SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ 102 જીવાજીવાભિગમ- સલ.સ. 178 વિશેષણો વાળું છે. એ દૂહની ઇશાન દિશામાં એક વિશાલ અભિષેક સભા છે. તે સભાનું પ્રમાણ સુધમાં સભાના પ્રમાણ જેટલું જ છે. એ બહુસમરમણીય ભૂમિભાગની વચમાં એક વિશાલ મણિપીઠિકા છે. આ મણિપીઠિકા લંબાઈમાં એક યોજનાની છે. અને તેનો વિસ્તાર અધયોજનનો છે. તે સર્વ રીતે મણિયોથી બનેલ છે. તથા આકાશ અને સ્ફટિક મહિના જેવી તે નિર્મલ છે. એ અભિષેક સભાની ઈશાન દિશામાં એક વિશાળ અલંકારિક સભા છે. એ અલંકારિક સભાની ઈશાન દિશામાં એક વિશાલ વ્યવસાય સભા છે. આ વ્યવસાય સભા અભિષેક સભાના જેટલા પ્રમાણ વાળી છે. વિજય દેવનું એક વિશાળ પુસ્તક રત્ન રાખવામાં આવેલ છે. તેના જે પેઠા છે તે રિઝ રત્નના બનેલ છે. તેના દોરા તપનીય સોનાના બનેલા છે. કે જેમાં પુસ્તકના પાના પરોવેલ છે. એ દરામાં અનેક મણિયોની ગાંઠો લગાડેલ છે. અંકરત્નમય તેના પાનાઓ છે. વૈર્ય રત્નના ખડિયા છે. તે ખડિયામાં જે સાંકળ લગાડેલ છે તે તપનીય સોનાની છે. તે ખડિયોનું જે ઢાંકણું છે તે રિઝ રત્નનું છે. અને તેમાં જે શાહી છે તે રિઝ રત્નની બનેલ છે. કલમ હજ રત્નની બનેલ છે. એ પુસ્તકમાં જે અક્ષરો લખેલા છે તે રિઝ રત્નના બનેલ છે. આ પુસ્તક રત્ન ધાર્મિક શાસ્ત્રનું છે. એ વ્યવસાય સભાની ઈશાન દિશામાં એક વિશાળ બલિપીઠ રાખવામાં આવેલ છે. એ બલિપીઠ લંબાઈ પહોળાઈમાં બે યોજનાનું છે. અને તેનો વિસ્તાર એક યોજનાનો છે. એ સર્વ રીતે ચાંદીનું બનેલ છે. યાવત્રતિરૂપ છે. આ બલિપીઠની ઈશાન દિશામાં એક વિશાલ નંદા પુષ્કરિણી છે. તે લંબાઈમાં ૧રા યોજનની છે. અને પહોળાઈમાં ઘી યોજનની છે. તથા તેનો ઉદ્દેધ દશ યોજનનો છે. [17] એ કાળ અને એ સમયમાં વિજય દેવ વિજય રાજધાનીની ઉપપાત સભામાં દેવ દૂષ્પથી અંતરિત દેવશય્યાની ઉપર આંગલના અસંખ્યાત ભાગમાત્ર અવગાહના વાળા શરીરથી વિજય દેવપણાથી ઉત્પન્ન થયા. તરતજ પાંચ પ્રકારની પયપ્તિયોથી પર્યાપ્ત બની ગયા. એ વિજય દેવના મનમાં આ પ્રમાણેનો આ આધ્યાત્મિક ચિંતિત, પ્રાર્થિત, મનોગત, સંકલ્પ ઉત્પન્ન થયો. મારે પહેલાં શું કરવું જોઈએ તે પછી વિજયદેવના સામાનિક દેવોએ વિજય દેવને ઉત્પન્ન થયેલ આ પ્રકારના સંકલ્પને જાણ્યો અને જાણીને તે પછી તેઓ જ્યાં તે વિજય દેવ હતા ત્યાં તેઓ આવ્યા ત્યાં આવીને તેઓએ વિજયદેવને બન્ને હાથ જોડીને તે પછી તેઓ એમને આ પ્રમાણે કહેવા લાગ્યા. આપ દેવાનુપ્રિયની વિજય રાજધાનીમાં આવેલાં સિદ્ધાયતનમાં તેનો ઉત્સધ જે અરિહંતનો જેટલો કહેવામાં આવેલ હોય એ પ્રમાણે છે. એ રીતે પોતપોતાના શરીર પ્રમાણ ઉંચાઈવાળી એવી 108 આઠ અરિહંત પ્રતિમાઓ ત્યાં સિદ્ધાયતનમાં બિરાજ માન છે. તથા સુધમસભામાં એક માણવક નામનો ચૈત્યતંભ છે. તેમાં વજના બનેલ ગોળ ગોળ સમુદ્ગકો છે. તેમાં જીનેન્દ્ર દેવોના હાડકા રાખવામાં આવેલા છે. એ હાડકા આપ દેવાનુપ્રિયને અને વિજય રાજધાનીમાં રહેલાવાળા બીજા દેવો અને દેવિઓને અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કારવા લાયક, સન્માનનીય, કલ્યાણકારી, મંગલકારી તથા દેવ સ્વરૂપ છે. એ પ્રમાણે માનીને પપાસના કરવા યોગ્ય છે. આપ દેવાનુપ્રિયે આ પહેલા પણ કરવા યોગ્ય છે અને બાદમાં પછીથી પણ કરવા યોગ્ય છે. આ પ્રમાણે કહીને ઘણા મોટા અવાજથી જય જય શબ્દોથી વધાવ્યા. તે પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy