SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ 378 ભગવાઈ - 18-1/724 નોસંવત-નોઅસંયત-નોસંયતાસંયત નોભવસિદ્ધિક-નોઅભાવસિદ્ધિકની પેઠે અચરમ સમજવા. સકષાયી યાવત-લોભકષાયી સર્વસ્થાનોમાં આહારકની પેઠે સમજવા. અક પાયી-જીવ અને સિદ્ધ એ બન્ને ચરમ નથી પણ અચરમ છે. અને અકષાયી મનુષ્ય કદ્યચ ચરમ પણ હોય છે અને કદાચ અચરમ પણ હોય છે. જ્ઞાની સર્વત્ર સમ્યવ્રુષ્ટિની પેઠે બન્ને પ્રકારના જાણવા મતિજ્ઞાની યાવતુ-મના પવિજ્ઞાની આહારકની પેઠે સમજવા. વિશેષ એ કે, જેને જે જ્ઞાન હોય તેને તે કહેવું. કેવળજ્ઞાની, નૌસંજ્ઞી-નોઅસંસીની પેઠે અચરમ જાણવા. તથા અજ્ઞાની યાવતુ વિભંગણાની આહારકની પેઠે બન્ને પ્રકારના સમજવા. સયોગી યાવતુ-કાયયોગી આહારકની પેઠે સમજવા. વિશેષ એ કે, જેને જે યોગ હોય તે તેને કહેવો અને. અયોગી નોણી નોઅસંજ્ઞીની પેઠે જાણવા. સાકારો:યોગવાળા અને અનાકારોપયોગવાળા અનાહારકની પેઠે ચરમ અને અચરમ જાણવા. સવેદક યાવતુ-નપુંસકદવાળા આહારકની પેઠે જાણવા. અવેદક અકષાયીની પેઠે સમજવા. સશરીરી યાવતુ- કાર્મણશરીરવાળા આહારકની પેઠે જાણવા. વિશેષ એ કે, જેને જે શરીર હોય તેને તે કહેવું. અશરીરી, નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક સિદ્ધની પેઠે સમજવા. પાંચ પપતિવડે પતિ અને પાંચઅપયાતિવો અપર્યાપ્ત સંબંધે સર્વત્ર આહારકની પેઠે દેડક કહેવો. [૭૨૫-૭૨૬]“જે જીવ જે ભાવને ફરીવાર પામશે, તે ભાવની અપેક્ષાએ તે જીવ અચરમ કહેવાય છે, અને જે જીવને જે ભાવનો તદ્દન વિયોગ હોય છે. તે ભાવની, અપેક્ષાએ તે જીવ ચરમ કહેવાય છે.” “હે ભગવન્! તે એમજ છે તે એમજ છે. શતક ૧૮-ઉદેસો ૧નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુજરછાયાપૂર્ણ ( ઉદ્દેશક 2 - [727 તે કાળે, તે સમયે વિશાખા નગરી હતી. અને ત્યાં બહુપુત્રિક ચેત્ય હતું. મહાવીર સ્વામી સમવસય યાવતુ-પરિષદુ પપાસના કરે છે. તે કાલે. તે સમયે શક્ર દેવેન્દ્ર, દેવરાજ, વજપાણિ, પુરંદર-ઈત્યાદિ સોળમાં શતકના બીજા ઉદ્દેશકમાં શક્રની વક્તવ્યતા કહી છે તે પ્રમાણે યાવતુ-તે દિવ્યવિમાનમાં બેસીને આવ્યો. વિશેષ એ કે, આ સ્થળે આભિયોગિક દેવો પણ હોય છે. યાવતુ તેણે આવી બત્રીશ પ્રકારનો નાટ્યવિધિ દેખાડ્યો. અને તે જ્યાંથી આવ્યો હતો ત્યાં પાછો જેમ તૃતીયશતકમાં ઈશાને સંબંધ કૂટાગાર શાળાનો દ્રત અને પૂર્વભવનો પ્રશ્ન કર્યો છે તેમ આ સ્થળે યાવતુ તેને “ઝદ્ધિ અભિમુખ થઈ ત્યાં સુધી બધું કહેવું. હે ગૌતમ! આ જંબૂદીપના ભારતવર્ષમાં હસ્તિના પુરનગર હતુ. સહસ્ત્રાભ્રવનઉદ્યાન હતું. તે હસ્તિનાગપુર નગરમાં ધનિક યાવતુંકોઈથી પરાભવ ન પામે એવો, વણિકોમાં પહેલું આસન પ્રાપ્ત કરનાર, એક હજાર અને આઠ વણિકોના ઘણા કાર્યોમાં, કારણોમાં અને કુટુમ્બોમાં યાવત્ ચક્ષુરુપ એવો કાર્તિક નામે શેઠ રહેતો હતો. જેમાં રાજકશ્રીયસૂત્રમાં ચિત્રસારથિનું વર્ણન કર્યું છે તેમ અહિં બધું વર્ણન કરવું. વળી તે કાતિકશેઠ એક હજાર આઠ વણિ કોનું અને પોતાના કુટુમ્બનું અધિપતિપણું કરતો યાવતુ-પાલન કરતો રહેતો હતો. તે શ્રમણોપાસક તથા જીવાજીવ તત્વોનો જાણકાર હતો. તે કાળે, તે સમયે ધર્મના આદિકર-ઈત્યાદિ વર્ણન જેમ સોળમાં શતકમાં કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy