SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ 21 શતક-૧,હસો-૩ ગૌતમ! હા, તે ક્રિયા નિષ્ણાઘ છે. હે ભગવન્! તે શું દેશથી દેશત છે, દેશથી સર્વત છે, સર્વથી દેશમૃત છે, કે સર્વથી સર્વત છે? હે ગૌતમ ! તે દેશથી દેશકૃત નથી. દેશથી સર્વકૃત નથી, સર્વથી દેશકૃત નથી પણ સર્વથી સર્વત છે. હે ભગવન્! નૈરયિકો સંબંધિ કાંક્ષામોહનીય કર્મકત છે? હે ગૌતમ! હા, તે કૃત છે. સર્વથી સર્વત છે. અને એ પ્રમાણે વૈમાનિકો સુધી દડક કહેવો. [5] હે ભગવન્જીવોએ કાંક્ષામોહનીય કર્મ કર્યું ? હે ગૌતમ ! હા, કર્યું. તે ભગવન્! તે શું દેશથી દેશે કર્યું? હે ગૌતમ ! સર્વથી સર્વ કર્યું છે. એ પ્રમાણે યાવતુવૈમાનિકો સુધી દેડક કહેવો. એજ પ્રમાણે કરે છે અને કરશે, એ બન્નેનો અભિશાપ પણ યાવતુ-વૈમાનિકો સુધી કહેવો. તથા એજ પ્રમાણે ચય, ચય કર્યો. ચય કરે છે તથા ચય કરશે, ઉપચય, ઉપચય કર્યો. ઉપચય કરે છે, ઉપચય કરશે. ઉદીયું, ઉદીરે છે, ઉદીરશે. વેદું વેદે છે. વેદશે, નિર્જ નિર છે, અને નિર્જરશે, એ બધા અભિલાપો કહેવા. [36] કૃત, ચિત અને ઉપચિતમાં એક એકના ચાર ભેદ કહેવાના છે અથતુ સામાન્ય ક્રિયા, પછી ભૂતકાળની તથા ભવિષ્યકાળની ક્રિયા અને પાછળના ત્રણ પદમાં - ઉદરિત. વેદિત, અને નિર્નિર્ણમાં એક એક પદમાં માત્ર ત્રણ કાળનીજ ક્રિયા કહેવી. | [37] હે ભગવન્! શું જીવો કાંક્ષામોહનીય કર્મને વેદે છે? હે ગૌતમ! હા વેદે છે. હે ભગવન્! જીવો કાંક્ષામોહનીય કર્મને કેવી રીતે વેદે છે? હે ગૌતમ! તે તે કારણો વડે શંકાવાળા કાંક્ષાવાળા, વિચિકિત્સાવાળા, ભેદસમાપન અને કલુષ સમાપન થઈને એ પ્રમાણે કાંક્ષામોહનીય કર્મને વેદે છે, [38] હે ભગવન્! તેજ સત્ય અને નિઃશંક છે કે જેજિનોએ જણાવ્યું છે?હે ગૌતમ! હા તેજ સત્ય અને નિઃશંક છે કે જે જિનોએ જણાવ્યું છે. [39] હે ભગવનું ! એજ પ્રમાણે મનમાં ધારતો, પ્રકરતો, રહેતો, અને સંવરતો પ્રાણી આજ્ઞાનો આરાધક થાય છે ? હે ગૌતમ ! હા એ પ્રમાણે મનમાં ધારતો થાવતુ-સંવરતો પ્રાણી આજ્ઞાનો આરાધક થાય છે. [40] હે ભગવન્! અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે, નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે? હે ગૌતમ! હા, તે પ્રમાણે યાવતુ-પરિણમે છે. હે ભગવન્! જે તે અસ્તિત્વ અતિવમાં પરિણમે છે અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે, તે શું પ્રયોગથી-જીવના. વ્યાપારથી-પરિણમે છે કે સ્વભાવથી પરિણમે છે ? હે ગૌતમ ! તે પ્રયોગથી અને સ્વભાવથી (બન્ને પ્રકારે પરિણમે છે. હે ભગવન્! જેમ તારું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે. તેમ તારું નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે? અને જેમ તારું નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે તેમ મારું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે. હે ગૌતમ ! હા, જેમ મારું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે તેમ તારું નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે. અને જેમ મારું નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે તેમ મારું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે. હે ભગવન્! અસ્તિત્વ અસ્તિત્વમાં ગમનીય છે? હે ગૌતમહા, જેમ પરિણમે છે' એ પદના બે આલાપક કહ્યા તેમ અહીં ગમનીય’ પદ સાથે પણ બે આલાપક કહેવા. યાવ-જેમ મારું અસ્તિત્વ અસ્તિત્વમાં ગમનીય છે. [41] હે ભગવન્! જેમ તારું અહીં ગમનીય છે તેમ તારું ઈહ ગમનીય છે? જેમ તારું ઈહ ગમનીય છે તેમ તારું અહીં ગમનીય છે? હે ગૌતમ ! હા, જેમ મારું અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy