SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૨, ઉસો-૧ 279 રીએ. ત્યાર બાદ તે શંખે તે પુષ્કલિશ્રમણોપાસકને કહ્યું- હે દેવાનુપ્રિયો ! પુષ્કળ અશ નાદિ, આહારનો આસ્વાદ લેતા યાવતું પોષધનું પાલન કરી વિહરવું મને યોગ્ય નથી, મને તો પોષધશાલામાં પોષધયુક્ત થઈને યાવત્ વિહરવું યોગ્ય છે. માટે હે દેવાનુપ્રિય! તમે ઇચ્છા પ્રમાણે યાવદ્રવિહરો.' - ત્યારબાદ તે પુષ્કલિ શ્રમણોપાસક શંખ શ્રમણોપાસકની પાસેથી પોષધશાલામાંથી બહાર નીકળી શ્રાવતી નગરીના મધ્યભાગમાં જ્યાં તે શ્રમણોપાસકો છે ત્યાં આવ્યો, અને ત્યાં આવી તે શ્રમણોપાસકોને આ પ્રમાણે- હે દેવાનુપ્રિયો ! એ પ્રમાણે ખરેખર શંખ શ્રમણોપાસક પોષધશાલામાં પોષધ ગ્રહણ કરીને યાવત્ વિહરે છે. શંખ શ્રમણોપાસક તો શીધ્ર નહિ આવે.' ત્યારબાદ બાદ તે શ્રમણોપાસકો તે વિપુલ અશન, આદિઆહારને આસ્વાદતા યાવદ્રવિહરે છે. ત્યારબાદ મધ્ય રાત્રિના સમયે ધર્મ જાગ. રણ કરતા તે શંખ શ્રમણોપાસકને આવા પ્રકારનો આ વિચાર યાવતુ ઉત્પન્ન થયો‘આવતી કાલે યાવતુ સૂર્ય ઉગવાના સમયે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી યાવતુ પર્ધપાસના કરી ત્યાંથી પાછા આવીને પાક્ષિક પોષધ પારવો શ્રેયસ્કર છે, વાવતું સૂર્યો દય સમયે પૌષધશાલાથી બહાર નીકળી શુદ્ધ, બહાર જવા યોગ્ય તથા મંગલરૂપ વસ્ત્રો ઉત્તમ રીતે પહેરી પોતાના ઘરથી બહાર નીકળી પગે ચાલી શ્રાવસ્તી નગરીના મધ્ય ભાગમાં થઈને જાય છે, યાવતુ પર્યાપાસના કરે છે. ત્યાર બાદ [પૂર્વે કહેલા] તે શ્રમણોપાસકો આવતી કાલે યાવતુ સૂર્યોદય સમયે સ્નાન કરી, બલિકમ કરી પાવતુ શરીરને અલંકત. કરી પોતપોતાના ઘરથી નીકળી એક સ્થળે ભેગા થાય છે, એક સ્થળે ભેગા થઈને-ઈત્યાદિ બધું પ્રથમ નિર્ગમવતુ જાણવું યાવતુ (ભગવંત મહાવરની પાસે જઈ) તેમની પર્યાપાસના કરે છે. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકોને તથા તે સભાને ધર્મકથા કહી. યાવતું “તે આજ્ઞાના આરા ધક થાય છે ત્યાં સુધી જાણવું ત્યાર બાદ તે શ્રમણોપાસકો શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મને સાંભળી, અવધારી, હૃષ્ટ અને તુષ્ટ થયા, અને ઉભા થઈ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી, જ્યાં શંખ શ્રમણોપાસક છે ત્યાં આવ્યા; આવીને શંખ શ્રમણો પાસકને તેઓ એમ કહ્યું કે-દેવાનુપ્રિય ! તમે ગઈ કાલે અમને એમ કહ્યું હતું કે, હું દેવાનુપ્રિયો ! તમે પુષ્કળ અશનાદિ આહારને તૈયાર કરાવો, યાવદુ-આપણે વિહરીશું, ત્યાર બાદ તમે પોષધશાલામાં યાવત્ વિહર્યા તો હે દેવાનુપ્રિય ! તમે અમારી ઠીક હીલના કરી.' પછી હે આર્યો !' એમ કહી શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકોને આ પ્રમામે કહ્યું- હે આ !' તમે શંખ શ્રમણોપાસકની હીલના, નિંદા, ખ્રિસના, ગહ અને અપમાનના ન કરો, કારણ કે તે શંખ શ્રમણોપાસક ધર્મને વિષે પ્રીતિવાળો અને દ્રઢતાવાળો છે, તથા તેણે સુદ્રષ્ટિ-જ્ઞાનીનું જાગરણ કરેલ છે. ' [32] “ભગવન્! એ પ્રમાણે કહી ભગવાનું ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે, નમે છે, વાંદી અને નમી તેણે આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! જાગરિકા કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની. બુદ્ધજાગરિકા, અબુદ્ધજાગરિકા અને સુદ નજાગરિકા. હે ભગવન્! તમે એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જે ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શનના ધારણ કરનારા આ અરિહંત ભગવંતો છે-ઇત્યાદિ સ્કંદના. અધિકારમાં કહ્યા પ્રમાણે સર્વજ્ઞ અને સર્વદર્શી છે-એ બુદ્ધ બુદ્ધજાગરિકા જાગે છે. જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy