદિ પ્રવેશથી ત્રીજા સર્વબાહ્ય અર્ધમંડળ સંસ્થિતિની ત્રીજી પછીની અધમંડળસંસ્થિતિમાં ઉપક્રમણ કરીને ગતિ કરે છે. આ રીતના ઉપાયથી દરેક અહો રાત્રના અભ્યત્તર એક સઠિયા અડતાલીસ ભાગથી બે યોજનના વિકમ્પન રીતે ધીરે ધીરે અભ્યત્તર મંડળમાં પ્રવેશ કરીને સૂર્ય તે પછીના અધમંડળથી તે પછીના એ એ દક્ષિણપૂર્વભાગ રૂપ પ્રદેશમાં અથવા ઉત્તરપશ્ચિમ રૂ૫ ભાગમાં તે તે અર્ધમંડળ સંસ્થિતિનું સંક્રમણ કરતાં કરતાં બીજા છ માસના ૧૮૨માં અહોરાત્રના અંતભાગમાં જાય ત્યારે ઉત્તર દિશાના અંતરથી સર્વબાહ્ય મંડળની અપેક્ષા કરીને જો ૧૮૨મું મંડળ તેની અંદરના યોજનના એકસડિયા અડતાલીસ ભાગ વધારે તદનન્તરના અભ્યત્તર બે યોજન પ્રમાણ અપાન્તરાલ રૂપ ભાગથી સભ્યન્તર મંડળની અંદરના દક્ષિણાર્ધ આદિ પ્રદેશનો આશ્રય કરીને સવભ્યિન્તર દક્ષિણની અર્ધમંડળની સંસ્થિતિનું ઉપસે ક્રમણ કરીને ગતિ કરે છે. ત્યાં જ્યારે સૂર્ય સભ્યન્ત રની દક્ષિણ અર્ધમંડળ સંસ્થિતિનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે ત્યાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા જઘન્ય બાર મુહૂર્તની રાત હોય છે. આ રીતે બીજા છ માસ થાય છે, ર૩ હે ભગવન્! ઉત્તરદિશા સંબંધી અર્ધમંડળસંસ્થિતિ કઈ રીતે કહી છે તે મને કહો. જે પ્રમાણે દક્ષિણાધમંડળની વ્યવસ્થા પહેલાં કહી છે, એ જ પ્રમાણે ઉત્તરાધી મંડળની સંસ્થિતિ પણ સમજી લેવી, એ પ્રમાણે આ ઉપાયથી ચાવતુ સર્વબાહ્ય દક્ષિણ ધમંડળની સંસ્થિતિને પ્રાપ્ત કરીને વાવતુ દક્ષિણદિશા સંબંધી સર્વબાહ્ય મંડળની પછી ઉત્તરાર્ધમંડળસંસ્થિતિને પ્રાપ્ત કરે છે. અને ઉત્તરથી સર્વબાહ્ય ત્રીજી દક્ષિણાર્ધમંડ સંસ્થિતિમાં ગમન કરે છે. તે પછી ત્રીજા મંડળથી દક્ષિણના ક્રમથી જ અર્ધમંડળ સંસ્થિતિનું ઉપક્રમણ કરતા કરતા યાવતુ સવભ્યન્તરમંડળને પ્રાપ્ત કરે છે ત્યારે બીજા છ માસ થાય છે. આ પ્રમાણે બીજા છ માસનો અંત થાય છે, પાહુડ૧૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પાહુડપાહુડ 3 [24] કયો સૂર્ય બીજા સૂર્યે ચીર્ણ કરેલ-ભોગવેલ ક્ષેત્રનું પ્રતિચરણ કરે છે? આ મધ્યજંબૂદ્વીપમાં ભારતીય સૂર્ય અને ઐરવતીય સૂર્ય એમ બે સૂર્યો કહ્યા છે, એ બે સૂર્યો દરેક સૂર્ય અલગ અલગ પોતપોતાના સ્વતંત્રપણાથી ત્રીસ ત્રીસ મૂહૂર્ત પ્રમાણથી એક એક અર્ધ્વમંડળમાં સંચરણ કરે છે. એકસો ચોયશિી સૂર્યના મંડળ હોય છે. એ મંડળોમાં સંચરણ કરતા બે સૂર્ય પૈકી એક એક સૂર્ય નક્ષત્ર સંબંધી સાઈઠ ઘટિ કાત્મક કાળથી એક એક અધર મંડળમાં સંચરણ નામ ગતિ કરે છે. સાઠ સાઠ મુહૂત માંથી એટલે કે બે અહો રાત્રથી સંપૂર્ણ એક એક મંડળનો સંઘાત કરે છે. ભરતક્ષેત્રમાંથી. નિષ્ક્રમણ કરતો ભાર તીય અને ઐરાવતીય એ બેઉ સૂર્ય એક બીજાથી ચીર્ણ ભોગવેલ ક્ષેત્રનું સંચરણ કરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org