SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮, ઉદેસો 203 શરીરનો દેશબબ્ધ છે તે જીવ શું ઔદારિક શરીરનો બન્ધક પણ છે. અને અબન્ધક પણ છે. જો તે જીવ બન્ધક છે તો શું દેવબન્ધક છે કે સર્વબન્ધક છે? હે ગૌતમ ! તે બંને છે. તે જીવ શું વૈક્રિયશરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? પૂર્વની પેઠે જાણવું, એ પ્રમાણે, આહારક શરીર માટે પણ જાણવું. તે જીવ શું કામણ શરીરના બન્ધક છે કે અબન્ધક છે? હે ગૌતમ ! બન્ધક છે, પણ અબન્ધક નથી. જે બન્ધક છે તો શું દેશબન્ધક છે કે સર્વબન્ધક છે? હે ગૌતમ! દેશબન્ધક છે, પણ સર્વબન્ધક નથી. હે ભગવનું જે જીવને કામણશરીરનો દેશબધ છે તે જીવ શું દારિકનો બન્ધક છે કે અબન્ધક છે? તેજસશરીરની જેમ કામણ શરીર પણ જાણવું યાવતુ દેશબંધક છે, પણ સર્વબન્ધક નથી. | [42] હે ભગવાનું ! ઔદારિક, વૈક્રિય આહારક, તૈજસ અને કર્મણ શરીરના દેશ બન્ધક, સર્વબન્ધક અને એવા સર્વજીવોમાં અલ્પબદુત્વ કઈ રીતે છે? હે ગૌતમ ! સૌથી થોડા જીવો આહારક શરીરના સર્વબન્ધક છે, તેથી તેના દેશબન્ધક સંખ્યાતગુણા. છે, તેથી વૈક્રિયશરીરના સર્વબન્ધક અસંખ્યાતગુણા છે, તેથી તેના દેશબન્ધક જીવો અસંખ્યાતગુણ છે, તેથી તૈજસ અને કાશ્મણ શરીરના અબધેક જીવો અનંતગુણ અને પરસ્પર તુલ્ય છે. તેથી ઔદારિક શરીરના સર્વબન્ધક જીવો અનંતગુણ છે, તેથી તેના અબન્ધક જીવો વિશેષાધિક છે, તેથી તેના દેશબન્ધક જીવો અસંખ્યગુણા છે, તેથી, તૈજસ અને કાર્યણશરીરના દેશબન્ધક જીવો વિશેષાધિક છે, તેથી વૈક્રિયશરીરના. અબશ્વક જીવો વિશેષાધિક છે, તેથી આહારક શરીરના અબધેક જીવો વિશેષાધિક છે. હે ભગવન્! તે એમ જ છે, હે ભગવન્! તે એમ જ છે, એમજ છે. ' [શતક: ૮-ઉદ્દેસા-ત્ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ]. (ઉદ્દેશક 10:-). [43] રાજગૃહ નગરમાં યાવતું (ગૌતમ) એ પ્રમાણે બોલ્યા કે હે ભગવનું ! અન્યતીર્થિકો એ પ્રમાણે કહે છે, યાવદુ એ પ્રમાણે પ્રરૂપે છે- “એ રીતે ખરેખર શીલ જ શ્રેય છે, શ્રુત જ શ્રેય છે, (શીલનિરપેક્ષ જ) શ્રત શ્રેય છે, અથવા (શ્રતનિરપેક્ષ જ) શીલ શ્રેય છે, તો હે ભગવન! એ પ્રમાણે કેમ હોય શકે? હે ગૌતમ ! તે અન્યતીથિકો જે એ પ્રમાણ કહે છે, તે તેઓએ મિથ્યા કહ્યું છે. હે ગૌતમ! હું વળી આ પ્રમાણે કહું છું, વાવત્ પ્રરૂપું છું, એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષો કહ્યા છે. તે આ પ્રમાણે- એક શીલસંપન્ન છે પણ, શ્રતસંપન્ન નથી,એક શ્રુતસંપન્ન છે પણ શીલસંપન્ન નથી,એક શીલસંપન્ન છે અને શ્રુત સંપન્ન પણ છે, એક શીલસંપન્ન નથી તેમ શ્રુતસંપન્ન પણ નથી. તેમાં જે પ્રથમ પ્રકાનો પુરુષ છે તે શીલવાનું છે પણ શ્રુતવાન નથી. તે ઉપરાંત (પાપાદિકથી નિવૃત્ત) છે, પણ ધર્મને જાણતો નથી. હે ગૌતમ ! તે પુરુષને મેં દેશારાધક કહ્યો છે. તેમાં જે બીજો પુરુષ છે તે પુરુષ શીલવાળો નથી, પણ શ્રતવાળો છે. તે પુરુષ અનુપરત (પાપથી અનિવૃત્ત) છતાં પણ ધર્મને જાણે છે. હૈ ગૌતમ! તે પુરુષને મેં દેશવિરાધક કહ્યો છે. તેમાં જે ત્રીજો પુરુષ છે. તે પુરુષ (પાપથી) ઉપરત છે, અને ધર્મને જાણે છે. હે ગૌતમ ! તે પુરુષને મેં સર્વારાધક કહ્યો છે. તેમાં જે ચોથો પુરુષ છે તે, તે પાપથી ઉપરત નથી અને ધર્મથી અજ્ઞાત છે. હે ગૌતમ ! એ પુરુષને હું સર્વવિરાધક કહું છુ. [31] હે ભગવન્! આરાધના કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy