SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપતિ-૧ - 25 હોય છે. શ્રોત્રેન્દ્રિયવાળા પણ હોય છે, વાવતું નોઈદ્રિયવાળા પણ હોય છે. તેઓને સાત સમુદ્દઘાતો હોય છે, વેદના સમુદ્યાત યાવતુ કેવલિ સમુદુઘાત આ ગર્ભજ મનુષ્ય સંજ્ઞી પણ હોય છે, નો સંશી પણ હોય છે અને નો અસંજ્ઞી પણ હોય છે. સ્ત્રીવેદવાળા પણ હોય છે. પુરૂષdદવાળા પણ હોય છે. અને નપુંસક વેદવાળા પણ હોય છે. તથા વેદ વિનાના પણ હોય છે. પાંચ પયક્તિવાળા હોય છે. અને પાંચ અપર્યાપ્તિવાળા પણ હોય છે. ત્રણે પ્રકારની ર્દષ્ટિવાળા હોય છે. ચારે દર્શનવાળા પણ હોય છે. જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. તેઓમાં જે જ્ઞાની હોય છે તેમાં કેટલાક બે જ્ઞાનવાળા અને કેટલાક ત્રણ જ્ઞાનવાળા હોય છે. તથા કેટલાક ચાર જ્ઞાનવાળા અને કેટલાક એક જ્ઞાનવાળા હોય છે. બે જ્ઞાનવાળા હોય છે, તેઓ નિયમથી આભિનિબૌધિક જ્ઞાનવાળા અને શ્રુતજ્ઞાન વાળા હોય છે. જેઓ ત્રણ પાનવાળા હોય છે તેઓ આભિનિ બોધિકશાનવાળા, શ્રુતજ્ઞાનવાળા અને અવધિ જ્ઞાનવાળા હોય છે. અથવા આભિનિ બોધિક જ્ઞાનવાળા શ્રતજ્ઞાનવાળા અને મન:પર્યવજ્ઞાનવાળા હોય છે. જે ગર્ભજમનુષ્યો ચારજ્ઞાનવાળા હોય છે, તેઓ નિયમથી આભિનિબોધિક જ્ઞાનવાળા યાવતું મન:પર્યય જ્ઞાનવાળા પણ હોય છે. એક જ્ઞાનવાળા હોય છે, તેઓ નિયમથી એક કેવળ જ્ઞાનવાળા જ હોય છે. જે પ્રમાણે ગર્ભજ મનુષ્યને જ્ઞાની હોવાનું કહ્યું છે,એજ પ્રમાણે તેઓ અજ્ઞાની પણ હોય છે. મનોયોગવાળા પણ હોય છે, વચનયોગવાળા પણ હોય છે. અને કાયયોગવાળા પણ હોય છે. તથા કોઈ કોઈ અયોગી પણ હોય છે. આ ગર્ભજ મનુષ્યોમાં બે ઉપયોગ હોય છે છે તેની ઉત્પત્તિ જોનારકી માંથી થાય તો એકથી છ નારકિયોમાંથી થાય છે. મનુષ્યોની ઉત્પત્તિ તિર્યંગ્યનિવાળા જીવોમાંથી થાય તો અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા ભોગ ભૂમિના તિર્યંગુ જીવોમાંથી થતી નથી. જો મનુષ્યોમાંથી તેમનો ઉત્પાદથાય તો અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા અકર્મભૂમિ ભોગભૂમિના મનુષ્યોમાંથી તથા અંતરદ્વીપજ મનુષ્યોમાંથી તેમનો ઉત્પાદ નથી. કેવળ કર્મભૂમિવાળા મનુષ્યોમાંથી તેઓની ઉત્પત્તિ થાય છે. જે તેમની ઉત્પત્તિ દેવોમાંથી થાય છે, તો સઘળા દેવોમાંથી તેઓની ઉત્પત્તિ થાય છે. આ ગર્ભજ મનુષ્યની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની છે.મારણાન્તિક સમુદ્રઘાતથી પણ મરે છે. અને મારાન્તિક સમુદૂઘાત વિના પણ મરે છે. તેઓ નારકોમાં, સઘળા તિર્યંગ્યનિકો માં અને સર્વ મનુષ્યોમાં પણ જન્મધારણ કરે છે, કેટલાક મનુષ્યો એવા પણ હોય છે કે જેઓ એજ ભવમાં સિદ્ધ થઈ જાય છે. યાવતુ સમસ્ત દુખોનો અંત-નાશ કરી દે છે. આ ગર્ભજ મનુષ્ય પાંચ ગતિયોમાં જવાવાળા હોય છે, અને ચાર ગતિયોમાંથી આવવાવાળા હોય છે. પ્રત્યેક શરીરી સંખ્યાત કોટિ પ્રમાણવાળા હોવાથી સંખ્યાત કહેલા છે. [5] હે ભગવન્! દેવોના કેટલા ભેદો છે ? દેવોના ચાર ભેદો કહેલા છે. ભવનવાસી 1" વાનભંતર 2, જ્યોતિષ્ક 3 અને વૈમાનિક 4. ભવનવાસી દસ પ્રકારના કહ્યા છે. અસુરકુમાર યાવતું સ્તનતકુમાર હે ભગવનું વાનવન્તરદેવ કેટલા પ્રકારના કહ્યા છે? વાન વ્યંતરથી લઈને વૈમાનિક દેવ પર્યન્તના સમસ્ત ભેદો કે જે પ્રમાણે પ્રજ્ઞા પના સૂત્રમાં કહેલ છે. એ જ પ્રમાણે અહિયાં પણ કહેવા. ભવનપતિ આદિ દેવ સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત. ત્રણ પ્રકારના શરીરો હોય છે. વૈક્રિય, તૈજસ, અને કામણ. આ દેવોના શરીરની અવગાહના બે પ્રકારે ભવધારિણીય અને ઉત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy