SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨, ઉદેસી-૫ 57 આપ્યા ત્યારે તેઓએ હર્ષવાળા અને સંતુષ્ટ થઈ તે સ્થવિર ભગવંતોને વાંદી નમી, બીજા પણ પ્રશ્નો પૂછયા અને તેઓના અર્થોને અવધાય. પછી ઉઠીને તે સ્થવિરોને ત્રણ પ્રદક્ષિણા દઈને, વાંદી, નમી તે સ્થવિરો પાસેથી અને પુષ્પાવતી નામના ચૈત્યથી નીકળી. તેઓ જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ગયા અને તે સ્થવિરોએ પણ અન્ય કોઇ દિવસે તુંગિકા નગરીથી, પુષ્પવતી નામના દૈત્યથી બહાર નીકળી જનપદ વિહારે વિહાર કર્યો. 134 તે કાળે તે સમયે રાજગૃહ નામનું નગર હતું, સભા પાછી ફરી. તે કાળે તે સમયે શ્રમણભગવંત મહાવીરના મોટા શિષ્ય દ્વિભૂતિ નામના અનગાર હતા, જેઓ સંક્ષિપ્ત અને વિપુલ તેજલેશ્યાવાળા હતા અને જેઓ નિરંતર છઠ્ઠ છઠ્ઠના તપકર્મ પૂર્વક સંયમને અને તપવડે આત્માને ભાવતા વિહરે છે. પછી તે ભગવાન્ ગૌતમ છઠ્ઠના પારણાને દિવસે પહેલી પૌરૂષીએ સ્વાધ્યાય કરે છે, બીજી પૌરૂષીએ ધ્યાન ધ્યાવે છે અને ત્રીજી પૌરુષીએ શારીરિક તથા માનસિક ચપળતા રહિત થઈ અસંભ્રાત જ્ઞાનવાળા તે ગૌતમ ભગવંત મુહપત્તીને પડિલેહે છે, પછી ભોજન કરવાના પાત્રોને અને વસ્ત્રોને પડિલેહે છે, પાત્રોને લઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસે આવી, નમી, વાંદી તે ગૌતમ અનગારે આ પ્રમાણે કહ્યું કે - હે ભગવનું આજે છઠ્ઠના પારણાને દિવસે આપની આજ્ઞા હોય તો હું રાજગૃહ નગરમાં ઉચ્ચ, નીચ અને મધ્યમ વર્ગના કુલોમાં ભિક્ષા મેળવવા માટે જવાને ઇચ્છું છું. દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર, પ્રતિબંધ ન કર. શ્રમણભગવંતમહાવીરની આજ્ઞા મળ્યા પછી ભગવાન ગૌતમ શ્રમણભગવંત મહાવીરની. પાસેથી, ગુણશીલક નામના ચૈત્યથી નીકળે છે નીકળી શારીરિક અને માનસિક ઉતાવળને છોડી દઈ અસંભ્રાત જ્ઞાનવાળા તે ભગવાન્ ગૌતમ યુગાંતર (સાડાત્રણ હાથ) દ્રષ્ટિથી ઈસમિતિને પાળતા પાળતા રાજગૃહ નગરમાં આવી ત્યાં રહેલ ઉચ્ચ, નીચ અને મધ્યમ કુટુંબોમાં વિધિપૂર્વક ભિક્ષા માટે ફરે છે. ત્યાં રાજગૃહ નગરમાં ભિક્ષાને માટે ફરતા ભગવાન ગૌતમે ઘણા માણસોના મોઢે આ પ્રમાણે સાંભળ્યું કે - હે દેવાનુપ્રિય ! તુંગિકા નગરીથી બહાર, પુષ્પવતી. નામના ચૈત્યમાં પાર્શ્વનાથના શિષ્યો સ્થવિર ભગવંતો પધાર્યા હતા અને ત્યાંના શ્રાવકોએ તેઓને આ પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા કે- ભગવન્! સંયમનું ફળ શું છે? તપનું શું ફળ છે? ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે શ્રમણપાસકોને આ પ્રમાણે જવાબ આપ્યો કે - હે આયો ! આમ્રવરહિતપણે એ સંયમનું ફળ છે અને કર્મનો નાશ કરવો એ તપનું ફળ છે અને પૂર્વના તપવડે, પૂર્વના સંયમવડે, કમિપણાથી અને સંગિપણાને લીધે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. એ વાત સાચી છે માટે કહી છે પણ અમારા અભિમાનથી કહી નથી, એ તે એ પ્રમાણે કેમ મનાય ? એ પ્રકારની વાત લોકોના મોઢેથી. સાંભળી શ્રમણભગવંત ગૌતમ ! તે વાતની જિજ્ઞાસામાં શ્રદ્ધાવાળા થયા અને તે વાતને માટે તેઓને આશ્ચર્ય લાગ્યું. હવે ભગવનું ગૌતમ જોઈએ તેટલી ભિક્ષા મેળવીને, રાજગૃહ નગરથી બહાર નીકળી, ધીરે ધીરે ઇસમિતિને પાળતા ગુણશિલક નામના ચૈત્ય તરફ શ્રમણભગતવમહાવીરની પાસે આવ્યા, આવીને તેઓની પાસે રહી જવા આવવા સંબંધી અતિચારોનું ચિંતવન કરી તથા ભિક્ષા લેતા દોષોનું આલોચન કર્યું. પછી લાવેલો આહાર અને પાણી શ્રમણભગવંતમહાવીરની દ્રષ્ટિએ પાડી અને પછી તેઓ આ પ્રમાણે બોલ્યા કેઃ- હે ભગવન્! જ્યારે હું આપની આજ્ઞાથી રાજગૃહ નગરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy