SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ 84 ભગવાઈ- 3-3/178 [17] હે ભગવન્! પહેલાં ક્રિયા થાય અને પછી વેદના થાય કે પહેલાં વેદના થાય અને પછી ક્રિયા થાય? હે મંડિતપુત્ર! પહેલાં ક્રિયા થાય અને પછી વેદના થાય, પણ પહેલાં વેદના થાય અને પછી ક્રિયા થાય એમ ન બને. [18] હે ભગવન્! શ્રમણ નિગ્રંથોને ક્રિયા હોય ! હે મંડિતપુત્ર! હા હોય. હે ભગવન્! શ્રમણ નિગ્રંથોને કેવી રીતે ક્રિયા હોય ? હે મંડિતપુત્ર ! પ્રમાદને લીધે અને યોગના-શરીરાદિકની પ્રવૃત્તિ નિમિત્તે શ્રમણ નિગ્રંથોને પણ ક્રિયાઓ હોય છે. [181] હે ભગવન! જીવ, હંમેશાં માપપૂર્વક કરે છે. વિવિધ રીતે કરે છે. એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય છે, સ્પંદન ક્રિયા કરે છે, બધી દિશાઓમાં જાય છે, ક્ષોભ પામે છે, પ્રબળતાપૂર્વક પ્રેરણા કરે છે અને તે તે ભાવને પરિણમે છે? હે મંડિતપુત્ર ! હા, જીવ હમેશાં માપપૂર્વક કંપે છે, અને તે તે ભાવને પરિણમે છે. હે ભગવન ! જ્યાંસુધી તે જીવ, હંમેશાં માપપૂર્વક કંપે છે તે તે ભાવને પરિણમે છે, ત્યાં સુધી તે જીવની મરણ સમયે અંતક્રિયા- તેની મુક્તિ થાય? હે મંડિતપુત્ર ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એમ કહેવાનું શું કારણ? હે મંડિતપુત્ર ! જ્યાંસુધી તે જીવ, હંમેશાં માપપૂર્વક કંપે છે યાવતુતે તે ભાવને પરિણમે છે ત્યાં સુધી તે જીવ, આરંભ કરે છે, સંરંભ કરે છે, સમારંભ કરે છે, આરંભમાં વર્તે છે, સંરંભમાં વર્તે છે, સમારંભમાં વર્તે છે અને તે આરંભ કરતો, સંરંભ કરતો, સમારંભ કરતો તથા આરંભમાં વર્તતો, સંરંભમાં વર્તતો અને સમારંભમાં વર્તતો જીવ, ઘણા પ્રાણોને, ભૂતોને, આવોને અને સત્ત્વોને દુઃખ પમાડવામાં, શોક કરાવવામાં, ઝૂરાવવામાં ટિપાવવામાં, પિટાવવામાં ત્રાસ પમાડવામાં અને પરિતાપ કરાવવામાં વર્તે છે. તે કારણે એમ કહ્યું કે, જ્યાં સુધી તે જીવ, માપપૂર્વક કંપે છે યાવતુ તે તે ભાવને પરિણમે છે ત્યાં સુધી તે જીવની મરણ સમયે મુક્તિ ન થાય. હે ભગવન્! જીવ, હંમેશા સમિત ન કંપે અને યાવતુ તે તે ભાવને ન પરિણમે? અથતુ જીવ નિષ્ક્રિય પણ હોય? હે મંડિતપુત્ર ! હા, જીવ હંમેશાં સમિત ન કંપે અને થાવતુ- તે તે ભાવને ન પરિણમે અથતુિ જીવ નિષ્ક્રિય હોય. હે ભગવન ! જ્યાં સુધી તે જીવ, ન કંપે યાવતુ-તે તે ભાવને ન પરિણમે ત્યાં સુધી તે જીવની મરણ સમયે મુક્તિ થાય ? હે મંડિતપુત્ર! હા, એવા જીવની મુક્તિ થાય. હે ભગવન્! તેનું શું કારણ? હે મંડિતપુત્ર ! જ્યાંસુધી તે જીવ, હમેશાં સમિત ન કંપે ધાવતુ-તે તે ભાવને ન પરિણમે ત્યાંસુધી તે જીવ, આરંભ કરતો નથી, સંભ કરતો નથી, સમારંભ કરતો નથી, આરંભમાં વર્તતો નથી, સંરંભમાં વર્તતો નથી. સમારંભમાં વર્તતો નથી અને તે આરંભ ન કરતો, સંરંભ ન કરતો, સમારંભ ન કરતો, તથા આરંભમાં ન વર્તતો નથી, સમારંભમાં ન વર્તતો, જીવ બહુ પ્રાણોને, ભૂતોને, જીવોને અને સત્ત્વોને દુઃખ પમાડવામાં નિમિત્ત થતો નથી. જેમ કોઈ કોઈ એક પુરુષ હોય અને તે સૂકા ઘાસના પૂળાને અગ્નિમાં નાખે. તો હે મંડિતપુત્ર! અગ્નિમાં નાખ્યો કે તુરતજ તે સૂકા ઘાસનો પૂળો બળી જાય, એ ખરું કે નહીં? હા, તે બળી જાય. વળી જેમ કોઈ એક પુરુષ હોય, અને તે, પાણીના ટીપાને તપેલા લોઢાના કડાયા ઉપર નાખે. તો હે મંડિતપુત્ર ! તપેલા લોઢાના કડાયા ઉપર નાખ્યું કે તુરતજ તે તે પાણુંનબીંદુ નાશ પામે, એ ખરું કે નહિ ? હા, તે નાશ પામી જાય. આ પછી જેમ કોઈ એક ઝરો હોય પાણીથી ભરેલો હોય, પાણીથી છલોછલ ભરેલો હોય, પાણીથી છલકાતો હોય, પાણીથી વધતો હોય, તથા ભરેલ ઘડાની પેઠે બધે સ્થાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy