SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-, ઉદેસી-૧ અને નિઃશ્રેયસનો ઈચ્છુક છે, માટે હે ગૌતમ ! તે સનકુમાર ઈદ્ર ભવસિદ્ધક છે યાવતુ-તે ચરમ છે, પણ અચરમ નથી. હે ભગવન! દેવેંદ્ર, દેવરાજ સનકુમારની સ્થિતિ કેટલા કાળ સુધીની કહી છે? હે ગૌતમ ! તેની સ્થિતિ સાત સાગરોપમની કહી છે હે ભગવનું! તેની આવરદા પૂરી થયા પછી તે, દેવલોકથી ચ્યવી વાવતુ-ક્યાં ઉત્પન થશે? હે ગૌતમ ! તે મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે, યાવતુ-તેનાં સર્વ દુઃખનો નાશ કરશે. હે ભગવન્! તે એ પ્રમાણે છે. [168-169] તિષ્યક શ્રમણનો તપ છઠ્ઠ અને એક માસનું અનશન છે. કુદત્ત શ્રમણનો તપ અઠ્ઠમ અને અડધા માસનું અનશન છે. તિક શ્રમણનો સાધુ પર્યાયિ આઠ વર્ષનો અને કુરદત્ત શ્રમણનો સાધુ પર્યાય છ માસનો છે અર્થાતુ એ બે શ્રમણોને લગતી બીના આ ઉદેશમાં આવી છે. બીજી વિગત-વિમાનોની ઉંચાઈ, ઈદ્રનું ઈદ્રની પાસે જવું, જોવું, સંલાપ, કાર્ય, વિવાદની ઉત્પતિ, તેનો નિવેડો અને સનકુમારમાં ભવ્યપણું, એ બીનાઓ પણ આ ઉદ્દેશકમાં કહી છે. મોકા સમાપ્ત શિતકઃ ૩-નાઉદેસાઃ ૧-નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ] (-ઉદેશક૨:-) [170] તે કાળે. તે સમયે રાજગૃહ નામનું નગર હતું. યાવતું સભા પÚપાસના કરે છે. તે કાળે તે સમયે અસુરેંદ્ર, અસુરરાજ ચમર, ચમરચચાનામની રાજધાનીમાં સુધમસિભામાં અમર નામના સિંહાસનમાં બેઠેલો તથા ચોસઠહજાર સામાનિક દેવોથી વીંટાએલો (ત) નાટ્યવિધિને દેખાડીને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયો. “હે ભગવન્!' એમ કહી ભગવનુ ગૌતમ, શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે, નમે છે, અને આ પ્રમાણે બોલ્યાઃ- હે ભગવન્! રત્નપ્રભા પૃથિવીની નીચે અસુરકુમાર દેવો રહે છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી એ પ્રમાણે યાવત-સાતમી પૃથિવીની નીચે, સૌધર્મકલ્પ તથા બીજા કલ્પોની નીચે અસુરકુમાર દેવો રહેતા નથી. હે ભગવનું ! ઈષત્રાગભારા પૃથિવીની નીચે અસુરકુમાર દેવો રહે છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન! ત્યારે કહ્યું એવું પ્રસિદ્ધ સ્થાન છે કે, જ્યાં અસુરકુમાર દેવો નિવાસ કરે છે ? હે ગૌતમ ! એક લાખ અને એંશી હજાર યોજનની જાડાઈવાળા આ રત્નપ્રભા પૃથિવીના મધ્યભાગે તે અસુરકુમાર દેવો રહે છે. અહીં અસુરકુમાર દેવો સંબંધી વક્તવ્યતા કહેવી. અને તેઓ દિવ્યભોગોને ભોગવતા વિહરે છે. હે ભગવન્! તે અસુરકુમારોમાં એવું સામર્થ્ય છે કે તેઓ પોતાના સ્થાનથી નીચે જઈ શકે? હે ગૌતમ હા, સામર્થ્ય છે. હે ભગવન્! તે અસુરકમારો પોતાના સ્થાનથી કેટલા ભાગ સુધી નીચે જઈ શકે છે? હે ગૌતમ ! સાતમી પૃથિવી સુધી. તેઓની નીચે જવાની માત્ર આટલી શક્તિ છે. પરંતુ તેઓ ત્યાંસુધી કોઈવાર ગયા નથી, જશે નહિ, અને જાતા પણ નથી. કિંતુ ત્રીજી પૃથિવી સુધી જાય છે, ગયા છે અને જશે પણ ખરા. હે ભગવન્! તે અસુરકુમારો ત્રીજી પૃથિવીસુધી જાય છે, ગયા છે, અને જશે તેનું કારણ? હે ગૌતમ! પોતાના પૂર્વના વૈરીને વેદના દેવા, પોતાના જૂના સોબતીઓને સુખી કરવા એ કારણથી અસુરકુમાર દેવો ત્રીજી પૃથિવી સુધી ગયા છે, જાય છે તથા જશે. હે ભગવન્! તે અસુરકુમારોમાં એવું સામર્થ્ય છે કે તેઓ પોતાના સ્થાનથી તિર્લ્ડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy