SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩, ઉદેસી-૨ થાવતું સૌધર્મકલ્પસુધી જાય છે. પણ તે સિવાય જતા નથી. હે ભગવન્! શું બધાય અસુરકુમારો યાવતુ-સૌધર્મકલ્પ સુધી ઉંચે જાય છે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. કિંતુ દ્રવ્ય ઋદ્ધિવાળા અસુરકુમાર દેવો ઉંચે સૌધર્મકલ્પ સુધી જાય છે. હે ભગવન્! શું એ અસુરેંદ્ર, અસુરરાજ ચમર પણ કોઇવાર પૂર્વે ઉપર યાવતુ-સૌધર્મકલ્પસુધી ગએલો છે? હે ગૌતમ ! હા, હે ભગવન! નીચે રહેતો અસરે, અસુરરાજ ચમરે કેવો મોટો ઋદ્ધિવાળો છે, કેવો મોટો કાંતિવાળો છે અને વાવતું તેની તે સદ્ધિ ક્યાં ગઈ? હે ગૌતમ! ફૂટકારશાલા માફક જાણવું [172] હે ભગવન્! અસુરેંદ્ર, અસુરરાજ ચમરે તે દિવ્ય દેવઋદ્ધિ અને યાવતુ-તે બધું કેવી રીતે લબ્ધ કર્યું. કેવી રીતે પ્રાપ્ત કર્યું, અને કેવી રીતે સામે આપ્યું? હે ગૌતમ ! તે કાળે તે સમયે આજ જંબૂઢીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં વિંધ્ય નામે પહાળની તળેટીમાં ભેલ નામનો સંનિવેશ હતો. તે વેલેલ નામે સંનિવેશમાં પૂરણ નામની ગૃહપતિ રહેતો હતો. તે આર્યો અને દીપ્ત હતો. તામલી તપસ્વીની પેઠે આ પૂરણની પણ વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે, ચાર ખાનાવાળું કાષ્ટનું પાત્ર કરીને યાવતુ-વિપુલ ખાનપાન, ખાદિમ અને સ્વાદિમ- વાવતુ પોતાની મેળેજ તે ચારખાનાવાળું લાકડાનું પાત્ર લઈને, મુંડ થઈને. દાનામા' નામની પ્રવ્રજ્યા વડે તે પૂરણ ગૃહપતિ ધ્વજિત થયો. યાવતુ-તે પૂરણ તપસ્વી આતાપન ભૂમિથી નીચે આવી. પોતાની મેળેજ તે ચાર ખાનાવાળું પાત્ર લઈ તે વેભેલ નામના સન્નિવેશમાં ઉંચા નીચા અને મધ્યમ કુળોમાં ભિક્ષા લેવાની વિધિપૂર્વક ભિક્ષા માટે કર્યો. અને ભિક્ષાના નીચે પ્રમાણે ચાર ભાગો કય-જે કાંઈ મારા પાત્રના પહેલા ખાનામાં આવે તે મારે વટેમાર્ગુઓને દેવું.જે કાંઈ મારા. પાત્રના બીજા ખાનામાં આવે તે માટે કાગડાઓને અને કુતરાઓને ખવરાવવું, જે કાંઈ મારા પાત્રના ત્રીજા ખાનામાં પડે તે માટે માછલાંઓને અને -કાચબાઓને ખવરાવી દેવું અને જે કાંઇ મારા ચોથા ખાનામાં પડે તે માટે ખાવાને કલ્ય છે એમ કહીને એમ વિચારીને કાલ પ્રકાશવાળી રાત્રી થયા પછી-અહીં બધું પૂર્વ પ્રમણેજ કહેવું. યાવતુ-જે મારા ચોથા ખાનામાં પડે તે પોતે આહાર કરે છે. પછી પૂરણ નામે બાલતપસ્વી, તે ઉદાર, વિપુલ, પ્રદત્ત અને પ્રગાહીત બાલતપકર્મવડે અહીં બધું પૂર્વ પ્રમાણેજ કહેવું, વાવતુ તે વેભેલ નામના સંનિવેશ વચોવચ નીકળે છે, નીકળી પાવડી તથા કુંડી વગેરે ઉપકરણોને ચારખાનાવાળા લાકડાના પાત્રને એકાંતે મૂકી, તે વેભેલ સંનિવેશથી અગ્નિખૂણે અધિનિવર્સેનિક મંડળને આળખે છે. આળેખી, સંલેષણા જૂસણથી જૂષિત થઈ, ખાન તથા પાનનો ત્યાગ કરી પાદોપગમન નાનું અનશન સ્વીકારી દેવગત થયા. હે ગૌતમ ! તે કાળે, તે સમયે હું છઘાવસ્થામાં હતો અને મને દીક્ષા લીધે અગીયાર વર્ષ થયા હતાં. તથા હું નિરંતર છઠ્ઠછઠ્ઠના તપકર્મપૂર્વક સંયમ અને તપવડે આત્માને ભાવતો, પૂવનપૂર્વીએ ચરતો અને ગામોગામ ફરતો જે તરફ સંસમારપુર નગર છે, જે તરફ અશોક વનખંડ છે, જે તરફ ઉત્તમ અશોકનું વૃક્ષ છે અને જે તરફ પૃથિવીશિલાપટ્ટક છે તે તરફ આવ્યો અને પછી તે અશોકના ઉત્તમ વૃક્ષની હેઠળ પૃથિવીશિલાપટ્ટક ઉપર મેં અઠ્ઠમનો તપ આદર્યો. તથા હું બન્ને પગને ભેળા કરીને, હાથને નીચા નમતા લાંબા કરીને અને માત્ર એક પુલ ઉપર નજર માંડીને, આંખોને, ફફડાવ્યા સિવાય જરાક શરીરને આગળના ભાગમાં નમતું મેલીને, યથાસ્થિત ગોત્રવડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy