SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 16 ભગવઈ -૧૨-૧૨પ બ્રહ્મચર્યવાસવર્ડ, અકામ, ઠંડી, આતાપ, ડાંસ અને મચ્છરથી થતા દુઃખના સહવાવડે થોડા અકામ- અસ્નાન, પરસેવો, જલ્લ, મેલ, તથા પંકથી થતા પરિદાહરડે થોડા કાળ સુધી અથવા વધારે કાળસુધી આત્માને કલેશિત કરે છે, તેઓ મૃત્યુકાળે મરીને વાણવ્યંતરદેવલોકમાં દેવપણાએ ઉત્પન્ન થાય છે. હે ભગવન્! તે વાણવ્યંતર દેવોના દેવલોકો કેવા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! જેમ અહીં મનુષ્યલોકમાં સદા પુણ્યવાળું, મયૂરિત, લવકિતવાળું, પુષ્પના ગુચ્છાવાળું, લતાના સમૂહવાળું, પાંદડાંઓના ગુચ્છાવાળું, સમાનશ્રેણીવાળા વૃક્ષવાળું, યુગલ વૃક્ષોવાળું, પુષ્પ અને ફળોના ભારથી નમેલું, પુષ્પ અને ફળના ભારથી નમવાની શરુઆતવાળું, અત્યંત જુદી જુદી લુંબીઓ અને મંજરીઓ રૂ૫ મુકુટોને ધારણ કરવાવાળું એવું અશોકવન, વૃક્ષોવન, ચંપાવન, આંબાવન, તુંબડાંનાવેલાઓનું વન, વડવૃક્ષોનું વન, છત્રૌધ વન, અલસીના વૃક્ષોનું વન સરસવનું વન, કસુંબાના વૃક્ષોનું વન, સફેદ સરસવનું વન તથા બપોરીયા વૃક્ષનું વન, ઘણી ઘણી શોભાવડે અતીવ શોભતું હોય છે તેજ પ્રમાણે વાણવ્યંતરદેવોના સ્થાનો જઘન્યથી દશહજારવર્ષની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટથી પલ્યોપમની સ્થિતિવાળા ઘણા વાણવ્યંતરદેવો અને દેવીઓવડે વ્યાપ્ત, વિશેષ વ્યાપ્ત ઉપરાઉપર આચ્છાદિત, સ્પર્શ કરાએલાં, અત્યંત અવગાઢ થયેલાં શોભાવડે અતીવ અતીવ શોભતાં રહે છે. તે કારણથી હે ગૌતમ ! આ પ્રમાણે કહેવાય છે. અસંયતુ જીવ યાવત-દેવ થાય છેહે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી ભગવાન ગૌતમ શ્રમણભગવંત મહાવીરને વાંદે છે, નમે છે, વાંદીને તથા નમસ્કાર કરીને, સંયમ તથા તપવડે આત્માને ભાવતા વિહરે છે. | શતક-૧ ઉદ્દે સો-૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (- ઉદ્દેશો-૨-) [26] રાજગૃહ નગરમાં સમવસરણ થયું, સભા નીકળી અને યાવદુઆ પ્રમાણે બોલ્યા કે હે ભગવન જીવ સ્વંયકત કર્મને વેદે છે? હે ગૌતમ! કેટલુંક વેદે છે અને કેટલુંક નથી. વેદતો. હે ભગવન્! તે એ પ્રમાણે શા હેતુથી કહો છો. હે ગૌતમ! ઉદીર્ણ કર્મને વેદે છે અને અનુદીર્ણ કર્મને નથી વેદતો. માટે એમ કહેવાય છે કે, કેટલુંક વેદે છે અને કેટલુંક નથી વેદતો. એ પ્રમાણે ચોવીસે દંડકમાં યાવતુ-વૈમાનિક પર્યત જાણવું. હે ભગવન્! જીવો સ્વયંત કમને વેદે છે? હે ગૌતમ ! કેટલાંકને વેદે છે અને કેટલાંકને નથી વેદતા હે ભગવન્! તે આ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! ઉદીર્ણ કર્મને વેદે છે અને અનુદીર્ણને નથી વેદતા, યાવદૂ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું ! જીવ સ્વયંસ્કૃત આયુષ્યને વેદે છે? હે ગૌતમ ! કેટલુંક વેદે છે અને કેટલુંક નથી વેદતો. જે પ્રમાણે દુઃખ સંબંધે બે દંડક કહ્યા, તેમ આયુષ્ય સંબંધી એકવચન અને બહુવચનવાળા બે દડક કહેવા. યાવદ્વૈમાનિક સુધી કહેવું. ર૭ હે ભગવનું ! બધા નૈરયિકો સરખા આહારવાળા, સરખા શરીરવાળા. તથા સરખા ઉચ્છવાસ અને નિઃશ્વાસવાળા છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ-સંગત નથી. હે ભગવન્! તે એ પ્રમાણે શા હેતુથી કહો છો હે ગૌતમ! નરયિકો બે પ્રકારના કહ્યા છે. મોટા શરીરવાળા અને નાના શરીરવાળા, તેમાં જે નૈરયિકો મોટા શરીરવાળા છે તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy