SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ -3, વૈમાનિક ઉદ્દેસાર 157 મનુષ્યોની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ પલ્યોપમની છે. દેવ અને નૈરયિકોની જે જીવ સ્થિતિ છે, તેજ તેની સંચિણા-કાયસ્થિતિ છે કેમ કે-નૈરયિક જીવો નો ઉત્પાત સીધો નૈરયિકોમાં થતો નથી. એજ પ્રમાણે દેવ ચવીને સીધા દેવા પણાથી ઉત્પન્ન થતા નથી તિર્થક યોનિક જીવોની કાયસ્થિતિ જધન્યથી એક અંતર્મુહૂર્ત ની છે. અને ઉત્કૃષ્ટ થી વનસ્પતિ કાલ પ્રમાણની છે. મનુષ્યોની કાયસ્થિતિ જધન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ થી પૂર્વ-કોટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમની છે, તિર્યોનિક જીવોનો અંતર કાળ અર્થાતુ વિરહ કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્ત નો છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ છે. મનુષ્યો સૌથી ઓછા છે. મનુષ્યોકરતાં નૈરયિકો અસંખ્યાત ગણા વધારે છે. નૈરયિકોના કરતાં દેવો અસંખ્યાતગણા વધારે છે.અને દેવોના કરતાં તિર્યક અનંતગણા વધારે છે. આ રીતે આ ચાર પ્રકારના સંસારી જીવો કહેવામાં આવેલ છે. | પ્રતિપત્તિકાદેવની અનિદીપરત્નસાગરે ગુર્જરછાયા | પ્રતિપત્તિ-૩-નીગુર્જરછાયાપૂર્ણ (પ્રતિપત્તિ ૪-પંચમી) [344-345) જેઓ એમ કહે છે કે સંસારી જીવો પાંચ પ્રકારના છે તેમનું એવું કથન છે કે- એક ઈન્દ્રિયવાળા, યાવતુ પાંચ ઈન્દ્રિય વાળા જીવો આ પ્રમાણે આ સંસારી જીવો પાંચ પ્રકારના છે. એક ઈન્દ્રિયવાળા જીવો બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્તક અને અપર્યાપ્તક. એ જ પ્રમાણેનું બે પ્રકાર પણું બેઈન્દ્રિય જીવથી લઈને પાંચ ઈન્દ્રિય વાળા સુધી સમજવું. એક ઈન્દ્રિય વાળા જીવની સ્થિતિ જધન્યથી એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી બાવીસ હજાર વર્ષની છે. બેઈન્દ્રિય વાળા જીવની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી બાર વર્ષની છે ત્રણ ઈન્દ્રિયવાળા જીવની 49 રાતદિવસની સ્થિતિ છે. ચારઈન્દ્રિય વાળા જીવની જધન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્ત ની અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ માસની કહેલ છે. તથા પાંચઈન્દ્રિય વાળા જીવની જધન્યસ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. અપર્યાપ્તક એક ઈન્દ્રિય વાળા જીવની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અપેક્ષાથી એક અંતર્મુહૂર્તની છે, પરંતુ ઉત્કૃષ્ટસ્થિતિનું જે અંતર્મુહૂર્ત છે તે જઘન્ય સ્થિતિના અંતર્મુહૂર્તથી કઈક ભિન્ન પ્રકારનું છે. આજ પ્રમાણેની જઘન્ય અને ઉત્કૃષ્ટની અપેક્ષાથી બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌઈન્દ્રિય અને પંચેન્દ્રિય અપર્યાપ્તક જીવોની સ્થિતિ છે, પર્યાપ્ત એકેન્દ્રિયોની જઘન્ય સ્થિતિ તો એક અંતર્મુહૂર્ત ની છે. અને ઉત્કૃષ્ટસ્થિતિ એક અંતર્મુહૂર્તકમ વર્ષોની છે. બે ત્રણ, ચાર અને પાંચ ઈન્દ્રિયવાળા જીવોની જે ઉત્કૃષ્ટ સ્થિતિ પહેલાં સામાન્ય પણાથી બતાવવામાં આવેલ છે. તેમાંથી એક એક પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિનું અંત મુહૂર્ત કમ કરવું જોઈએ એક ઈદ્રિયવાળા જીવની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્ત ની છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણની છે. બે ઈદ્રિયવાળા જીવોની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કાલ પ્રમાણની છે. આ જ પ્રમાણેની કયસ્થિતિ ત્રણ ઈદ્રિયવાળા અને ચાર ઈદ્રિયવાળા જીવોની પણ છે. પાંચ ઈદ્રિયવાળા જીવોની કાય સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy