SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૪, ઉદેસી-૩ થી 11 કાળાદેશથી જઘન્ય કાંઈક ન્યૂન ચાર પલ્યોપમ અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન પાંચ પલ્યોપમએટલો કાળ યાવતુ-ગમનાગમન કરે, જો તે જીવ પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય તો તેને પણ ત્રણે ગમકોમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થનાર જઘન્ય કાળની સ્થિતિવાળા પેઠે બધું કહેવું. જો તે જીવ પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય તો તેને પણ ત્રણે ગમકોમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થનાર જઘન્ય કાળની સ્થિતિવાળા પેઠે બધું કહેવું. જો તે પોતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળો હોય તો તેને પણ ત્રણે ગમકો અસુરકુમારોમાં ઉત્પન્ન થતા તિર્યંચયોનિકની પેઠે કહેવા. પણ વિશેષ એ કે અહીં નાગકુમારોની સ્થિતિ અને સંવેધ કહેવો. જો તે નાગકુમારો સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિ- કોથી આવી ઉત્પન્ન થાય તો શું તેઓ પર્યાપ્ત કે અપર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તેઓ પયક્તિા સંખ્યાતાવર્ષના આયુષવાળા સંજ્ઞીતિર્યંચયોનિકથી આવી ઉત્પન્ન થાય, હે ભગવન્! પતિ સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક, જે નાગકુમારમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા નાગકુમારમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન બે પલ્યોપલમની -ઈત્યાદિ જેમ અસુરકુમારોની ઉત્પન્ન થતા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા કહી છે તેમ અહીં નવે ગમકોમાં કહેવી. પણ વિશેષ એ કે અહીં નાગકુમારની સ્થિતિ અને સંવેધ જાણવો. જો તેઓ મનુષ્યો આવી ઉત્પન્ન થાય તો શું સંશી મનુષ્યોથી આવીઉત્પન્ન થાય ? કે અસંજ્ઞી મનુષ્યોથી આવી સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, ઈત્યાદિ જેમ અસુર- કુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય મનુષ્યોની વક્તવ્યતા કહી છે તેમ કહેવી. યાવતુ- હે ભગવન્! અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્ય જે નાગકુ મારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! જઘન્ય દસ હજારવર્ષની અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન બે પલ્યોપમની. એ પ્રમાણે બધું અસંખ્યાત વર્ષના આયુષવાળા તિર્યંચોયનિકોના નાગકુમારોમાં ઉત્પન્ન થવા સંબંધે આદિના ત્રણ ગુમકો મુજબ જાણવું. પણ વિશેષ એ કે પ્રથમ અને બીજા ગમકમાં શરીરનું પ્રમાણ જઘન્ય કાંઈક અધિક પાંચસો ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉનું છે. ત્રીજા ગમકમાં શરીરની ઉંચાઈ જઘન્ય કાંઈક ન્યૂન બે ગાઉ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. બાકી બધું તે પ્રમાણે જાણવું. જો તે પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય તો તેને પણ. ત્રણે ગમકોમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય અસંખ્યાતા વર્ષના આયુષ વાળાસંજ્ઞી મનુષ્યની પેઠે બધી હકીકત કહેવી. જે તે પોતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળો હોય તો તે સંબંધે પણ ત્રણે ગમકોમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા સંશી અસંખ્યાતવષય મનુષ્યની પેઠે જાણવું. પણ વિશેષ એ કે અહીં નાગકુમારોની સ્થિતિ અને સંવેધ જાણવો. જો તેઓ સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પયપ્તા સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી કે અપવીતા સંખ્યાતા વર્ષના આયુષવાળાથી ? તેઓ પર્યાપ્તા સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, ભગવન્! પતિ સંખ્યાતા વર્ષના આયુષવાળા સંtી મનુષ્ય જે નાગ કુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન 28] For Private & Personal Use Only www.jainelibrary.org - Jain Education International
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy