SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ 306 ભગવાઈ -13-257 પરન્તુ એટલો વિશેષ છે કે અહિં સ્ત્રીવેદવાળા ઉત્પન્ન થતાં નથી, તેમ સત્તામાં પણ હોતા નથી. ત્રણે આલાપકોને વિષે અસંશી ન કહેવા. બાકીનું બધું પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે વાવતુ સહસ્ત્રાર દેવલોક સુધી જાણવું.પરન્તુ વિમાનો અને વેશ્યાઓમાં વિશેષ છે. હે ભગવનું આનત અને પ્રાસત દેવલોકને વિષે કેટલા શત વિમાનાવાસો કહેલા છે? હે ગૌતમ ! ચારસો. હે ભગવનું ! તે વિમાનાવાસો શું સંખ્યાતા યોજનવિસ્તારવાળા છે કે અસંખ્યાતાયોજન વિસ્તારવાળા વિમાનાવાસોને વિષે ત્રણ આલાપકો સહસ્ત્રાર દેવલોકની પેઠે કહેવા. અસંખ્યાત યોજનવિસ્તારવાળા વિમાનોને વિષે ઉત્પાદ અને ચ્યવન સંબધે એ પ્રમાણે અસંખ્યાતજ કહેવાં સત્તામાં અસંખ્યાતા કહેવા પરતુ એટલો વિશેષ છે કે નોઈદ્રિય-મનના ઉપયોગવાળા,અન્તરોપપનક, અનન્તરાવગાઢ. અનંત રાહારક અને અનંતરપર્યાપ્તાએ પાંચ પદને વિષે જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ થી સંખ્યાતા ઉપજે, અને સત્તામાં અસંખ્યાતા હોય એમ કહેવું. જેમ આનત અને પ્રાણ. તને વિષે કહ્યું. તેમ આરણ અને અય્યતને વિષે પણ એ પ્રમાણે જાણવું. પરંતુ વિમાનોની સંખ્યામાં વિશેષતા છે. એ પ્રમાણે રૈવેયક સંબંધે પણ જાણવું. હે ભગવન્! કેટલાં અનુત્તર વિમાનો કહ્યા છે? હે ગૌતમ! પાંચ હે ભગવન્! તે અનુત્તર વિમાનો સંખ્યાતા યોજનવિસ્તારવાળી છે કે અસંખ્યાતા યોજનવિસ્તારવાળાં છે? હે ગૌતમ! બને છે. હે ભગવન્! પાંચ અનુત્તર વિમાનોમાંના સંખ્યાતા યોજના વિસ્તારવાળા વિમાનને વિષે એક સમયે કેટલાં અનુત્તરોપપાતિક દેવો ઉત્પન્ન થાય, કેટલાં શુક્લલેશ્યાવાળા ઉત્પન્ન થાય, ઈત્યાદિ પ્રશ્ન કરવો. હે ગૌતમ પાંચ અનુત્ત રવિ માનોમાં સંખ્યાતા યોજન વિસ્તારવાળા સવથિસિદ્ધ અનુત્તર વિમાનને વિષે જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અનુત્ત- રૌપપાતિક દેવો ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે જેમ સંખ્યાતા વિસ્તારવાળા શૈવેયક વિમાનો સંબધે કહ્યું તે પ્રમાણે અહિં કહેવું, પરન્તુ એટલો વિશેષ કે ઉણપાક્ષિકો, અભવ્યો અને ત્રણ અજ્ઞાનને વિષે વર્તતા જીવો અહિં ઉપજતા નથી. ઓવતા નથી અને સત્તામાં પણ હોતા નથી અચરમનોઅનુત્તર દેવનો ભવું નથી, તેનો પણ પ્રતિષેધ કરવો, યાવતુ ત્યાં “સંખ્યાતા ચરમ' કહેલો છે. બાકી બધું પૂર્વ પેઠે જાણવું. અસંખ્યાતા યોજન વિસ્તારવાળાં અનુત્તર વિમાનોને વિષે પણ પૂર્વોક્ત (કણપાક્ષિકાદિક) ન કહેવાં, પણ ત્યાં અચરમ ઉપજે છે. બાકી જેમ ત્રવેયકને વિષે કહ્યું તેમ અસંખ્યાતા યોજન વિસ્તારવાળાં અનુત્તર વિમાનોને વિષે થાવતુ-અસંખ્યાતા અચરમ કહ્યા છે ત્યાં સુધી જાણવું. હે ભગવન્! ચોસઠલાખ અસુર કુમારના આવાસોમાં સંખ્યાતાયોજન વિસ્તારવાળા અસુરકુમારના આવાસોને વિષે શું સમ્યવૃષ્ટિ અસુરકુમારો ઉત્પન્ન થાય, મિથ્યાદ્રષ્ટિ અસુરકુમારો ઉત્પન્ન થાય ? એ પ્રમાણે જેમ રત્નપ્રભા સંબધે ત્રણ આલાપકો કહ્યા તેમ અહી પણ કહેવા. એ પ્રમાણે અસંખ્યાતા યોજન વિસ્તારવાળા અસુરકુમારોના આવાસોને વિષે પણ સમ્યવૃષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ અને મિશ્રદ્રષ્ટિ સંબધે એ ત્રણ આલાપકો કહેવા. એ પ્રમાણે યાવત ગ્રેવે યક વિમાનને વિષે અને અનુત્તર વિમાનને વિષે પણ જાણવું, પરંતુ એટલો વિશેષ છે કે અનુત્તરવિમાનસંબધેત્રણ આલાપકને વિષે મિથ્યાવૃષ્ટિ અને મિશ્રવૃષ્ટિ ન કહેવા. બાકી બધું પૂર્વ પેઠે જાણવું. હે ભગવન્! ખરેખર કૃષ્ણલેશ્યાવાળા, નીલેશ્યાવાળા, યાવતુ-શુક્લલેશ્યાવાળા થઈને કૃષ્ણલેશ્યાવાળા દેવોમાં ઉત્પન્ન થાય? હા, ગૌતમ. જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy