SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ ભગવાઈ - ૨પ/૧૨૭ શોભાયમાન કરતો. તે સ્વરૂપવાન દેવ થાય છે અને ત્યાં તે દેવ બીજા દેવો સાથે તથા બીજા દેવની દેવીઓ સાથે તેઓને વશ કરીને પરિચારણા કરે છે તેમજ પોતાની દેવીઓને વશ કરીને પરિચારણા કરે છે. પણ પોતે પોતાના બે રૂપ બનાવીને પરિચારણા કરતો નથી. એક જીવ એક વેદને અનુભવે છે- સ્ત્રીવેદ, કે પુરુષ વેદ. જે સમયે સ્ત્રીવેદને વેદે છે, તે સમયે પુરુષવેદને નથી વેદતો. જે સમયે પુરુષવેદને વેદે છે તે સમયે સ્ત્રીવેદને નથી વેદતો. ત્રીવેદના ઉદયથી પુરુષવેદને નથી વેદતો. પુરુષ-વેદના ઉદયથી સ્ત્રીવેદને નથી વેદતો. માટે એક જીવ એક સમયે એક વેદને વેદે છે. તે આ પ્રમાણે - સ્ત્રીવેદ, કે પુરષદ. જ્યારે સ્ત્રીવેદનો ઉદય થાય ત્યારે સ્ત્રી પુરુષને પ્રાર્થે છે અને જ્યારે પુરુષવેદનો ઉદય થાય ત્યારે પુરુષ સ્ત્રીને પ્રાર્થે છે. [124] હે ભગવન્! ઉદક ગર્ભ એ કેટલા સમય સુધી ઉદક ગર્ભ રૂપે રહે? હે ગૌતમ ! તે ઓછામાં ઓછું એક સમય સુધી અને વધારેમાં વધારે છ મહિના સુધી ઉદક ગર્ભ રૂપે રહે હે ભગવન્! તિર્થગ્યોનિકગર્ભ એ કેટલા સમય સુધી તીર્થગ્યોનિક ગર્ભરૂપે રહે? હે ગૌતમ! તે ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે આઠ વરસ સુધી તિર્યંગ્યોનિક ગર્ભરૂપે રહે. હે ભગવન્! મનુષીગર્ભ એ કેટલા સમય સુધી મનુષીગર્ભરૂપે રહે ? હે ગૌતમ ! તે ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે બાર વરસ સુધી મનુષીગર્ભ રૂપે રહે. f125] હે ભગવન્! કાયભવસ્થ એ કેટલા સમય સુધી કાયભવસ્થ” રૂપે રહે? હે ગૌતમ ! તે ઓછામાં ઓછું અંતમુહૂર્ત સુધી અને વધારેમાં વધારે ચોવીશ વરસ સુધી. [12] હે ભગવન્! મનુષી અને પંચેન્દ્રિય તિર્યંચણી સંબંધી યોનિગત બીજ તે કેટલા કાળ સુધી થોનિભૂત રૂપે રહે. હે ગૌતમ ! તે ઓછામાં ઓછું અંતરમુહૂર્ત સુધી અને વધારેમાં વધારે બારમૂહૂત યોનિભૂત રૂપે રહે છે. [127] હે ભગવાન! એક જીવ એક ભવમાં કેટલાં નો પુત્ર થાય? હે ગૌતમ! એક જીવ ઓછામાં ઓછા એકનો કે ત્રણનો અને વધારેમાં વધારે બસંથી નવસેનો પુત્ર થાય. [12] હે ભગવન્! એક જીવને એક ભવમાં કેટલા પુત્રો થાય? હે ગૌતમ ! ઓછામાં ઓછા એક, બે કે ત્રણ અને વધારેમાં વધારે બેથી નવલાખ જેટલા પુત્ર થાય. હે ભગવન્! તેમ થવાનું શું કારણ? હે ગૌતમ! સ્ત્રી અને પુરુષને કર્મફત યોનિમાં મૈથુનીક નામનો સંયોગ ઉત્પન્ન થાય છે. ત્યારપછી તે બને વીર્ય અને લોહીનો સંબંધ કરે છે અને પછી તેમાં ઓછામાં ઓછા એક, બે કે ત્રણ અને વધુમાં વધુ નવ લાખ સુધી જીવો પુત્ર તરીકે ઉત્પન્ન થાય છે. હેગૌતમ! તે માટે પૂર્વ પ્રમાણે કહ્યું છે. [129] હે ભગવન્! મૈથુનને સેવતા મનુષ્યને કેવા પ્રકારનો અસંયમ હોય ? હે ગૌતમ! જેમ કોઈ એક પુરુષ હોય અને તે તપાવેલા સોનાના સળીયા વડે રૂઈની નળીને કે બલોખાંની નળીને બાળી નાખે. હે ગૌતમ ! તેવા પ્રકારના મૈથુનને સેવતા મનુષ્યને અસંયમ હોય. હે ભગવન્! તે એ પ્રમાણે છે એમ કહી વિહરે છે. [130 ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહ નગરથી, ગુણશિલક નામના ચૈત્યથી નીકળી બહાર જનપદ વિહારે વિહરે છે. તે કાળે તે સમયે તુંગિકા નામની નગરી હતી. તે તુંગિકા નગરીમાં ઉત્તર અને પૂર્વના દિભાગમાં પુષ્પવતી નામનું ચૈત્ય હતું. ત્યાં તંગિકા નગરીમાં ઘણા શ્રાવકો રહેતા હતા. તે શ્રાવકો અઢળક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy