SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૪, ઉદેસી-૨ 431 ધનુષ સુધી અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક એક હજાર ધનુષ હોય છે. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક પૂર્વ કોટી વર્ષની હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. કાળની અપેક્ષાએ જઘન્યથી કાંઈક અધિક પૂર્વમોટી સહિત દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક બે પૂર્વકોટી વર્ષ-એટલો કાળ ચાવતુ-ગમનાગમન કરે. * જે તે જઘન્યકાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય તો તેને એજ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે અહિં અસુરકુમાર સ્થિતિ અને સંવેધ વિચારીને કહેવો. હવે જો તેજ જીવ ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક પૂર્વકોટી વર્ષની સ્થિતિવાળાં અસુરકુમારમાં ઉત્પન્ન થાય. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. પણ વિશેષ એ કે કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક બે પૂર્વકોટી વર્ષ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. હવે તેજ પોતે ઉકાળની સ્થિતિવાળો હોય અને અસુરકુમારમાં ઉત્પન્ન થાય તો તેને પ્રથમ ગમક કહેવો. પણ વિશેષ એ કે સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે, તથા અનુબંધ પણ એજ પ્રમાણે જાણવો. કાળાદેશથી જઘન્ય દસ હજાર વર્ષ અધિક ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ છ પલ્યોપમ એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે જઘન્ય કાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય તો તેને એજ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે અહિં અસુરકુમારની સ્થિતિ અને સંવેધ વિચારીને કહેવો. જો તે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ છ પલ્યોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. હે ભગવન્! જો તે અસુરકુમારો સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોથી આવીને ઉત્પન્ન થાય તો શું જલચરોથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ યાવતુ હે ભગવન ! પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે અસુરકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્ કેટલા કાળની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક એક સાગરોપમની સ્થિતિવાળા જીવોએક સમયે કેટલા ઉત્પન્ન થાય? પૂર્વે કહ્યા પ્રમાણે રત્નપ્રભાપૃથિવીના સમાન નવે ગમકો જાણવા. પણ વિશેષ એ કે જ્યારે પોતે જઘન્યકાળની સ્થિતિવાળો હોય ત્યારે વચ્ચેના ત્રણે ગમોમાં આ ભેદ જાણવો. તેને ચાર લેશ્યાઓ હોય છે. અધ્યવસાયો પ્રશસ્ત હોય છે. સંવેધ કાંઈક અધિક સાગરોપમથી કરવો. જો તે અસુરકુમારો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય કે અસંશી મનુષ્યોથી આવી તેઓ સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, જો તેઓ સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી કે અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ! તે બંને. હે ભગવનું ! અસંખ્યાતા વર્ષના આયુષવાળો સંજ્ઞી મનુષ્ય, જે અસુરકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય, ? હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળામાં એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy