SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ 262 ભગવઈ-૧૧-૯પ૦૮ મહાવીરની પાસે જાઉં, વાંદુ અને નમું, યાવતુ તેઓની પપાસના કરું, એ મને આ ભવમાં અને પરભવમાં વાવતું શ્રેયને માટે થશે” એમ વિચારે છે. * એ પ્રમાણે વિચાર કરી જ્યાં તાપસીનો મઠ છે ત્યાં આવે છે. મઠમાં પ્રવેશ કરી ઘણીલોઢી, લોઢાનાકડાયા યાવતું કાવડ વગેરે ઉપકરણોને લઈ તાપસીના આશ્રમથી નીકળે છે. વિભાગજ્ઞાનરહિત તે શિવરાજર્ષિ હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચ થઈને જ્યાં સહસ્સામ્રવન નામે ઉદ્યાન છે, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર છે ત્યાં આવે છે. શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને વાંદે છે અને નમે છે. તેઓથી બહ નજીક નહીં અને બહુદૂર નહીં તેમ ઉભા રહી યાવતુ હાથ જોડી ઉપાસના કરે છે. ત્યાર બાદ તે શિવરાજર્ષિને અને મોટામાં મોટી પાર્ષદને શ્રમણ ભગવંત મહાવીર ધર્મકથા કહે છે. અને યાવતુ તે શિવરાજર્ષિ આજ્ઞાના આરાધક થાય છે. પછી તે શિવરાજર્ષિ યાવતુ સ્કંદકના પ્રકરણમાં કહ્યા પ્રમાણે ભાવતું ઈશાન કોણ તરફ જઈ તાપમોચિત ઉપકરણોને એકાંત જગ્યાએ મૂકે છે. પોતાની મેળે પંચમુષ્ટિ લોચ કરી, શ્રમણ ભગવંત મહાવીર પાસે ઋષભદત્તની પેઠે પ્રવ્રજ્યાનો સ્વીકાર કરે છે, અને તે પ્રમાણે અગ્યાર અંગોનું અધ્યયન કરે છે, તથા એજ પ્રમાણે યાવતુ તે શિવરાજર્ષિ સર્વ દુઃખથી મુક્ત થાય છે. પિ૦૯] “હે ભગવન્! એમ કહી ભગવાન ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે અને નમે છે, વાંદી અને નમીને ભગવત ગૌતમે આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! સિદ્ધ થતા જીવો કયા સંઘયણમાં સિદ્ધ થાય ? હે ગૌતમ ! જીવો વઋષભનારાચ સંઘયણમાં સિદ્ધ થાય”-ઈત્યાદિ ઔપપાતિકસૂત્રમાં કહ્યા પ્રમાણે “સંઘયણ, સંસ્થાન, ઉંચાઈ, આયુષ, પરિવસના’ - અને એ પ્રમાણે આખી સિદ્ધિગડિકા કહેવી, પાવતું અવ્યાબાધ શાશ્વત સુખને સિદ્ધો અનુભવે છે. હે ભગવન્! તે એમજ છે. શતક: ૧૧-ઉદેસા ૯નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ - ઉદેશક 10:-) [10] રાજગૃહ નગરમાં (ગૌતમ) લાવત્ આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! લોક કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ચાર પ્રકારનો. દ્રવ્યલોક, ક્ષેત્રલોક, કાલલોક અને ભાવલોક. હે ભગવન્ ! ક્ષેત્રલોક કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો. અધોલોકક્ષેત્રલોક, તિર્યશ્લોકક્ષેત્રલોક અને ઊર્ધ્વલોકક્ષેત્રલોક. હે ભગવન્ ! અધો લોકત્રિલોક કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! સાત પ્રકારનો. રત્નપ્રભા- પૃથિવી અધોલોકક્ષેત્રલોક, યાવતું અધઃસપ્તમપૃથિવીઅધોલોકક્ષેત્રલોક, હે ભગવનું ! તિય શ્લોક ક્ષેત્રલોક કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ! અસંખ્ય પ્રકારનો કહ્યો છે, જબૂતી પતિયશ્લોકક્ષેત્રલોક, યાવતુ સ્વંયભૂરમણ સમુદ્રતિયશ્લોક- ક્ષેત્રલોક, હે ભગવનું ! ઊર્ધલો કક્ષેત્રલોક કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! પંદર પ્રકારનો. સૌધર્મકલ્પ ઊર્ધ્વલોકક્ષેત્રલોક, યાવિદ્ અને ઈપપ્રાગભારપૃથિવઊર્ધ્વલોકક્ષેત્રલોક. હે ભગવનું ! અધોલોક- ક્ષેત્રલોક કેવા સંસ્થાને છે? હે ગૌતમ ! અધોલીક ત્રાપાને આકારે છે. તે ભગવન્! તિર્યશ્લોકક્ષેત્રલોક કેવા સંસ્થાને છે? હે ગૌતમ ! તે ઝાલરને આકારે છે. હે ભગવન્! ઊર્ધ્વલોકક્ષેત્રલોક કેવા આકારે છે? હે ગૌતમ ! ઉભા મૃદંગને આકારે છે. તે ભગવન્! લોક કેવા આકારે સંસ્થિત છે? હે ગૌતમ! લોક સુપ્રતિષ્ઠકને આકારે સંસ્થિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy