SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ 54 જીવાજીવાભિગમ-નિ-ર/૧૦૫ કુંત ભાલાઆદિ શસ્ત્ર વિશેષની યાવતુ ધિંડિમાલ રૂપની વિદુર્વણા કરવામાં સમર્થ હોય છે. જ્યારે તે નારકો અનેક રૂપોની વિદુર્વણા કરે છે. ત્યારે તેઓ અનેક મુગરરૂપોની યાવતુ અનેક મુકુંઢિ રૂપોની વિકુવણ કરી શકવામાં સમર્થ હોય છે. તેઓ સંખ્યાત. રૂપોની વિતુર્વણા કરે છે. અસંખ્યાત રૂપોની વિકવણા કરતા નથી. આ વિકર્વિત રૂપો , નારક જીવોના શરીરથી સંબદ્ધ હોય છે. અસંબદ્ધ હોતા નથી. આ વિકુર્વિત રૂપો. પોતાના શરીરની બરોબર હોય છે. અસદશ હોતા નથી. અનેક રૂપોની વિક્ર્વણા કરીને તેઓ પરસ્પરમાં એક બીજાના રૂપોની સાથે તેને લડાવીને શરીરમાં ઈજા પહોંચાડીને વેદના ઉત્પન્ન કરે છે. તે વેદના અત્યંત દુખ રૂપે તેને બાળતી રહે છે. મર્મ પ્રદેશોમાં પ્રવેશ કરીને સમસ્ત શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે. કઠોર હોય છે. કટુ છે અત્યંત રૂક્ષતા જનક હોય તીવ્ર છે કેવળ દુઃખનું જ સામ્રાજય છે. દુર્તધ્ય કહેલ છે. દુરધ્યવસાય પૂર્વક ભોગવે છે. આજ પ્રમાણે નારક જીવો, શકરપ્રભા, અને ધૂમપ્રભા પૃથ્વીમાં પણ અત્યંત વેદના. ભોગવતા રહે છે. છઠી અને સાતમી પૃથ્વીમાં નૈરયિક જીવો અનેક મોટા મોટા રાતા. રંગના કંથનામના જીવોના રૂપો જેવા લાલવર્ણના અને માનો કે જેનું મુખ વજનું જ બનેલું છે, એવા શરીરોની કે જે ગાયના છાણના કીડા જેવા હોય છે. તેવા જીવોની વિકવણા કરે છે. તેવા શરીરોની વિકુણા કરીને તે પછી પરસ્પરમાં એક બીજાના શરીર પર ઘોડાની જેમ સવાર થઈને વારંવાર કરડે છે. અર્થાતુ સો ગાઠો વાળી શેલડીના કીડાની માફક અંદરને અંદર સનસનાટ કરતા થકા પેસી જાય છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના. નૈરયિકો કેવી વેદનાનું વેદન કરે છે,? હે ગૌતમ! તે નારકો શીત વેદનાનું વેદન કરતા નથી. પરંતુ ઉષ્ણ વેદનાનું વેદન કરે છે. શીતોષ્ણ વેદના ભોગવતા નથી પંકપ્રભા પૃથ્વીમાં તેમાં રહેવાવાળા નારકો શીત વેદનાનો પણ અનુભવ કરે છે. અને ઉષ્ણ વેદનાનો પણ અનુભવ કરે છે. શીતોષ્ણ વેદનાનો અનુભવ કરતા નથી. વધારે જીવો, ઉષ્ણ વેદનાનો અનુભવ કરે છે. ઘણા થોડા શીનીષ્ય વેદના અનુભવે છે. ધૂમપ્રભા. પૃથ્વીના નારક જીવો શીતોષણ વેદનાનો પણ અનુભવ કરે છે, ઉષ્ણ વેદનાનો પણ અનુભવ કરે છે, પરંતુ શીત વેદના અનુભવ કરતા નથી. શીત વેદના અનુભવ કરે છે, એવા બહુતરક છે. ઉષ્ણવેદનાનો અનુભવ કરે છે. તેઓ તોક્તર છે. તમwભા પૃથ્વીના નૈરવિયેકો શીત વેદનાનો અનુભવ કરે છે. ઉષ્ણ વેદનાનો કે શીતોષ્ણ વેદનાને અનુભવ પણ કરતા નથી. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિક જીવો કેવા પ્રકારના થઈને નૈરયિક ભવનો અનુભવ કરે છે, હે ગૌતમ! તે નારકો ત્યાંનારકમાં સદા ભયભીત થઈને ક્ષેત્રસ્વભાવથી થવાવાળા મહાગાઢ અંધકારને લેવાથી ચારે બાજુની શંકા યુક્ત થઈને તથા સર્વદા ક્ષેત્ર સ્વભાવથી થવાવાળા અંધારાને જોવાથી ગભરાયેલા થઈને અથવા પરમાધાર્મિક દેવો દ્વારા પરસ્પર એક બીજાના પૂર્વભવ ના વેરોને પ્રગટ કરવાના કારણે, બદલો લેવા રૂપ દુઃખો આવવાથી દુઃખિત થઈને તથા હંમેશા ભૂખથી પીડાઈને સર્વદા ઉદ્વિગ્ન થઈને ઉપકવવાળા થઈને તે હમેશાં પરમ અશુભ રૂપ અને જેની તુલના થઈ શકતી નથી એવા અનુબદ્ધ નિરંતર પરમ્પરાથી જ અશુભ પણાથી આવેલાનારકભવને ભોગવે છે, આજ પ્રમાણે સાતમી પૃથ્વી સુધીના નરકાવાસોમાં નારકના ભવને ભોગવે છે. અધસપ્તમી પૃથ્વીમાં પાંચ જ અનુત્તર મહાનરક છે, તે ઘણા જ વિશાળ છે, ત્યાં નારક જીવો ઘણા મોટા દુઃખોનો અનુભવ કરે છે. સાતમી પૃથ્વીમાં આ કહેવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy