SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - 428 ભગવઇ-૨૪-૧૮૪૧ તેઓના શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલપૃથ- ત્ત્વ હોય છે, તેઓને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે, પ્રથમના પાંચ સમુદ્રઘાતો હોય છે, સ્થિતિ અને અનુબંધ જધન્ય અને ઉત્કૃષ્ટ માંસપૃથકત્વ હોય છે. બાકી બધું યાવતુભવાદેશ સુધી પૂર્વ પ્રમાણે જાણવું. કાળની અપેક્ષાએ જઘન્યથી માસપૃથક્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર માસપૃથક્વ અધિક ચાર સાગ- રોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે મનુષ્ય જઘન્યકાળની સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તેને પૂર્વોક્ત ચોથા નમકના સમાન વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળની અપે ક્ષાએ જઘન્ય માસપૃથકત્વ અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર માસપૃથકત્વ અધિક ચાલીશ હજાર વર્ષ એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. હવે તેજ મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તેને એજ ગમક કહેવિો. પણ વિશેષ એ કે કાળા દેશ વડે જઘન્ય માસપથર્વ અધિક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર માસથ7 અધિક ચાર સાગરોપમ-એટલો કાળ ચાવતુ-ગમનાગમન કરે. જો તે મનુષ્ય પોતે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો હોય અને રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તે સંબંધે પ્રથમ ગમક કહેવો. પણ વિશેષ એ કે શરીરની અવગાહના જધન્ય અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની હોય છે. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી વર્ષની અને અનુબંધ પણ તે પ્રમાણે જાણવો. કાળની અપેક્ષાએ જઘન્ય પૂર્વ કોટી અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વમોટી અધિક ચાર સાગરોપમ-એટલો. કાળ ચાવતુ-ગમના ગમન કરે. જો તે જ મનુષ્ય જઘન્યકાળની સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તે સંબંધે એ જ સાતમાં ગમકની વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળની અપેક્ષાએ જઘન્ય દશ હજાર વર્ષ અધિક પૂર્વકોટી અને ઉત્કૃષ્ટ ચાલીશ હજાર વર્ષ અધિક ચાર પૂર્વકોટી-એટલો કાળ યાવતુ ગમનાગમન કરે. જો તે ઉત્કૃષ્ટસ્થિતિ વાળો મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તેને સાતમાં નમકની વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ છે કે કાળની અપેક્ષાએ જઘન્ય પૂર્વકોટી અધિક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટી અધિક ચાર સાગરોપમ-એટલો કાળ યાવતુગમનાગમન કરે. હે ભગવન્! સંખ્યાતા વર્ષના આયુષવાળી પર્યાપ્ત સંસી મનુષ્ય જે શર્કરાપ્રભામાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા વર્ષના આયુષવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! જઘન્યથી એક સાગરોપમની અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમની સ્થિતિ વાળા નૈરયિકોમાં. તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય? અહિં રત્નપ્રભા નૈરયિકોનો ગમક કહેવો. પરન્તુ વિશેષ એ કે શરીરની અવગાહના જઘન્યથી નિવૃત્તિ -અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ હોય છે. સ્થિતિ જઘન્યથી વર્ષથત્વ અને ઉત્કૃષ્ટ પૂર્વ કોટી વર્ષની હોય છે. એવી રીતે અનુબંધ પણ જાણવો. બાકી બધું તે જ પૂર્વોક્ત યાવતુંભવાદશ સુધી કહેવું. કાળની અપેક્ષાએ જધન્ય વર્ષપૃથકત્વ અધિક એક સાગરોપમાં અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વ કોટી અધિક બાર સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. એ પ્રમાણે ઔધિક ત્રણે ગમકમાં મનુષ્યોની વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ છે કે નૈરયિકની સ્થિતિ અને કાળાદેશ વડે તેને સંવેધ જાણવો. તે સંજ્ઞી પંચેન્દ્રિય પતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy