SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ 62 છવા વાભિગમ- હતિ-પ/૧૩૭ [133] હે ભગવન્! શું સ્વસ્તિક, સ્વસ્તિકાવર્ત સ્વસ્તિકપ્રભા સ્વસ્તિકકાંત સ્વસ્તિકવર્ણ સ્વસ્તિકલેશ્યા સ્વસ્તિયધ્વજ સ્વસ્તિકશૃંગાર સ્વસ્તિકફૂડ સ્વસ્તિક શિષ્ટ અને સ્વસ્તિકોત્તરાવતંસક આ નામોવાળા વિમાનો છે ? હા ગૌતમ ! એ પ્રમાણે ના નામોવાળા આ દેવોનાં વિમાનો છે. હે ગૌતમ સૌથી મોટા દિવસમાં જેટલાક્ષેત્રમાં સૂર્ય - ઉગે છે, અને જેટલા ક્ષેત્રમાં સૂર્ય અસ્ત થાય છે, એટલા ઉદયક્ષેત્ર અને અસ્તક્ષેત્રમાં દરેક ક્ષેત્રને અહિયાં ત્રણ અવકાશાન્તરો હોવાથી ત્રણ ગણા કરવાથી તે ક્ષેત્રનું જેટલું પ્રમાણ આવે છે, કોઈ દેવનું એટલું વિક્રમ-બળ એકવારમાં ઘૂમવાનો માર્ગ થાય છે. જેમ જેબૂદ્વીપમાં સૌથી ઉત્તમ દિવસ માં અથતિ કર્મસંક્રાન્તિના પહેલા દિવસે ૪૭૨૩-૭ર૧ યોજન દૂરથી સૂર્ય દેખાય છે. કોઈ એક દેવ પોતાની તે સકલદેવ પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ, ત્વરા યુક્ત, ચપળ, ચંડ, શીધ્ર ઉદ્ધત “જવન, છેક અને દિવ્ય દેવગતિથી ચાલતા ચાલતા ઓછા માં એક દિવસ સુધી બે દિવસ સુધી, અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી ચાલતા રહે તો એવી સ્થિતિમાં પણ તે દેવ એ વિમાનોમાં થી કોઈ એક વિમાનને પાર કરી શકે છે. અને કોઈ એક વિમાનને તે પાર કરી શકતા નથી. તે વિમાનો આટલા મોટા હોવાનું કહેલ છે. હે ભગવનું શું આ વિમાનો અર્ચિરાવર્ત યાવતુ અચિરૂત્તરાવંતસ છે ? હા ગૌતમ ! આ વિમાનો તેમજ છે. હે ભગવનું આ અર્ચિઅચિંરાવ વિગેરે વિમાનો કેટલા મોટા છે? હે ગૌતમ ! સ્વસ્તિક વિગેરે વિમાનોની મહત્ત્વના સંબંધમાં કરાયેલ કથન મુજબ જાણવું. એ બન્નેમાં એટલું અંતર છે કે પૂર્વોક્ત પ્રમાણવાળા પાંચ અવકાશાન્તર હોવાથી જેટલા ક્ષેત્રરૂપ વિક્રમ ગ્રહણ કરેલ છે. એટલા ક્ષેત્રને પાંચ ગણું કરવાથી આ પ્રમાણેનું આટલું ક્ષેત્ર કોઈ એક દેવ ના એક વિક્રમશક્તિરૂપ હોય છે. બાકીનું સઘળું કથન પહેલા પ્રમાણે કહી લેવું. ભગવનું શું કામ, કામાવર્ત, યાવતુ કામોત્તરાવસક વિમાન છે? હા ગૌતમ ! છે. હે ભગવન્! કામ, કામાવત, વિગેરે વિમાનો કેટલા મોટા કહ્યા છે? સ્વસ્તિક વિગેરે વિમાનો મુજબ જાણવું પણ અહિંયા આ વિમાનોની વિશાળતા જાણવા માટે અહિયાં સાત અવકાશાન્તરો કહેવા. હે ભગવનું શું વિજય નામનું વિમાન છે? વૈજયન્ત નામનું વિમાન છે? જયંત નામનું વિમાન છે? અપરા જીત નામનું વિમા છે? હા ગૌતમ! છે. હે ભગવનું આ વિજય વિગેરે વિમાનો કેટલી વિશાળતાં વાળા કહેવામાં આવેલ છે? હે ગૌતમ ! જેટલા પ્રમાણ ક્ષેત્રમાં સૂર્યનો ઉદય થાય છે, અને જેટલા પ્રમાણના અહિયાં નવ અવકાશાન્તર હોવાથી એટલા પ્રમાણ ક્ષેત્રને નવગણું કરવું જોઈએ. પણ તે દેવ આ વિજય વિગેરે વિમાનો પૈકી એક પણ વિમાનને ઉલ્લંઘી શકતાનથી. આવા પ્રકારની વિશાળતાવાળા એ વિજય વિગેરે વિમાનો કહ્યા છે. (પ્રતિપત્તિ ૩-તિર્યચ-ઉદેસો ૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (પ્રતિપત્તિ ૩-તિર્યંચ- ઉદેસો 2) [134o હે ભગવનું સંસારી જીવો કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છ પ્રકારના છે. પૃથ્વીકાયિક યાવતુ ત્રસકાયિક, પૃથ્વીકાયિક જીવો બે પ્રકારના છે. સૂક્ષ્મ અને બાદર સૂક્ષ્મપર્ધ્વીકાયિક જીવ બે પ્રકારના પર્યાપ્તક સૂક્ષ્મ અને અપયપ્તિક. બાદર પૃથ્વીકા યિક જીવો. બે પ્રકારના છે. એક પર્યાપ્ત અને બીજા અપયપ્તિક. પ્રજ્ઞાપના સૂત્રના પહેલા , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy