SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮, ઉદેસો-૭ 189 હણતા, વાવતું નહીં મારતા અમે ત્રિવિધ ત્રિવિધે સંયત, યાવતુ એકાંત પંડિત છીએ, હે આર્યો ! તમે પોતેજ ત્રિવિધ ત્રિવિધે અસંયત યાવતુ એકાંત બાલ પણ છો. તે અન્યતીથિંકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આર્યો ! ક્યા કારણથી અમે ત્રિવિધ ત્રિવિધ યાવતું એકાંત બાલ પણ છીએ? ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે, હે આય! ગતિ કરતા તમે પૃથિવીના જીવને દબાવો છો. યાવતું મારો છો, માટે પૃથિવીના જીવને દબાવતા, યાવતું મારતા તમે ત્રિવિધ ત્રિવિધે યાવતુ એકાંત બાલ છો. ત્યારપછી તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આયો ! તમારા (મતે) જે સ્થળે જવાતું હોય તે ન જવાયેલું કહેવાય, જે ઉલ્લંઘન કરાતું હોય તે ન ઉલ્લંઘન કરાયેલું એમ કહેવાય, અને રાજગૃહ નગરને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાને ન પ્રાપ્ત થવું એમ કહેવાય. તે પછી તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે, હે આયો ! અમારા (મતે)- જે સ્થળે જવાતું હોય તે ન જવાયેલું, વ્યતિક્રખ્યમાણ-અવ્યતિક્રાંત-અને રાજગૃહ નગરને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાને અસંપ્રાપ્ત કહેવાયપણ હે આર્યો ! અમારા (મતે) ગમ્યમાન તે ગત, વ્યતિક્રમ્સમાણ તે વ્યતિક્રાંત અને રાજગૃહ નગરને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાને તે સંપ્રાપ્ત કહેવાય છે. તમારે તે ગમ્યમાન તે અગત, વ્યતિક્રમ્સમાણ તે અવ્યતિક્રાંત અને રાજગૃહ નગરને યાવતું પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાને તે અસંપ્રાપ્ત છે. તે પછી તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એ પ્રમાણે નિરુત્તર કર્યો, અને નિરુત્તર કરીને તેઓએ ગતિપ્રપાત નામે અધ્યયન પ્રરૂપ્યું. [411] હે ભગવન્! ગતિપાતો કેટલા પ્રકારે કહ્યા છે? હે ગૌતમ ! ગતિપાતો પાંચ પ્રકારના છે, પ્રયોગગપતિ, તતગતિ, બંધનછેદનગતિ, ઉપપાગતિ અને વિહયોગતિ. અહીંથી આરંભીને સઘળુંપ્રયોગપદ અહીં કહેવું હે ભગવનું ! તે એમજ છે. હે ભગવન્! તે એમજ છે. એમ કહીને ભગવાનું ગૌતમ યાવતુ વિહરે છે. | શતક: ૮-ઉદેસા હનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (-ઉદ્દેશક 8:-) [412 રાજગૃહ નગરમાં યાવતુ એ પ્રમાણે કહ્યું કે હે ભગવન્! ગુરઓને આશ્રયી કેટલા પ્રત્યેનીકો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રત્યેનીકો છે, આચાર્યપ્રત્યેનીક, ઉપાધ્યાય પ્રત્યેનીક અને વિપ્રત્યનીક. હે ભગવન્! ગતિને આશ્રયી કેટલા પ્રત્યનીકો કહ્યા છે? હે ગૌતમ ! ત્રણ પ્રત્યેનીકો કહ્યા છે, ઈહલોકપ્રત્યેનીક પરલોકપ્રત્યેનીક અને ઉભયલોકપ્રત્યેનીક, હે ભગવન ! સમૂહને આશ્રયી કેટલા પ્રત્યેનીકો કહ્યા છે? હે ગૌતમ ! ત્રણ પ્રત્યેનીકો કહ્યા છે. કુલ પ્રત્યેનીક, ગણપ્રત્યેનીક અને સંઘપ્રત્યનીક. હે ભગવન્! અનુકંપાને આશ્રયી પ્રશ્ન: હે ગૌતમ ! અનુકંપાને આશ્રયી ત્રણ પ્રત્યેનીકો કહ્યા છે, તપસ્વિપ્રત્યેનીક, ગ્લાનખત્યનીક અને શૈક્ષપ્રત્યેનીક, હે ભગવન્! શ્રતને આશ્રયી પ્રશ્ન. હો ગૌતમ!ત્રણ પ્રત્યેનીકો કહ્યા છે, સૂત્રપ્રત્યેનીક,અર્થપ્રત્યનીક અને તદુભયપ્રત્યનીક. હે ભગવન! ભાવને આશ્રયી પ્રશ્ન. હે ગૌતમ ! ત્રણ પ્રત્યેનીકો છે, જ્ઞાનપ્રત્યેનીક, દર્શપ્રત્યેનીક, ચારિત્રપ્રત્યનીક. 4i13] હે ભગવન્! વ્યવહાર કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy