SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૧ શતક-૧૫, જીવિતવ્યનું ફળ પ્રાપ્ત કર્યું.' એવી ઉદઘોષણા થઈ. હવે તે સિંહાનગાર ભગવંત પાસે આવીને તે સર્વ સારી રીતે મૂકે છે ત્યારે તે ભગવંત મહાવીર મૂછ-રહિત, યાવતુતૃષ્ણારહિતપણે સર્પ જેમ બિલમાં પેસે તેમ પોતે તે આહારને શરીરરુપ કોષ્ઠમાં નાંખે છે. પછી શ્રમણ ભગવંત મહાવીરનો તે મહાનું પડકારી રોગ તુરત જ શાન્ત થયો. તે હૃષ્ટ,રોગરહિત અને બલવાન શરીરવાળા થયા. શ્રમણો તુષ્ટ થયા, શ્રમણીઓ, શ્રાવકો, શ્રાવિકાઓ , દેવો, દેવીઓ, અને દેવ, મનુષ્ય અને અસુરો સહિત સમગ્ર વિશ્વ સંતુષ્ટ થયું કે શ્રમણ ભગવાન મહાવીર હૃષ્ટ-રોગરહિત થયા.' [૬૫]ભગવાન્ ગૌતમે ભગવન્! એમ કહી શ્રમણ ભગવાન્ મહાવીરને વંદન અને નમસ્કાર કરી એ પ્રમાણે કહ્યું એ પ્રમાણે ખરેખર દેવાનુપ્રિય એવા આપના અન્તવાસી પૂર્વદિશમાં ઉત્પન્ન થયેલા સવનુભૂતિ નામે અનગાર પ્રકૃતિના ભદ્ર હતા, વાવત વિનીત હતા, હે ભગવન! જ્યારે તેને મંખલિપુત્ર ગોશાલકે તપના તેજથી ભસ્મ રાશિપ કર્યા ત્યારે તે મરીને ક્યાં ગયા, ક્યાં ઉત્પન્ન થયા ? “એ પ્રમાણે ખરેખર હે ગૌતમ તે સહસ્ત્રાર કલ્પમાં દેવરુપે ઉત્પન્ન થયા. ત્યાં તેની અઢાર સાગરોપમની સ્થિતિ છે. તેની તે દેવલોકથી આયુષનો ક્ષય થવાથી અને સ્થિતિ ક્ષય થતા યાવતુ-મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, યાવતુ-સર્વ દુઃખોનો અત્ત કરશે. એ પ્રમાણે ખરેખર દેવાનુપ્રિય એવા આપના શિષ્ય કોશલ દેશમાં ઉત્પન્ન થયેલા સુક્ષત્ર નામે અનગાર વિષયક પ્રશ્ન છે ગૌતમ. એ પ્રમાણે ખરેખર મારો શિષ્ય સુનક્ષત્ર અનગાર અય્યત દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં તેની બાવીશ સાગરોપમની સ્થિતિ છે. બાકી બધું સવનુભૂતિ. સંબધે કહ્યું છે તેમ અહિં જાણવું, યાવત્ સર્વ દુઃખોનો અત્ન કરશે. [૫૭એ પ્રમાણે ખરેખર આપનો અન્તવાસી કુશિષ્યમંખલિપુત્ર ગોશાલક મરણ સમયે કાળ કરીને ક્યાં ગયો, ક્યાં ઉત્પન્ન થયો? હે ગૌતમ! તે મરણ સમયે કાળ કરીને યાવતુ-અર્ચ્યુત કલ્પને વિષે દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં તેની બાવીશ સાગરોપમની સ્થિતિ છે. તે આયુષના ક્ષય થવાથી યાવતુ-ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમાં આ જંબૂદ્વીપ નામે દ્વિીપમાં ભરત ક્ષેત્રને વિષે વિધ્યાચલ પર્વતની તળેટીમાં પુંડનામે દેશને વિષે શતદ્વારનામે નગરમાં મુતિ નામે રાજાને ભદ્રા નામે ભાયની કુક્ષિને વિષે પુત્રરુપે ઉત્પન્ન થશે. તે ત્યાં નવ મારા બરોબર પૂર્ણ થયા બાદ અને સાડા સાત દિવસ વીત્યા પછી ધાવતુ-સુન્દર બાળકને જન્મ આપશે. જે રાત્રિને વિષે તે બાળકનો જન્મ થશે, તે રાત્રિને વિષે શતદ્વાર નામે નગરમાં અંદર અને બહાર અનેક ભારપ્રમાણ અને અનેક કુંભપ્રમાણ વૃષ્ટિ પધની વૃષ્ટિ અને રત્નની વૃષ્ટિ થશે. તે વખતે તે બાળકના માતા-પિતા અગીયારમો દિવસ વીત્યા પછી બારમે દિવસે આવા પ્રકારનું ગુણયુક્ત અને ગુણનિષ્પન્ન “મહાપા” એવું નામ પડશે. ત્યાર પછી તે મહાપા બાળકને માતાપિતા કઈક અધિક આઠ વર્ષનો થયેલો જાણીને સારા તિથિ, કરણ, દિવસ નક્ષત્ર અને મુહૂર્તને વિષે અત્યન્ત મોટા રાજ્યાભિષેકવડે અભિષેક કરશે. હવે તે રાજા થશે, તે મહાહિમવાનું આદિ પર્વતની જેમ બળવાળો થશેઈત્યાદિ વર્ણન જાણવું, હવે અન્ય કોઈ દિવસે તે મહાપદ્મ રાજાનું મહદ્ધિક યાવતુમહાસુખવાળા બે દેવો તેના કર્મ કરશે.-પૂર્ણભદ્ર અને માણિભદ્ર. તે વખતે તે મહાપા રાજાનું દેવસ’ એવું બીજું નામ થશે. ત્યારબાદ તે દેવસેન રાજાને અન્ય કોઈ દિવસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy