SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવાભિગમ- રા-૭૦ ઉત્તરકુરૂ રૂપ અકર્મ ભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગણા વધારે છે. તથા તેઓ સ્વસ્થાનમાં પરસ્પરતુલ્ય છે. એજ પ્રકારથી વિદેહ પર્યન્તનું કથન સમજવું. ઈશાન કલ્પના દેવપુરૂષો, પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહના મનુષ્ય નપુંસકો કરતાં અસંખ્યાતપણા વધારે છે. તેનાથી ઈશાનકલ્પની દેવસ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. સૌધર્મ કલ્પના જે દેવપુરૂષો છે. તેઓ ઈશાનકલ્પની દેવસ્ત્રિયો કરતાં સંખ્યાતઘણા વધારે છે. સૌધર્મ કલ્પમાં જે દેવસ્ત્રિયો છે, તેઓ સૌધર્મકલ્પના દેવપુરૂષો કરતાં સંખ્યાતગણી વધારે છે. તેના કરતાં ભવનવાસિદેવ પુરૂષો અસંખ્યાતગણા વધારે છે. ભવનાવાસી દેવઢિયો તેનાથી સંખ્યાતગણી વધારે છે. પ્રભા પૃથ્વીમાં જે નારકનપુંસકો છે, તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં ખેચરતિયંગ્યો નિક પુરૂષ સંખ્યાલગણા વધારે છે. તેના કરતાં ખેચર તિર્થગ્યોનિક સ્ટિયો સંખ્યાતગણી વધારે છે. તેનાથી સ્થલચર તિર્થગ્યો નિક પુરૂષો સંખ્યાતગણા વધારે છે. તેનાથી સ્થલચર તિર્યગ્લોનિક સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. સ્થલચર સ્ત્રિયો કરતાં લચર તિર્યંગ્યોનિક પુરૂષો સંખ્યાલગણા વધારે છે. તે કરતાં જલચર તિગ્મોનિક સ્ત્રિયો સંખ્યાત. ગણી વધારે છે. વાવ્યત્તર દેવ પુરૂષો કરતાં વાનવ્યન્તર દેવોનીબ્રિયો સંખ્યાત ગણી વધારે છે. વાનવ્યન્તર દેવીયો કરતાં જ્યોતિષ્ક દેવ પુરૂષો સંખ્યાલગણા વધારે છે. જ્યોતિષ્ક દેવસ્ત્રિયો તેના કરતાં સંખ્યાતગણી વધારે છે. જ્યોતષ્ક દેવસ્ત્રિયો કરતાં ખેચર તિગ્લોનિક નપુંસક પુરૂષો સંખ્યાત ગણા વધારે છે. ખેચર નપુંસકો કરતાં સ્થલચર પંચેન્દ્રિય તિર્યંગ્યોનિક નપુંસકો સંખ્યાતગણી વધારે છે. સ્થલચર નપુંસકો કરતાં જલચર નપુંસકો સંખ્યાતગણા વધારે છે. તેના કરતાં ચારઈન્દ્રિયવાળા નપુંસકો વિશેષાધિક છે. ચાર ઈન્દ્રિયવાળા નપુંસકો કરતાં ત્રણ ઇન્દ્રિયવાળા ત્રણ ઇન્દ્રિયવાળા નપુંસકો કરતાં બેઈન્દ્રિય વાળા બે ઈન્દ્રિય વાળા નપુંસકો કરતાં તેજસ્કાયિક એક ઈન્દ્રિયવાળા તિર્યંગ્યોનિક નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. તેજસ્કાયિક નપુંસકો કરતાં પૃથ્વી કાયિક એકેન્દ્રિય તિર્યગ્લોનિક નપુંસકો વિશેષાધિક છે. તેના કરતાં અપકાયિકા એક ઇન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નપુંસકો વાયુકાયિક તેનાથી અને તેનાથી વનસ્પતિ કાયિક એક ઈન્દ્રિયવાળા તિર્યંગ્યોનિક નપુંસકો અનંતગણા વધારે છે. [71] હે ભગવન સ્ત્રિયોનું આયુષ્ય કેટલાકળનું કહ્યું છે ? હે ગૌતમ ! એક આદેશથી જે પ્રમાણે પહેલાં સ્ત્રી પ્રકરણમાં સ્થિતિનું કથન કર્યું છે. એ જ પ્રમાણેની સ્થિતિનું કથન અહિયાં પણ સમજવું. પુરૂષ અને નપુંસકોની સ્થિતિ પણ તેના તેના સંબંધમાં પણ પહેલાં કહેવામાં આવેલ પ્રકરણમાંથી સમજી લેવી. આ ત્રણેય કાય સ્થિતિ પણ જે પ્રમાણે તે તે પ્રકરણમાં પહેલા કહેલ છે, એ જ પ્રમાણે તે અહિયાં પણ સમજી લેવી. સ્ત્રી પુરૂષ અને નપુંસકોનું અંતરપણ જે પ્રમાણે પહેલાં તેમના પ્રકરણમાં કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે અહિયાં પણ સમજી લેવું. [72] આમાં જે તિર્યગ્લોનિક સ્ત્રિયો છે, તેઓ તિર્યગ્લોનિક પુરૂષો કરતાં ત્રણ ગણી વધારે છે. મનુષ્ય યોનિક જે સ્ત્રિયો છે તેઓ મનુષ્ય પુરૂષો કરતાં સત્યાવીસગણી વધારે છે. દેવસ્ત્રિયો દેવ પુરૂષો કરતાં બત્રીસગણી વધારે છે. [૭૩આ ત્રણે વેદોને નિરૂપણ કરવા વાળી પ્રત્તિપત્તિમાં સ્ત્રી પુરૂષ અને નપુંસક એ પ્રમાણે ત્રણ વેદોનું કથન કરવામાં આવેલ છે. પહેલો અધિકાર આ ત્રણ વેદોમાં ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy