SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ 172 જીવાજીવાભિગમ- 11374 અંતર હોતું નથી સવેદક અવસ્થાને પ્રાપ્ત કરવાવાળા જીવની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. ઉત્કથી એક અંતર્મુહૂર્તનું અંતર છે. સાદિક અપર્યવસિત અવેદકનું અંતર હોત નથી. સા૮િ સપર્યવસિત જે અવેદક જીવ છે તેનું અંતર જધન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે. ઉત્કૃષ્ટથી તેનું અંતર અનંત કાળનું કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે સઘળા જીવો સકષાયી અને અકષાયીના ભેદથી બે પ્રકારના કહેલા તેમની કાયસ્થિતિનો કાળ અને અંતર કાળ એ બધાનું કથન સવેદક જીવન કથન પ્રમાણે જ છે. સકષાયી જીવો ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. અનાદિ અપર્યવસિત સકષાયી જીવ, બીજા અનાદિક સુપયસિત સકષા યીક જીવ અને ત્રીજા સાદિ સંપર્યવસિત સકષાયિક જીવ તેમાં જે સાદિ સર્વવસિત સકષાયિક જીવ છે તેની કાયસ્થિતિનો કાળ જઘન્યથી તો એક અંત ર્મુહૂર્તનો છે; અને ઉત્કૃષ્ટથી અનંત કાળ છે. સાદિ અપર્યવસિત અકષાયિક અને સાદિક સંપર્યવસિત અકષાયિક તેમાં જેઓ સાદિક સંપર્યવસિત અકષાયી જીવ છે, તેની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમયનો છે. અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તનો છે. જે જીવ અનાદિ અપર્યવસિત કષાયવાળા છે તેઓનું અંતર હોતું નથી. જે કષાયવાળા જીવ અનાદિ સપર્યવસિત કષાયવાળા હોય છે. તેમને પણ અંતર હોતું નથી. કષાયવાળા જીવ સાદિક સપર્યવસિત હોય છે, તેમનું અંતર જઘન્યથી તો એક સમયનું હોય છે. અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તનું હોય છે. જે અકષાયિક જીવ સાદિ અપર્યવસિત કષાયવાળા હોય છે, તેમનું અંતર હોતું નથી. અને જે અકષાયિક જીવ સાદિક સપર્ટીસિત કષાયવાળા. હોય છે. તેનું અંતર જઘન્યથી તો એક અંતર્મુહૂર્તનું હોય છે. અને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધીનું અંતર હોય છે. 1 અથવા સર્વ જીવો બે પ્રકારના કહે એક સલેશ્ય જીવ અને બીજા અલેશ્ય-જીવ પહેલાં અસિદ્ધ અને સિદ્ધોનું વિવેચન કરવામાં આવી ગયેલ છે. એ જ પ્રમાણે આ સલેશ્ય અને અલેશ્ય જીવોનું વિવેચન પણ કરી લેવું જોઈએ. તેમાં સૌથી ઓછા અલેશ્ય જીવો છે. અને તેના કરતાં જે સલે જીવો છે તેને અનંતગણા વધારે છે. સઘળા જીવો આ પ્રમાણે પણ બે પ્રકારના કહેલા છે. એક જ્ઞાની બીજા અજ્ઞાનીયો. જ્ઞાની બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક સાદિક અપર્યવસિત જ્ઞાની અને સાદિક સપર્યવસિતજ્ઞાની તેમાં જે સાદિક સાયસિત જ્ઞાની હોય છે. તે જઘન્યથી તો એક અંતર્મુહૂર્તની કાયસ્થિતિ વાળા હોય છે. અને ઉત્કૃષ્ટથી કઈક વધારે છાસઠ સાગરોપમની કાયસ્થિતિવાળા હોય છે. અજ્ઞાની ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. એક અનાદિક અપર્યવસિત અજ્ઞાની, બીજા અનાદિક સંપર્યસિત અજ્ઞાની, અને ત્રીજા સાદિ સંપર્યવસિત અજ્ઞાની સાદિસપર્યવસિત અજ્ઞાની જીવ જધન્યથી અંતર્મુહૂર્ત પર્યન્તની કાયસ્થિતિવાળા હોય છે. ઉત્કૃષ્ટથી અનંતકાળની કાયસ્થિતિવાળા હોય છે. સાદિ અપર્યવાસિત જીવનું અંતર તો હોતું જ નથી. અનાદિ અપર્યવસિત અજ્ઞાની છે તેઓને તથા અનાદિ સપર્યવસિત જીવોને તો અંતર હોતું જ નથી. સાદિ સપર્યવસિત અજ્ઞાની જીવ હોય છે. તેમનું અંતર હોય છે. તો અહીંયા જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે છાસઠ સાગરોપમનું છે. અથવા સઘળાજીવો આ પ્રમાણે પણ બે રીતના થઈ જાય એક સાકોરોપયુક્ત અને બીજા અનાકારોપયુક્ત આ બન્નેની કાય સ્થિતિ અને અંતર જઘન્યથી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy