________________ 302 પન્નવણા - 13-412 જઘન્યગુણ સિવાય વિષમ હોય કે સમ હોય તો બંધ થાય છે. 4i12] હે ભગવન્! ગતિપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! બે પ્રકારનો.-સ્પૃશદ્ગતિ પરિણામ અને અસ્પૃશદ્ગતિપરિણામ અથવા દીર્ઘગતિપરિ ણામ અને હૃસ્વગતિપરિણામ. હે ભગવનુ ! સંસ્થાનપરિણામના કેટલા પ્રકાર છે? હે ગૌતમ! પાંચ પ્રકાર.- પરિમંડલસંસ્થાનપરિણામ, યાવતુ-આયતસંસ્થાનપરિણામ. હે ભગવન્! ભેદપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો.- ખંડભેદ પરિણામ અને વાવતું ઉત્કરિકા ભેદપરિણામ. હે ભગવન્! વર્ણપરિણામ કેટલા પ્રકારે છે? હે ગૌતમાં પાંચ પ્રકારે.- કૃષ્ણવર્ણપરિણામ, યાવતુ શુક્લવપરિણામ. હે ભગવન્! ગંધપરિણામ કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! બે પ્રકારે છે. સુરભિગન્ધપરિણામ અને દુરભિગન્ધપરિણામ હે ભગવન્! રસપરિણામ કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારે.-- તિક્તરસપરિણામ, યાવતુ મધુરસપરિણામ. હે ભગવનું ! સ્પર્શ પરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! આઠ પ્રકારનો કર્કશસ્પર્શપરિણામ, વાવ, રુક્ષસ્પર્શ પરિણામ. હે ભગવનું ! અગુરુલઘુપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! એક પ્રકારનો છે. હે ભગવન્! શબ્દપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ ! બે પ્રકારનો. -સુરભિ- શબ્દપરિણામ અને દુરભિ શબ્દપરિણામ. એમ અજીવપરિણામ કહ્યો. પદ-૧૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૧૪કષાય [413] હે ભગવન્! કેટલા કપાયો કહ્યા છે? હે ગૌતમ ! ચાર. ક્રોધકષાય, માનકષાય, માયાકષાય. લોભકષાય.નૈરયિકોને કેટલા કષાયો કહ્યા છે ? હે ગૌતમ ! ચાર. ક્રોધકષાય, યાવતુ લોભકષાય. એ પ્રમાણે વૈમાનિકસુધી જાણવું. 414] હે ભગવન્! ક્રોધ કેટલાં સ્થાનોને વિષે રહેલો છે? ચાર સ્થાનોને વિષે. આત્મપ્રતિષ્ઠિત, પપ્રતિષ્ઠિત, તદુભય પ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત. એ પ્રમાણે, નૈરયિકોને યાવતુ વૈમાનિકોને દંડક કહેવો. એમ માન, માયા અને લોભને આશ્રયી દંડક કહેવો. કેટલાં સ્થાનોએ ક્રોધની ઉત્પત્તિ થાય છે ? ચાર સ્થાનોએ. ક્ષેત્રને આશ્રયી, વસ્તુને આશ્રયી, શરીરને આશ્રયી અને ઉપધિને આશ્રયી. એ પ્રમાણે નરયિકોથી માંડી વૈમાનિક સુધી જાણવું. એમ માન, માયા અને લોભને આશ્રયી દંડક કહેવો. 4i15] હે ભગવન્! કેટલા પ્રકારનો ક્રોધ કહ્યો છે? હે ગૌતમ! ચાર પ્રકારનો ક્રોધ કહ્યો છે. તે આ પ્રમાણે-૧ અનંતાનુબંધી ક્રોધ, 2 અપ્રત્યાખ્યાન ક્રોધ, 3 પ્રત્યાખ્યા નાવરણ ક્રોધ અને 4 સંજ્વલન ક્રોધ. એ પ્રમાણે નૈરયિકોને યાવતુ-વૈમાનિકોને કહેવું. એમ માન, માયા અને લોભ સંબંધે જાણવું. એ ચાર દડકો કહ્યા. [41] હે ભગવન્! કેટલા પ્રકારનો ક્રોધ કહ્યો છે? હે ગૌતમ! ચાર પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે આભોગનિવર્તિત, અનાભોગનિવર્તિત, ઉપશાન્ત અને અનુપશાન્ત, એ પ્રમાણે નરયિકોથી આરંભી વૈમાનિકો સુધી જાણવું. એમ માન, માયા, અને લોભને આશ્રયી પણ ચારે દંડકો જાણવા. [417] હે ભગવન્! જીવોએ કેટલાં સ્થાને આઠ કર્મની પ્રકૃતિનો ચય કર્યો હતો ? હે ગૌતમ! ચાર સ્થાને આઠ કર્મની પ્રકૃતિઓનો ચય કર્યો હતો. ક્રોધ વડે, માન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org