SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર 135 આ બધા અંજની પર્વતોમાં જે પૂર્વ દિશા નો અંજની પર્વત તેની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરણિયો છે. નંદોતરા, નંદા, આનંદા, અને નંદિવર્ધના. નંદિસેના, અમોઘા, ગોસ્તૃપા અને સુદર્શના આ પ્રમાણેના તેના નામો કેટલેક સ્થળે બતાવેલા છે. આ દરેક નંદા પુષ્કરિણીયો એક એક લાખ યોજન ની લંબાઈ પહોળાઈવાળી છે. તેનો ઉદ્ધઘ દસ યોજનનો છે. તેની પરિધિનું પ્રમાણ 316227 યોજનથી કંઈક વધારે તથા 3 ત્રણ કોસ તથા 2800 ધનુષ અને સાડાતેર આંગળથી કંઈક વધારે છે. એ બધી પૂર્વોક્ત અચ્છ શ્લષ્ણ, વિગેરે વિશેષણોવાળી છે. આ દરેક પુષ્પરણિયોના બહુમધ્ય દેશ ભાગમાં અલગ અલગ દધિમુખ પર્વત છે. એની ઉંચાઈ ચોસઠ હજાર યોજનની છે. જમીનમાં તેનો ઉદ્દેશ એક હજાર યોજનનો છે. એ બધેજ સમાન છે. અને પલંગના આકાર જેવો છે. તેની પહોળાઈ 1000 યોજનની છે. 31623 યોજનાનો પરિક્ષેપ છે. એ બધા સર્વાત્મના. રત્નમય સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે. પર્વતની ચારે બાજુ પાવર વેદિકા અને વનખંડ છે. સિદ્ધાયતનનું પ્રમાણ પહેલાં કહ્યા પ્રમાણે જ છે. તેમાં 108 આઠ જીન અથતિ અરિહંત. પ્રતિમાઓ છે. ઈત્યાદિ તમામ વર્ણન પહેલાં કહ્યા પ્રમાણે કહી લેવું જોઈએ. દક્ષિણ દિશાના જે અંજન પર્વત છે. તેની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરિણીયો છે. ભદ્રા 1 વિશાલ 2 કુમુદા 3 અને પુંડરિકિણી 4 કોઈ બીજે સ્થળે તેમના નામો આ પ્રમાણે કહ્યા છે. નંદુતરા 1 નંદા 2 આનંદા 3 અને નંદિવર્ધના અહીયાં પણ દધિમુખોનું અને સિદ્ધાયત નોનું કથન કરી લેવું જોઈએ. પશ્ચિમ દિશા તરફ જે અંજન પર્વત છે. તેની ચારે દિશા ઓમાં પણ ચાર નંદા પુષ્કરિણીયો છે. નંદિસેણા 1 અમોઘા 2 ગોસ્તૂપ 3 અને સુદર્શના 4 (ભદ્રા 1 વિશાલા 2 કુમુદ 3 અને પુંડરિકિણી-૪) સિદ્ધાયતનોના કથન સુધી તમામ કથન પહેલાં જેમ કહેવામાં આવી ગયેલ છે એ જ પ્રમાણે છે. દધિમુખોનું વર્ણન અને તેના અંગ પ્રત્યંગોનું વર્ણન પણ પહેલાની જેમજ છે. ઉત્તર દિશામાં જે અંજન પર્વત છે તેની ચારે દિશામાં પણ ચાર નંદા પુષ્કરિણીયો છે. વિજયા 1 વૈજયન્તી 2 જયન્તી 3 અપરા જીત નામની પુષ્કરિણી છે. આ અંજન પર્વતના સંબંધનું અને સિદ્વાયતન સુધીનું તમામ કથન પૂર્વ દિશામાં આવેલ અંજન પર્વતના વર્ણન પ્રમાણે અને ત્યાંના સિદ્ધાયતનોના વર્ણન પ્રમાણેજ છે. અહીંયાં અનેક ભવનપતિ વાનવ્યન્તર જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ ચોમા. સાની પ્રતિપદા વિગેરે પર્વ દિવસોમાં વાર્ષિક ઉત્સવના દિવસોમાં તેમજ બીજા પણ અનેક પ્રકારના જેમકે જેમના જન્મકલ્યાણના,દીક્ષા કલ્યાણના, જ્ઞાનકલ્યાણના નિવણકલ્યાણના વિગેરે દિવસોમાં દેવકાર્યોમાં દેવ સમૂહોમાં દેવગોષ્ઠિયોમાં દેવસમવાયમાં તથા દેવોના જીત વ્યવહાર સંબંધી કાર્યમાં દેવ સમૂહોમાં આવે છે. અહીંયાં આવીને આનંદ કીડા કરતા મહા મહિમાવાળા અષ્ટાલિક પર્વની આરાધના કરે છે. નન્દીશ્વરવર દ્વિીપમાં ચક્રવાલ વિધ્વંભવાળા બહુમધ્ય દેશ ભાગમાં ચાર દિશાઓમાં એક એક વિદિશાઓમાં ચાર રતિકર પર્વતો આવેલા છે. એક પૂર્વ દિશામાં બીજો દક્ષિણ પૂર્વ દિશામાં ત્રીજો દક્ષિણ પશ્ચિમ દિશામાં અને ચોથો પશ્ચિમ ઉત્તર વિદિશામાં આ દરેક રતિકર પર્વત ઉંચાઈમાં દસ દસ હજાર યોજનાના છે. તેનો ઉદ્ધઘ એક હજાર યોજનનો છે, આ પર્વતો બધેજ સમ છે. તેનું સંસ્થાન-આકાર ઝાલર જેવું હોય એવા પ્રકારનું છે. તેની પહોળાઈ દસ યોજનની છે. 31662 યોજનનો તે દરેકનો પરિક્ષેપ છે. એ બધા રત્નમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy