SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩૫, ઉસો -1 503 (શતક 31 ) ઉદ્દેશો-૧ [1003] હે ભગવન્! શુદ્ધ યુગ્મો કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ! ચાર. કતયુગ્મ, શ્રોજ, દ્વાપરયુગ્મ અને કલ્યો. હે ગૌતમ ! તે સંખ્યામાંથી ચાર ચારનો અપહાર કરતાં છેવટે ચાર બાકી રહે તે સંખ્યાને ક્ષુદ્ર કૃતયુગ્મ કહેવાય છે. જે સંખ્યામાંથી ચાર ચારનો અપહાર કરતાં છેવટે ત્રણ બાકી રહે તે સંખ્યાને મુક ચોક કહેવામાં આવે છે, જે સંખ્યામાંથી ચાર ચારનો અપહાર કરતાં છેવટે બે બાકી રહે તે સંખ્યાને ભદ્ર દ્વાપરયુગ્મ કહેવામાં આવે છે. અને જે સંખ્યામાંથી ચાર ચારનો અપહાર કરતાં છેવટે એક બાકી રહે તે સંખ્યા શુદ્ર કલ્યોજ કહેવાય છે. હે ભગવન ! શુદ્ર કતયુગ્મ રાશિ પ્રમાણ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! તેઓ નારયિકોથી આવી ઉત્પન્ન થતા નથી, ઈત્યાદિ નૈરયિકોનો ઉપરાંત જેમ વ્યુત્ક્રાન્તિ પદમાં કહ્યો છે તેમ અહીં જાણવો. તે જીવો એક સમયે ચાર, આઠ, બાર, સોળ અથવા સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. હું ભગવન! તે જીવો કેવી રીતે ઉપજે? હે ગૌતમ ! જેમ કોઈ કૂદનાર કૂદતો ઈત્યાદિ પચીશમાં શતકના આઠમા ઉદ્દેશકમાં નૈરયિક સંબંધે જે વક્તવ્યતા કહી છે તે અહીં પણ કહેવી. યાવતુ તે આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે, પણ પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી. હે ભગવન્! ક્ષુદ્ર તયુગ્મરાશિ પ્રમાણ રત્નપ્રભાના નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! જેમ સામાન્ય નૈરયિકોની વક્તવ્યતા કહી છે તેમ રત્નપ્રભાના નૈરયિકોની પણ કહેવી. યાવતુ-તે પરપ્રયોગથી ઉપજતા નથી. એમ શર્કરામભા અને ધાવતુ અધક સપ્તમ પ્રથિવ સંબંધે પણ જાણવું. એ રીતે વ્યુત્ક્રાન્તિ પદમાં કહ્યા પ્રમાણે અહીં ઉપપાત કહેવો. અસલી જીવો પહેલી નરક સુધી, સર્પો બીજી નરક સુધી અને પક્ષીઓ ત્રીજી નરક સુધી જાય છે -ઈત્યાદિ ગાથા વડે ઉપપાત કહેવો. ક્ષુદ્ર સ્રોજરાશિ પ્રમાણ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! વ્યુત્ક્રાન્તિ પદમાં કહ્યા પ્રમાણે ઉપપાત કહેવો. તે જીવો એક સમયે ત્રણ, સાત, અગિયાર, પંદર, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. બાકી બધું કયુગ્મ નૈરયિકોની પેઠે જાણવું. એ પ્રમાણે યાવતુ-સપ્તમ નરકમૃથિવી સુધી જાણવું. યુદ્ધ દ્વાપરયુગ્મ પ્રમાણ નૈરયિકોની ઉત્પત્તિ સંબંધે જેમ શુદ્ર કૃતયુગ્મ સંબંધે કહ્યું છે તેમ સમજવું. પરન્તુ પરિમાણ-બે છે, દશ, ચૌદ, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવતુ-અધ સપ્તમ નરપૃથિવી સુધી જાણવું. હે ભગવન્! મુકકલ્યોજ રાશિ પ્રમાણ નેરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃચ્છા. જેમ ક્ષુદ્ર કૃતયુગ્મ સંબંધે કહ્યું છે તેમ આ સંબંધે પણ સમજવું. પરન્ત પરિમાણમાં એક, પાંચ, નવ, તેર, સંખ્યાતા અથવા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે વાવતુ-સાતમી નરકમૃથિવી સુધી સમજવું. (શતક: ૩૧-ઉદેસા 2) [1004] હે ભગવન્! યુદ્ધકૃતયુગ્મરાશિપ્રાણ કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે-ઈત્યાદિ પૃચ્છા. ઔધિક ગામમાં કહ્યા પ્રમાણે અહીં પણ જાણવું, યાવતુ-પરપ્રયોગથી ઉપજતા નથી. પણ વિશેષ એ કે, વ્યુત્ક્રાંતિપદમાં કહ્યા પ્રમાણે ઉપપાત કહેવો અને ધૂમપ્રભાપૃથિવીના નૈરયિકો સંબધે પ્રશ્ન ઉત્તર વગેરે બાકી બધું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy