SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ - - - જીવાજીવાભિગમ- 101/374 ચરમ જીવ અનાદિ સપર્યવસિત હોય છે અચરમ અભવ્ય જીવ કે જેને અત્યાર સુધી મુક્તિ પ્રાપ્ત થયેલ નથી અને ભવિષ્યમાં પણ ન જાણે કયારે મુક્તિને પ્રાપ્ત કરવાવાળા થશે એવા જીવો બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક અનાદિ અપર્યવસિત અભવ્ય અને બીજા સાદિ અપર્યવસિત અભવ્ય. તેમાં જે પહેલા વિકલ્પવાળા અભવ્ય જીવો છે તેને તો ત્રણે કાળમાં પણ મુક્તિ પ્રાપ્ત થતી નથી અને જે સાદિ અપર્યવસિત અભવ્ય જીવ છે તેને મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. એ બન્નેમાં કોઈનામાંપણ અંતર નથી. અથવા તો સાકારોપ યુક્ત અને અનાકારોપયુક્ત ના ભેદથી સઘળા જીવો બે પ્રકારના કહેવામાં આવેલ આ બન્નેની કાયસ્થિતિનોકાળ અને અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટ થી એક એક અંતર્મુહૂર્તનો છે. તેમાં અનાકારોપયુક્ત જીવ સૌથી ઓછા છે. અને સાકરોપયુક્ત જીવ તેનાથી અસંખ્યાતગણા વધારે છે પ્રતિપત્તિ ૧૦-સવજીવ-૨] [૩૭પ-૩૮૧] કોઈ અપેક્ષાથી સઘળા જીવો ત્રણ પ્રકારના છે, સમ્યક્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ સમ્યકૃમિથ્યાદષ્ટિ સમ્યગ્દષ્ટિ જીવ બે પ્રકારના કહેવામાં આવ્યા છે. સાદિ સપર્યવસિત સાદિ અપર્યવસિત તેમાં જે સાદિ સપર્યવસિત જીવ છે. તે જઘન્યથી એક અંતમુહૂર્ત પર્યન્ત અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે છાસઠ સાગરોપમ પર્યન્ત સમ્યક્દષ્ટિ પણાથી રહે છે. મિથ્યાદષ્ટિ જીવ ત્રણ પ્રકારના છે. એક સાદિસપર્યવસિતમિથ્યાદષ્ટિ, બીજા અનાદિ અપર્યવસિત મિથ્યાદષ્ટિ અને ત્રીજા અનાદિ સપર્યવસિત મિથ્યાદષ્ટિ. જે સાદિ સપર્ય વસિત મિથ્યાદષ્ટિ જીવ છે. તે જઘન્યથી એક અંતર્મહસુધી અને ઉત્કૃષ્ટથી અનંતકાલ સુધી મિશ્રાદષ્ટિ બનેલ રહે છે. સમ્યગુ મિથ્યાદષ્ટિ જીવ જઘન્ય થી સમ્યગૃમિથ્યાદષ્ટિ પણાથી રહે છે. સાદિ અપર્યવસિતસમ્યગ્દષ્ટિ જીવને અંતર અપર્યવસિત હોવાથી હોતું નથી. જે સમ્યગ્દષ્ટિ જીવ સાદિ સપર્યવસિત હોય છે. તેનું અંતર જઘન્યથી એક અંતર્મુહુર્તનું હોય છે. અને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધીનું હોય છે. જે મિથ્યાદૃષ્ટિ જીવ અનાદિ અપર્યવસિત છે. તેને અંતર હોતું નથી. પરંતુ જે મિથ્યાદષ્ટિ સાદિ સપર્યવ સિત છે. તેનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે છાસઠ સાગરોપમનું હોય છે. સૌથી ઓછા સમ્યગુ મિથ્યાદષ્ટિ જીવ છે અને તેના કરતાં સમ્યક્ દષ્ટિ જીવ અનંતગણા વધારે અને તેના કરતાં મિથ્યાષ્ટિ જીવ અનંત ગણા વધારે છે. અથવા આ રીતે પણ સઘળા જીવો ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. જેમ પરિત્ત અપરિત્ત અનેનોપરિત્તનો અપરિત કહેવાય. પરિત્તજીવો બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક કાયપરિત્ત અને બીજા સંસાર પત્તિ જેઓકાય પરિત છે તે જઘન્યથી એક અંતર્મુહૂર્તસુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી યથાવત્ અસંખ્યાત લોક સુધી રહે છે. સંસાર પરીત જઘન્યથી એક અંતર્મુહૂર્ત પર્યન્ત અને ઉત્કૃષ્ટથી અનંત કાલ યાવતુ. કંઈક ઓછા અધપુદ્ગલ પરાવર્તકાલ પર્યન્ત રહે છે. અપરીત બે પ્રકારના કહેવામાં આવેલા એક કાયઅપરીત અને બીજા સંસારઅપરીત કાયઅપરીત જઘન્યથી એક અંતર્મુહૂર્ત પર્યન્ત અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણ અનંતકાળ પર્યન્ત રહે છે જે કાપારી એક સંસાર અપરિત બે પ્રકારના કહેવામાં આવેલા છે. તેમાં એક અનાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy