SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ પ ભગવાઈ - 30-1998 દેવનું આયુષ બાંધે છે. કેવલ- જ્ઞાનીને લેશ્યારહિત જીવોની પેઠે જાણવું. અજ્ઞાની, યાવતુ-વભંગજ્ઞાનીને કૃષણ- પાક્ષિ- કોની જેમ સમજવું. ચારે સંજ્ઞામાં ઉપયોગવાળા જીવોને વેશ્યાવાળા જીવોની જેમ સમજવું. નોસંજ્ઞામાં ઉપયોગવાળા જીવોને મનપર્યવ જ્ઞાનની જેમ જાણવું. વેદવાળા અને યાવતુ-નપુંસકદેવવાળાને લેશ્યાવાળાની જેમ અને વેદ વિનાના જીવોને લેગ્યારહિત જીવની પેઠે સમજવું. કષાયવાળા અને વાવતુ-લોભક* પાયવાળા જીવોને, વેશ્યાવાળા જીવની જેમ જાણવું. કષાયરહિત જીવોને, વેશ્યારહિત જીવોની જેમ જાણવું. યોગવાળા અને યાવતુ-કાયયોગવાળા જીવો વેશ્યાવાળા જીવોની જેમ જાણવા યોગરહિત જીવોને લેયારહિત જીવોની પેઠે સમજવું. સાકારો:યોગવાળા અને અનાકારોપયોગવાળાને લેયાવાળા જીવોની જેમ જાણવું. [999] હે ભગવન્! ક્રિયાવાદી નૈરયિકો શું નૈરયિકનું આયુષ બાંધે-ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! તેઓ ફક્ત મનુષ્યનું આયુષ બાંધે છે.અક્રિયાવાદી. નૈરયિકો તિર્યંચ અને મનુષ્યનું આયુષ બાંધે છે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી સંબંધે પણ જાણવુંલેશ્યાવાળા ક્રિયાવાદી નૈરયિકો બધા એક મનુષ્યનું જ આયુષ બાંધે છે; અને જેઓ અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી છે તેઓ બધાં સ્થાનોમાં પણ તિર્યંચ અને મનુષ્યનું આયુષ બાંધે છે. પણ વિશેષ એ કે, સમ્યશ્મિથ્યાદ્રષ્ટિ ઉપરનાં અજ્ઞાન વાદી અને વિનયવાદી-એ બે સમવસરણમાં જેમ જીવપદમાં કહ્યું છે તેમ કોઈ પણ આયુષનો બન્ધ કરતો નથી. જેમ નૈરયિકોને કહ્યું તેમ યાવતુ-સ્વનિતકુમારોને પણ સમ જવું. હે ભગવન! અક્રિયાવાદી પ્રથિવીકાયિકો તિર્યંચ અને મનુષ્યનું આયુષ બાંધે છે. એ પ્રમાણે અજ્ઞાનવાદી. સંબંધે પણ સમજવું. હે ભગવન્! લેશ્યાવાળા પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. એ પ્રમાણે જે જે પદ પૃથિવીકાયિક સંબંધ હોય તે તે પદ સંબંધી વચ્ચેના (અક્રિયાવાદી અને અજ્ઞાનવાદીના બે સમવસરણોમાં પૂર્વે કહ્યા પ્રમાણે બે પ્રકારનું મનુષ્પાયુષ અને તિર્યંચાયુષ બાંધે છે. પરન્તુ તેજો- લેશ્યામાં કોઈ પણ આયુષનો બન્ય કરતો નથી. એ રીતે અપ્લાયિક અને વનસ્પતિકાયિક સંબંધે પણ સમજવું. અગ્નિકાય અને વાયુકાય બધાં સ્થાનોમાં વચલાં બે સમવસરણોને આશ્રયી માત્ર તિર્યંચનું આયુષ બાંધે છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવોને પૃથિવીકાયિકોની પેઠે જાણવું, પણ સમ્યકત્વ અને જ્ઞાનમાં તેઓ એક પણ આયુષનો બન્ધ કરતા નથી. હે ભગવન્! ક્રિયાવાદી પંચેદ્રિય તિર્યંચયોનિક જીવો શું નૈરયિકનું આયુષ બાંધેઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! મન પર્યવજ્ઞાનીને પેઠે જાણવું. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવો ચારે પ્રકારના આયુષનો બન્ધ કરે છે. લેશ્યાવાળા જીવો ઔધિક પંચેન્દ્રિય તિર્યંચયોનિકની પેઠે કહેવા. કૃષ્ણ- લેશ્યાવાળા, ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવો કોઈ આયુષ બાંધતા નથી. અકિ- યાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી ચારે પ્રકારના આયુષને બાંધે છે. જેમ કૃષ્ણ - લેક્ષા વાળાને કહ્યું તેમ નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળાને સમજવું. વેશ્યા- વાળાની જેમ તેજલેશ્યાવાળા જાણવા. પરન્તુ અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, અને વિનયવાદી દેવનું, તિર્યંચનું અને મનુષ્યનું આયુષ બાંધે છે. એ રીતે પાલેશ્યાવાળા તથા શુક્લ લેશ્યાવાળાને પણ કહેવું. કૃષ્ણપાક્ષિક ત્રણ ક્રિયાવાદી સિવાય બાકીનાં) સમવસરણો વડે ચારે પ્રકારનું આયુષ બાંધે છે. શુક્લપાક્ષિકને લેશ્યાવાશાની પેઠે જાણવું. સમ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy