SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવાભગમ- 103385 અનાદિ અપર્યવસિત અસંયતને અને અનાદિ સંપર્ય વસિત અસંયતને અંતર હોતું નથી. ત્રણ પ્રકાર થી પ્રતિષેધવાળા સિદ્ધને તેઓ સાદિ સપર્ય વસિત હોવાથી અંતર હોતું નથી. સંયતજીવ સૌથી ઓછા છે. તેના કરતાં સંયતા સંયત જીવઅસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અસંતજીવ અનંત ગણા છે. આ પ્રમાણેનું આ સપષ્ટીકરણ ચાર પ્રકારના જીવોની માન્યતાના સંબંધમાં કરવામાં આવેલ છે. } પ્રતિપત્તિ ૧-સવજીવ-૪ | 3i8-388] કોઈ અપેક્ષાથી એવું કહે છે. કે બધા જીવો પાંચ પ્રકારના છે. તેઓ આ સંબંધ ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી, લોભકષાયી, અને અકષાયી, ક્રોધકષાયી, માનકષાયી, અને માયા કષાયી જીવ ક્રોધ વિગેરે કષાય યુક્ત પણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત અને ઉત્કૃષ્ટથી પણ એક અંતમુહૂર્ત સુધી રહે છે. લોભકષાયી લોભકષાયીપણાથી ઓછામાં ઓછા એક સમય પર્યન્ત અને વધારેમાં વધારે એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. અષાયી જીવ બે પ્રકારના હોય છે. જેમકે એક સાદિ અપર્યવસિત કેવલી અને બીજા સાદિ સપર્યવસિત ઉપશાંત કષાયી આ બીજા પ્રકારના વિકલ્પ વાળા જીવ જઘન્યથી એક સમય પર્યન્ત અકયાયી રહે છે. ક્રોધ કષાયવાળાઓનું અંતર જઘન્યથી તો એક સમયનું હોય છે. અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તનું અંતર હોય છે, આજ પ્રમાણેનું અંતર માન, માયા વિગેરે કષાયો વાળાઓનું લોભ કષાયવાળા નું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે, અને ઉત્કૃષ્ટથી પણ તે એકજ અંતર્મુહૂર્તનું હોય છે. જઘન્યના અંતમુહૂર્ત કરતાં ઉત્કૃષ્ટનું અંતર્મુહૂર્ત વધારે છે.અકષાયી જીવ બે પ્રકાર ના હોય છે. એક સાદિ અપર્યવસિત અને બીજા સાદિ સપર્યવસિત તેમાં જે સાદિ અપર્યવસિત અકષાયી જીવ છે. તેમને અંતર હોતું નથી. અને જે સાદિ સંપર્યવસિત અકષાયી જીવ છે. તેમનું અંતર હોય છે, અને તે જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી અનંત કાળનું હોય છે. અકષાયી જીવ સૌથી ઓછા છે. તેના કરતાં માનકષાય વાળા અનંત ગણા વધારે હોય છે. તેના કરતાં ક્રોધકષાય વાળા વિશેષાધિક છે. તેના કરતાં માયાકષાયવાળા વિશેષાધિક છે. તેના કરતાં લોકષાયવાળા વિશેષાધિક છે. અથવા આ રીતે પણ સઘળા જીવો પાંચ પ્રકારના કહેવામાં આવેલા છે. જેમકે નૈરયિક, તિર્યગ્લોનિક, મનુષ્ય, દેવ અને સિદ્ધ તેઓમાં સૌથી ઓછા મનુષ્યો છે. નૈરયિકજીવ અસંખ્યાતગણા વધારે છે, તેના કરતાં દેવો અસંખ્યાતગણી છે. અને તેના કરતાં પણ સિદ્ધો અનંતગણા વધારે છે. તેના કરતાં તિર્યગ્લોનિક અનંતગણો વધારે છે. પ્રતિપત્તિ ૧૦-સવજીવ-૫ [389390 કોઈ અપેક્ષાથી સઘળા જીવો છ પ્રકારના કહેવામાં આવેલ છે. તે આ પ્રમાણે આભિનિબોધિકજ્ઞાની શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃવિજ્ઞાની કેવળ જ્ઞાની અને અજ્ઞાની. આભિનિબોધિજ્ઞાની આભિનિબોધિક જ્ઞાનીપણાથી ઓછા માં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે કંઈક વધારે છાસઠ સાગરોપમ પર્યન્ત રહે. શ્રુતજ્ઞાનીની કાયસ્થિતિનો કાળ પણ એટલો જ હોય છે. અવધિ જ્ઞાની અવધિજ્ઞાની પણાથી ઓછામાં ઓછા એક સમયપર્યન્ત રહે છે. અને વધારેમાં . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy