SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ 226 - -- -- - ભગવદ-૯-૩૨૪૫૮ ગાંગેય? તે હેતુથી એમ કહેવાય છે એ પ્રમાણે વાવત સ્વનિતકુમારી સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકો સ્વયં ઉત્પન્ન થાય છે?-ઈત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! પૃથિવીકાયિકો સ્વયે ઉત્પન્ન થાય છે પણ અસ્વયં ઉત્પન્ન થતા નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગાંગેય ! કર્મના ઉદયથી, કર્મના ગુરુપણાથી, કર્મના ભારથી, કર્મના અત્યન્ત ભારથી, શુભ અને અશુભ કમના ઉદયથી, શુભ અને અશુભ કર્મોના વિપાકથી અને શુભાશુભ કર્મોના ફલવિપાકથી પૃથિવીકાયિકો સ્વયં ઉત્પન્ન થાય છે, પણ વાવ અસ્વયં ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે યાવતુ મનુષ્યો સુધી જાણવું. જેમ અસુરકુમારોને કહ્યું તેમ વાનવ્યંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિકો સંબન્ધ કહેવું. માટે હે ગાંગેય તે હેતુથી એમ કહું છું કે-ચાવતું વૈમાનિકો સ્વયે ઉત્પન્ન થાય છે, [45] ત્યાર પછી શ્રીગાંગેય અનગાર શ્રમણ ભગવન મહાવીરને સર્વજ્ઞ અને સર્વદર્શી જાણે છે. ત્યારબાદ તે ગાંગેય અનગાર શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરે છે, કરીને વાંદે છે, નમે છે, વાંદને, નમીને તેણે એમ કહ્યું કે હે ભગવન્! તમારી પાસે ચાર મહાવ્રત ધર્મથી પાંચ મહાવ્રતધર્મને ગ્રહણ કરવા ઈચ્છું છું. એ પ્રમાણે બધું કાલાસવેસિક પુત્રની પેઠે વાવતુ તે “સર્વ દુઃખથી મુક્ત થયા ત્યાં સુધી કહેવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે. (એમ કહી. યાવત્ વિહરે છે.) | શતક 9 ઉદ્દેસા ૩૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (ઉદ્દેશક૩૩-) [40] તે કાલે, તે સમયે બ્રાહ્મણકુંડગ્રામ નામે નગર હતું. બહુશાલકનામે ચૈત્ય હતું. તે બ્રાહ્મણકુંડગ્રામ નામે નગરમાં ઋષભદત્ત નામે બ્રાહ્મણ રહેતો હતો. તે આદ્યધનિક, તેજસ્વી, પ્રસિદ્ધ અને યાવતુ અપરિભૂત-કોઈથી પરાભવ ન પામે તેવો હતો. વળી તે સર્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વણવેદમાં નિપુણ અને સ્કંદ તાપસની પેઠે યાવતુ બ્રાહ્મણોના બીજા ઘણા નયોમાં કુશલ હતો. તે શ્રમણોનો ઉપાસક, જીવાજીવ તત્ત્વને જાણનાર, પ્રણય-પાપને ઓળખનાર અને પાવતુ આત્માને ભાવિત કરતો વિહરતો હતો. તે ઋષભદત્ત બ્રાહ્મણને દેવાનંદા નામે બ્રાહ્મણી સ્ત્રી હતી. તેના હાથ પગ સુકમાલ હતા, યાવતું તેનું દર્શન પ્રિય હતું અને તેનું રૂપ સુન્દર હતું. વળી શ્રમણોની ઉપાસિકા દિવાનંદા જીવાજીવ અને પુણ્યપાપને જાણતી વિહરતી હતી. તે કાલે, તે સમયે મહાવીરસ્વામી સમોસ, પર્ષતુ યાવતુ પર્વપાસના કરે છે. ત્યારપછી તે ઋષભદત્ત બ્રાહ્મણ શ્રમણભગવાનુમહાવીરના આગમની આ વાત જાણીને ખુશ થયો, યાવતુ ઉલ્લસિત બ્દયવાળો થયો, અને જ્યાં દેવાનંદા બ્રાહ્મણી હતી ત્યાં આવ્યો. તેણે દેવાનંદા બ્રાહ્મણીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! એ પ્રમાણે અહીં તીર્થની આદિકરનાર યાવત સર્વજ્ઞસર્વદર્શી શ્રમણભગવાનમહાવીર આકાશમાં રહેલા ચક્રવડે વાવતુ સુખપૂર્વક વિહાર કરતા બહુશાલક નામે ચૈત્યમાં યોગ્ય અવગ્રહને ગ્રહણ કરીને યાવતું વિહરે છે. હે દેવાનુપ્રિયે ! યાવતું તેવા પ્રકારના અહંતુ ભગવંતના નામ-ગોત્રના પણ શ્રવણથી મોટું ફલ પ્રાપ્ત થાય છે, તો વળી તેઓના અભિગમન વંદન, નમન, પ્રતિપ્રચ્છન અને પર્યું પાસના કરવાથી ફલ થાય તેમાં શું કહેવું? તથા એક પણ આર્ય અને ધાર્મિક સુવચનના શ્રવણથી મોટું ફલ થાય છે. તો વળી વિપુલ અર્થને ગ્રહણ કરવાવડે મહાફલ થાય તેમાં શું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy