SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 32 ભગવાઈ-૧-૭૮૦ આશ્રીને ઉત્પન્ન છે. જેમ ઉત્પમાન અને ઉદ્વર્તમાન વિષે ચાર દંડક કહ્યા તેમ ઉત્પન અને ઉકત સંબંધે પણ ચાર દંડક કહેવા. સર્વ ભાગવડે સર્વ ભાગને આશ્રીને ઉપપન સર્વ ભાગવડે એક ભાગને આશ્રીને આહાર અને સર્વ ભાગવડે સર્વ ભાગને આશ્રીને આહાર' એ અભિલાપવડે ઉપપન્ન અને ઉકત વિષે પણ જાણવું. હે ભગવનું ! નૈરયિકોમાં ઉપજતો નૈરયિક શું અર્ધભાગવડે અધ ભાગને, અર્ધ ભાગવડે સર્વ ભાગને કે સર્વ ભાગવડે અર્ધ ભાગને કે સવભાગવવડે સર્વ ભાગને આશ્રીને ઉત્પન્ન થાય ! હે ગૌતમ ! જેમ પ્રથમ સાથે આઠ દંડક કહ્યા. તેમ અર્ધની સાથે પણ આઠ દેડક કહેવા. વિશેષ એ કે, જ્યાં “એક ભાગવડે એક ભાગને આશ્રીને ઉત્પન્ન થાય” એવો પાઠ આવે ત્યાં “અર્ધ ભાગવડે અર્ધ ભાગને આશ્રીને ઉત્પન્ન થાય' આ પાઠ કહેવો, માત્ર એટલો જ ભેદ છે. અને એ બધા મળીને દંડક થયા છે. [1] હે ભગવનું શું જીવ વિગ્રહગતિને પ્રાપ્ત છે? કે અવિગ્રહગતિને પ્રાપ્ત છે? હે ગૌતમ ! તે કદાચ વિગ્રહતિને પ્રાપ્ત છે. અને કદાચ અવિગ્રહગતિને પ્રાપ્ત છે એ પ્રમાણે વાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! શું જીવો વિગ્રહગતિને પ્રાપ્ત છે કે વગ્રહગતિને પ્રાપ્ત છે ? હે ગૌતમ ! જીવો વિહાયોગતિને પ્રાપ્ત છે અને અવિગ્રહવિહાયોગતિને પણ પ્રાપ્ત છે. હે ભગવન્! શું નૈરયિકો વિગ્રહગતિને પ્રાપ્ત છે કે અવિગ્રહગતિને પ્રાપ્ત છે? હે ગૌતમ ! તે બધાય અવિગ્રહગતિને પ્રાપ્ત છે. અથવા ઘણા અવિગ્રહગતિને પ્રાપ્ત છે અને એકાદ વિગ્રહગતિને પ્રાપ્ત છે. અથવા ઘણા અવિગ્રહગતિને પ્રાપ્ત છે. અને ઘણા વિગ્રહગતિને પ્રાપ્ત છે. એ પ્રમાણે સર્વત્ર ત્રણ ભાંગી જાણવા. માત્ર એકેંદ્રિયમાં ત્રણ ભાંગા ન કહેવા. [2] હે ભગવન્! મોટી ઋદ્ધિવાળો, મોટી ઘુતિવાળો, મોટી કિર્તિવાળો, મોટા બળવાળો, મોટા સામર્થ્યવાળો અને મરણ સમયે ચ્યવતો. મહેશ નામનો દેવ શરમને લીધે, ધૃણાને લીધે, પરિષહને લીધે. કેટલાક કાળ સુધી આહાર કરતો નથી. પછી આહાર કરે છે અને લેવાતો આહાર પરિણત પણ થાય છે, અને છેવટ તે દેવનું આયુષ્ય સર્વથા નષ્ટ થાય છે, તેથી તે દેવ જ્યાં ઉત્પન્ન થાય થાય છે ત્યાંનું આયુષ્ય અનુભવે છે. તો હે ભગવનું તે ક્યું આયુષ્ય જાણવું. * તિયયયોનિકનું આયુષ્ય જાણવું. કે મનુષ્યનું આયુષ્ય જાણવું. હે ગૌતમ! તે મહર્વિક દેવનું મર્યા પછી મનુષ્યનું આયુ જાણવું. [8] હે ભગવન્! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ શું ઇંદ્રિયવાળો કે ઈતિવિનાનો ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! ઈદ્રિયવાળો અને ઈદ્રિયવિનાનો પણ ઉત્પન્ન થાય. હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ ! દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ ઈદ્રિય વિનાનો અને ભાવ ઈદ્રિયની અપેક્ષાએ ઈઢિયાવાળો ઉત્પન્ન થાય. માટે હે ગૌતમ તે કારણથી પૂર્વ પ્રમાણે કહ્યું છે હે ભગવન્! ગર્ભમાં ઉપજતો જીવ શું શરીરવાળો કે શરીરવિનાનો ઉત્પન્ન થાય. હે ગૌતમ ! શરીરવાળો અને શરીરવિનાનો પણ ઉત્પન્ન થાય. હે ભગવન! તેનું શું કારણ ? હે ગૌતમ ! ઔદારિક વૈક્રિય અને આહારક સ્કૂલ-શરીરોની અપેક્ષાએ શરીરવિનાનો અને સૂક્ષ્મ, તૈજસ તથા કાર્મણ શરીરની અપેક્ષાએ શરીરવાળો ઉત્પન્ન થાય. હે ગૌતમ ! એ કારણથી પૂર્વ પ્રમાણે કહ્યું છે. હે ભગવન્! જીવ ગર્ભમાં ઉત્પન્ન થતાં વેંત જ ખાય છે? હે ગૌતમ! પરસ્પર એક બીજામાં મળેલું માતાનું આર્તવ અને પિતાનું વિય, તેને તે જીવ ગર્ભમાં ઉત્પન્ન થતાંવેંતજ ખાય છે. હે ભગવન્! ગર્ભમાં ગયો છતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy