SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 18 ભગવદ- 15-227 વિશેષ એ કે, અસુરકુમારોના કર્મ, વર્ણ અને વેશ્યાઓ નૈરયિકોથી વિપરીત કહેવા. અથતુ જે અસુરકુમારો પૂર્વાપપન્નક છે તેઓ મહાકર્મતર છે અને અવિશુદ્ધ વર્ણ તથા લેશ્યાવાળા છે. અને જે અસુરકુમારો પસાદુરૂપનક છે તેઓ પ્રશસ્ત છે. બાકી બધું એજ પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતુ સ્વનિતકુમારી સુધી જાણવું. પૃથ્વિ કાયિકોના આહાર, કર્મ, વર્ણ અને લેગ્યા એ બધું નૈરયિકોની પેઠે જાણવું. હે ભગવન્! બધા પૃથિવીકાયકો સરખી વેદનાવાળા છે ? હે ગૌતમ ! હા, બધા પૃથિવીકાવિકો સરખી વેદનાવાળા છે. હે ભગવનું ! તે એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! બધા પૃથિવીકાયિકો અસંજ્ઞાઓ છે અને અસંશીભૂત વેદનાને અનિધરિપણે વેદે છે, માટે હે ભગવન્! બધા પૃથિવીકાયિકો સમાન ક્રિયાવાળા છે ? હે ગૌતમ ! હાં બધા પૃથિવીકાયિકો સમાન ક્રિયાવાળા છે. હે ભગવન! તે આ પ્રમાણે શા હેતુથી કહો છે? હે ગૌતમ ! બધા પૃથિવીકાયિકો માથી અને મિથ્યાવૃષ્ટિ છે. માટે તેઓને પાંચ ક્રિયાઓ નિયમપૂર્વક હોય છે. તે પાંચ ક્રિયાઓ આ છે-આરંભિકી યાવદૂમિથ્યાદર્શન પ્રત્યયા. માટે જેમ સમાયુ અને સમાપપન્નક નૈરયિકો કહ્યા તેમ પૃથિવીકાયકો પણ કહેવા જેમ પૃથિવીકાયિકો કહ્યા તેમ બે ઈદ્રિયો, તે ઈદ્રિયો અને યાવતુ-ચઉરિદ્રિયો પણ કહેવા. તથા પંચેન્દ્રિય તિર્યંચયોનિકો પણ નૈરયિકોની પેઠે જાણવા. માત્ર ક્રિયાઓમાં ભેદ છે. હે ભગવનું! બધા પંચેદ્રિય તિર્યંચ યોનિકો સમાન કિયાવાળા છે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચ યોનિકો ત્રણ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ, મિથ્યાવૃષ્ટિ અને સમ્યગૃમિથ્યાદ્રષ્ટિ તેમાં જેઓ સમ્યગુષ્ટિ છે તેઓ બે પ્રકારના કહ્યા છે તે આ પ્રમાણે :અસંયત અને સંયતાસંયત તેમાં જે સંયતાસંયત છે તેઓને ત્રણ ક્રિયાઓ હોય છે. તે આ પ્રમાણે - આરંભિકી, પારિગ્રહિક અને માયાપ્રત્યયા. તથા જે અસંયતો છે તેને ચાર અને મિથાયાવૃષ્ટિ તથા સમ્યવૃષ્ટિ છે તેઓને પાંચ ક્રિયાઓ હોય છે, જેમ નૈરયિકો કહ્યા તેમ મનુષ્યો કહેવા. તેમાં ભેદ આ છે કે મનુષ્યો મોટા શરીરવાળાં છે તે ઘણા પુદ્ગલોનો આહાર કરે છે અને કદાચિત્ આહાર કરે છે. તથા જે મનુષ્યો નાના શરીરવાળા છે તે થોડા પગલોનો આહાર કરે છે અને વારંવાર આહાર કરે છે બાકી બધું યાવદુર્વેદના સુધી નૈરયિકોની પેઠે જાણવું. હે ભગવન્! બધા મનુષ્યો સમાન ક્રિયાવાળા છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ! મનુષ્યો ત્રણ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-સમ્યગદૃષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ અને સમ્યગમિથ્યાદ્રષ્ટિ. તેમાં જેઓ સમ્યગદ્રષ્ટિ છે. તેઓ ત્રણ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે :સંયત, સંયતાસંયત અને અસંવત. તેમાં જે સંયત છે તે બે પ્રકારના કહ્યા છે. સરાગસંયત. અને વીતરાગસંયત. તેમાં જે વીતરાગસંયત છે તેઓ ક્રિયા વિનાના છે. જે સુરાગસયત છે તેઓ બે પ્રકારના છે. - પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયતતેમાં જે અપ્રમત્ત સંયત છે તેઓને એક માયાપ્રત્યયા ક્રિયા હોય છે. અને પ્રમત્તસંયત છે તેઓને બે ક્રિયાઓ હોય છે - આરંભિકી અને માયાપ્રત્યયા. તેમાં જે સંયતાસંયત છે તેઓને પ્રથમની ત્રણ ક્રિયાઓ કહી છે, આરંભિકી, પરિગ્રાહિતી અને માયાપ્રત્યયા તથા અસંયતોને ચાર ક્રિયાઓ હોય છે. આરંભિક, પારિગ્રાફિકી, માયાપ્રત્યયા અને અપ્રત્યખ્યાન- પ્રત્યયા. મિથ્યાવૃષ્ટિઓને તથા સમ્યગમિથ્યાવૃષ્ટિઓને પાંચ ક્રિયાઓ હોય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy