SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ 71 શતક-૩, ઉદેસો-૧ ઉદાર, વિપુલ, યાવતુ-ઉદગ્ન, ઉદર, ઉત્તમ અને મહાપ્રભાવલિ તપકર્મવડે સુકાઈ ગયો છું, રૂક્ષ થયો છું, અને વાવતુ-મારી બધી નસો શરીર ઉપર દેખાઈ આવી છે. માટે જ્યાં સુધી મને ઉત્થાન છે. કર્મ છે, બળ છે, વીર્ય છે અને પુરુષાકાર પરાક્રમ છે ત્યાં સુધી મારું શ્રેય એમાં છે કે હું કાલે જ્વલંત સૂર્યનો ઉદય થયા પછી તામ્રલિપ્તી નગરીમાં જઈ મેં દેખીને બોલાવેલા પુરુષોને, પાખંડોને, ગૃહસ્થોને, મારા આગળના ઓળખિતાઓને, તપસ્વી થયા પછીના મારા પૂછીને, તામ્રલિપ્તી નગરીની વચોવચ નીકળીને, ચાખડી, કુંડી વગેરે ઉપકરણોને અને લાકડાના પાતરાને એકાંતે મૂકી તામ્રલિપ્તી નગરીના ઉત્તરપૂર્વના દિભાગમાં ઇશાનખૂણામાં, નિર્વતિનિક મંડળને આળખી સંલેખના તપવડે આત્માને સેવી, ખાવા પીવાનો ત્યાગ કરી, વૃક્ષની પેઠે સ્થિર રહી, કાળની અવકાંક્ષા સિવાય વિહરવું શ્રેયસકર છે. એમ વિચારી કાલે જ્વલંત સૂર્યનો ઉદય થયા. પછી. પૂછે છે. તેઓને પૂછી તે તામલી તપસ્વીએ પોતાના ઉપકરણોને એકાંતે મૂક્યાં. થાવતૃ-તેણે આહારપાણીનો ત્યાગ કર્યો અને પાદોપગમન નામનું અનશન કર્યું. [11] તે કાળે તે સમયે બલિચંચા રાજધાની છે અને પુરોહિત વિનાની હતી. ત્યારે તે બલિચંચા રાજધાનીમાં વસનારા ઘણા અસુરકુમાર દેવોએ અને દેવીઓએ તે તામલી બાલતપસ્વીને અવધિવડે જોયો, જોયા પછી તેઓએ એક બીજાને બોલાવી આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયો ! આપણે બધા ઈંદ્રને તાબે રહેનારા તથા અધિષ્ઠિત છીએ, આપણું બધું કાર્ય ઈન્દ્રને તાબે છે હે દેવાનુપ્રિયો ! આ તામલી બોલતપસ્વી તામ્રલિપતી. નગરીની બહાર ઈશાન ખૂણામાં નિર્વતનિક મંડળને આળેખી, સંલેખનાવડે આત્માને સેવી, ખાવા પીવાનો ત્યાગ કરી અને પાદપોપગમન અનશનને ધારણ કરીને રહ્યો છે. તો આપણે એ શ્રયરૂપ છે કે, હે દેવાનુપ્રિયો ! તે તામલી બોલતપસ્વીને બલિચંચા, રાજધાનીમાં ઈદ્ર તરીકે આવવાનો સંકલ્પ કરાવીએ એમ કરીને પરસ્પર એક બીજાની પાસે એ વાતને મનાવીને તે બધા અસુરકુમારો બલિચંચા રાજધાનીના મધ્યભાગમાંથી નીકળી તે તરફ રુચકેંદ્ર ઉત્પાત પર્વત છે તે તરફ આવે છે. આવી વૈક્રિયસમુદ્દઘાતવડે સમવહણીને ઉત્તરવૈક્રિયરૂપોને વિક્ર્વી ઉત્કૃષ્ટ ત્વરિત, ચપલ, ચંડ, જયવતી નિપુણ, સિંહ જેવી, ઊંઘ ઉપૂત અને દિવ્ય દેવગતિવડે તિરછા અસંખ્યય દ્વીપ સમુદ્રોની વચોવચ જે તરફ જંબદ્વીપ નામે દ્વીપ છે, જે તરક ભારતવર્ષ છે. તે તરફ આવ્યા. આવી તામલી બોલતપસ્વીની ઉપર, સમક્ષ સપ્રતિદિશે અથતુ બરાબર સામે રહી દિવ્ય દેવઋદ્ધિને દિવ્ય દેવકાંતિને, દિવ્ય દેવપ્રભાવને અને બત્રીશ જાતના દિવ્ય નાટકવિધિને દેખાડી, તામલી બાલતપસ્વીને ત્રણવાર પ્રદક્ષિણા કરી, વાંદી અને નમી તે અસુરકુમાર દેવો આ પ્રમાણે બોલ્યા છેઃ હે દેવાનુપ્રિય અમે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને ઘણી અસુરકુમાર દેવીઓ આપને વાંદીએ છીએ. નમીએ છીએ. અને આપની પર્ધપાસના કરીએ છીએ. હે દેવાનુપ્રિયો ! હાલ અમારી બલિચંચા રાજધાની ઈદ્ર અને પુરોહિત વિનાની છે અને હે દેવાનુપ્રિય ! અમે આ બધા ઈન્દ્રને તાબે રહેનારા છીએ અને અમારું કાર્ય પણ ઈદ્રને તાબે છે. તો હે દેવાનુપ્રિય ! તમે બલિચંચા રાજધાનીનો આદર કરો, તેનું સ્વામિપણું સ્વીકારો, તેને મનમાં લાવો, તે સંબંધી નિશ્ચય કરો, નિદાન કરો અને બલિચંચા રાજધાનીના સ્વામી થવાનો સંકલ્પ કરો. જો તમે અમે કહ્યું તેમ કરશો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy