SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ 90 ભગવાઈ-૩-૧૯૧ મનમાં એમ થાય છે કે, આ વારાણસી નગરી છે અને આ રાજગૃહ નગર છે, તથા એ બેની વચ્ચે આવેલો આ એક મોટો જનપદ વર્ગ છે, પણ તે મારી વિલિબ્ધિ, વૈકિયલબ્ધી કે વિર્ભાગજ્ઞાનલબ્ધી નથી, તથા મેં મેળવેલાં પ્રાપ્ત કરેલાં અને મારી પાસે રહેલાં અદ્ધિ, ઘુતિ, યશ, બળ, વીર્ય કે પુરુષાકાર પરાક્રમ નથી, તેવું તે સાધુનું દર્શનવિપરીત થાય છે તે કારણથી વાવતુતે, તે પ્રમાણે જાણે છે અને જૂએ છે. [192ii હે ભગવન! વારાણસી નગરીમાં રહેલો અમાયીસમ્યગ્દષ્ટિ ભાવિતાત્મા અનગાર વિલિબ્ધિથી, વૈક્રિયલબ્ધિથી, અને અવધિજ્ઞાનલબ્ધિથી રાજગૃહ નગરનું વિકુવણ કરીને રૂપોને જાણે અને જૂએ? હે ગૌતમ! હા, તે, તે રૂપોને જાણે અને જૂએ. હે ભગવન્! શું તે, તે રૂપોને તથાભાવે જાણે જૂએ. કે અન્યથાભાવે જાણે જૂએ? હે ગૌતમ! , તે રૂપોને તથાભાવે જાણે અને જૂએ, પણ અન્યથાભાવે ન જાણે અને જૂએ. હે ભગવન્! તેમ થવાનું શું કારણ? હે ગૌતમ ! તે સાધુના મનમાં એમ થાય છે કે, વારાણસી નગરીમાં રહેલો હું રાજગૃહ નગરની વિકુવણ કરીને રૂપોને જાણું છું, તથા જોઉં છું. તેવું તેનું દર્શન વિપરીતતા વિનાનું હોય છે, તે કારણથી હે ગૌતમ! તે તથાભાવે જાણે છે અને જુએ છે એમ કહ્યું છે. બીજે આલાપક પણ એરીતે કહેવો. વિશેષ એ કેવિકવણા વારાણસીની સમજવી અને રાજગૃહમાં રહીને જોવું જાણવું સમજવું સમજવું. ' હે ભગવનું ! અમાયી, સમ્યગ્દષ્ટિ ભાવિતાત્મા અનગાર વીયલબ્ધિથી, વૈક્રિયલબ્ધિથી અને અવધિજ્ઞાનલબ્ધિથી રાજગૃહ નગર અને વારાણસી નગરીની વચ્ચે એક મોટો જનપદ વર્ગ વિકર્વે અને પછી રાજગૃહ નગર અને વારણસી નગરીની વચ્ચે એક મોટા જનસમૂહવર્ગને જાણે અને જૂએ? હે ગૌતમ! હા, તે, તેને જાણે અને જૂએ. હે ભગવન્! શું તે સાધુ તેને તથાભાવે જાણે અને જૂએ. કે અન્યથાભાવે હે ગૌતમ! તે, તેને તથાભાવે જાણોઅને જૂએ.પણ અન્યથાભાવે ન જાણે ન જૂએ.હે ભગવનું તેનું શું કારણ? હે ગૌતમ ! તે સાધુના મનમાં એમ થાય છે કે, એ રાજગૃહ નગર નથી, એ વારાણસી. નગરી નથી અને એ બેની વચ્ચેનો એક મોટો જનપદ વર્ગ નથી, પણ એ મારી વીયલબ્ધિ, વૈક્રિયલબ્ધિ, કે અવધિજ્ઞાનલબ્ધિ છે; એ મેં મેળ- વેલાં, પ્રાપ્ત કરેલાં અને મારી પાસે રહેલાં ઋદ્ધિ, ઘુતિ, યશ, બળ, વીર્યને પુરુષાકાર પરાક્રમ છે, તેનું દર્શન અવિપરીત હોય છે. તે કારણથી હે ગૌતમ! એમ કહેવાય છે હે ભગવન્! ભાવિતાત્મા અનગાર બહારનાં પુગલો મેળવ્યા સિવાય એક મોટા ગામના રૂપને, નગરના રૂપને, યાવતુ-સંનિવેશના રૂપને વિકુવા સમર્થ છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે બીજો આલાપક કહેવો. વિશેષ એ કે, બહારનાં પુદગલોને મેળવીને તે સાધુ તેવાં રૂપૌને વિકવવાને સમર્થ છે. ભાવિતાત્મા અનગાર કેટલાં ગ્રામ રૂપોને વિકુવવાને સમર્થ છે? જેમ કોઈ એક યુવાન પુરુષ પોતાના હાથે યુવતિના હાથને મજબૂત પકડીને વાળે એ રીતે સાધુ ગ્રામયાવતું સંનિવેશરૂપોને વિકુર્વે. [૧૯૩હે ભગવન્! અસુરેંદ્ર, અસુરરાજ ચમરના આત્મરક્ષક દેવો કેટલા હજાર કહ્યા છે? હે ગૌતમ! ચમરના આત્મરક્ષક દેવો 256 હજાર છે, અહીં આત્મરક્ષક દેવોનું વર્ણન સમજવું, અને સઘળા ઇદ્રોમાં જેટલા આત્મરક્ષક દેવો હોય તે બધા સમજવા. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી વિહરે છે. શિતક-૩-ઉદ્દેસાદનીમુન દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy