SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ 176 જીવાજીવાભિગમ- ૧ર૩૮૧ સૌથી ઓછા સંસી જીવ હોય છે. તેના કરતાં નોસંજ્ઞીનોઅસંશી રૂપ જે સિદ્ધ જીવ છે તે અનંતગણો છે. તેના કરતા અસંજ્ઞી અનંતગણા વધારે છે. અથવા રીતે પણ સર્વ જીવો ત્રણ પ્રકારના કહેવામાં જેમકે ભવસિદ્ધિક, અભવ સિદ્ધિક અને નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિક. ભવસિદ્ધિકજીવ અનાદિ સપર્યાસિત હોય છે. અને અભવસિદ્ધિક જીવો અનાદિ અપર્યવસિત હોય છે. તથા નો ભવ સિદ્ધિકનોઅભવસિદ્ધિક જીવ સાદિ અપર્યવસિત હોય છે. તથા આ ત્રણ પ્રકારના જીવોમાં અંતર હોતું નથી. જે અભવસિદ્ધિક જીવ છે તેઓ સૌથી ઓછા છે. નો ભાવસિદ્ધિકનો અભવસિદ્ધિક તેનાથી અનંતગણા વધારે છે. તેના કરતાં ભવસિદ્ધિક જીવ અનંતગણા છે, અથવા આ રીતે પણ સઘળા જીવો ત્રણ પ્રકારના કહેવામાં આવેલા. છે. ત્રસ, સ્થાવર, નો ત્રસનો સ્થાવર. ત્રણ ત્રસ ત્રપણાથી ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે સાતિરેક-કંઈક વધારે બે હાર સાગ રોપમપર્યન્ત રહે છે. સ્થાવરની કાયસ્થિતિનો કાળ વનસ્પતિકાળ પ્રમાણનો છે. જે જીવ નોત્રસનો સ્થાવર સિદ્ધ જીવ છે તેમની કાયસ્થિતિનો કાળ સાદિ અપર્યાસિત છે. ત્રસકાય જીવોનું અંતર વનસ્પતિ પ્રમાણનું છે. સ્થાવર જીવનું અંતર કંઈક વધરે બે હજાર સાગરોપમનું છે. જે જીવનોત્રસની સ્થાવરસિદ્ધ છે તેઓનું અંતર હોતું નથી. સૌથી. ઓછા ત્રસ જીવો છે. તેના કરતાં નોગ્રસનો સ્થાવર જીવ અનંતગણા વધારે છે. આ રીતે સઘળા જીવો ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. પ્રતિપત્તિ-૧૦સવજીવ-૩] [૩૮ર-૩૮૫] સર્વ જીવો ચારપ્રકારના કહ્યા છે. મનોયોગી, વચનયોગી. કાયયોગી, અને અયોગી. મનોયોગી મનોયોગી પણાથી ઓછામાં ઓછા એક સમય પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. વચનયોગી પણ વચનયોગીપણાથી ઓછામાં ઓછા એક સમય પર્યન્ત અને વધારેમાં વધારે એક અંતમુહૂર્ત પર્યન્ત રહે છે. કાયયોગ, મનોયોગ, અને વાગ્યોગ વાળા એકેન્દ્રિય જીવો જઘન્યથી એક અંતમુહૂર્ત પર્યન્ત અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણ કાયયોગી પણાથી રહી શકે છે. મનોયોગીનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણનું છે. તે આટલું જ અંતર વચન યોગવાળાનું પણ સમજવું. કાય યોગીનું અંતર જઘન્યથી એક સમયનું છે. અને ઉત્કૃષ્ટથી પણ એક અંતર્મુહૂર્તનું અંતર છે. સાદિ અપતિ અયોગીને અંતર અપર્યવસિત હોવાના કારણે હોતું નથી. મનોયોગી સૌથી ઓછા છે. વચન યોગી તેમના કરતાં અસંખ્યાતગણી વધારે છે તેના કરતાં અયોગી અનંતગણો હોય છે. તેના કરતા યોગી અનંતગણ છે. જીવોનું ચાર પ્રકારપણું આ રીતે પણ થાય છે. જેમકે સ્ત્રીવેદક, પુરૂષ વેદક, નપુસંકવેદક, અને અવેદક કોઈ એક અપેક્ષાથી સ્ત્રીવેદની કાયસ્થિતિ જઘન્યથી એક સમયની છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ પૃથકુત્વ અધિક એકસોદસપલ્યોપમની છે. કોઈ એક કથનની અપેક્ષાથી સ્ત્રીવેદની કાયસ્થિતિનો કાળ જઘન્યથી તો એક સમયનો છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ અધિક અઢાર પલ્યોપમનો છે. પુરૂષદની કાયા સ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સાગરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy