SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ 184. ભગવાઈ - 8-540: અને કરનારને અનુમતિ આપવાને કલ્પાનથી, તે કમદાનો અંગારકર્મ, વનકર્મ શટકર્મ, ભાટકકર્મ, સ્ફોટકકર્મ, દંતવાણિજ્ય, લાક્ષવાણિજ્ય, કેશવાણિજ્ય, રસવાણિજ્ય, વિષવાણિજ્ય, યંત્રપલકમ, નિલઇનકમ, દવાગ્નિદાપન, સરોવર, કહ અને તલાવનું શોષણ અને અસતીપષણ. એ શ્રમણોપાસકો શુકલ-પવિત્ર, અને પવિત્રતાપ્રધાન થઈને મરણ સમયે કાળ કરીને કોઈપણ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. હે ભગવન્! કેટલા પ્રકારના દેવલોક કહ્યા છે? હે ગૌતમ! ચાર પ્રકારના દેવલોકો કહ્યા છે. તે આ પ્રમાણે ભવનવાસી, વાનગૅતર, જ્યોતિષ્ક અને વૈમાનિક, હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. | શિતક:૮-ઉદેસાઃ૫નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી | [405 હે ભગવન્! તેવા પ્રકારના ઉત્તમ) શ્રમણ યા બ્રાહ્મણને પ્રાસુક અચિત્ત. અને એષણીય નિર્દોષ અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમ આહારવડે પ્રતિલાલતાશ્રમણોપાસકને શું ફિલ થાય ? હે ગૌતમ ! એકાંત નિર્જરા થાય, પણ તેને પાપ કર્મન થાય. હે ભગવનું ! તેવા પ્રકારના શ્રમણ યા બ્રાહ્મણને અપ્રાસુક (સચિત્ત) અને અનેષણીય (સદોષ અશનાદિવસે પ્રતિલાભતા શ્રમણોપાસકને શું (ફલ) થાય ? હે ગૌતમ ! ઘણી નિર્જરા થાય, અને અત્યન્ત અલ્પ પાપકર્મ થાય. હે ભગવન્! તેવા પ્રકારના વિરતિરહિત, અપ્રતિહત અને પ્રત્યાખ્યાન પાપકર્મવાળા એસયતને પ્રાસુક અથવા અપ્રાસુક. એષણીય અથવા અનેષણીય અનાદિવસે પ્રતિલાભતા શ્રમણોપાસકને શું ફલ થાય? હે ગૌતમ! એકાંત પાપકર્મ થાય, પણ કાંઈ નિર્જરા ન થાય. [40] ગૃહસ્થના ઘરે આહાર ગ્રહણ કરવાની ઈચ્છાથી પ્રવેશ કરેલા નિર્ઝન્યને કોઈ ગૃહસ્થ બે પિંડ (આહાર) ગ્રહણ કરવા માટે ઉપનિમંત્રણ કરે કે-હે આયુષ્યનું ! એક પિંડ તમે ખાઓ, અને બીજે પિંડ સ્થવિરોને આપો. પછી તે નિથ તે (બને) પિંડને ગ્રહણ કરે અને તે સ્થવિરોની શોધ કરે, તપાસ કરતાં જ્યાં સ્થવિરોને જુએ ત્યાંજ તે પિંડ તેને આપે, જો કદાચ શોધતાં સ્થવિરોને ન જુએ તો તે પિંડ પોતે ખાય નહીં અને બીજાને આપે નહીં, પણ એકાન્ત, અનાપાત-જ્યાં કોઈ આવે નહિ એવી અચિત્ત અને બહુ પ્રાસક સ્પંડિલ (ભૂમિ) ને જોઈને પ્રમાને ત્યાં પરઠવે. ગૃહસ્થના ઘરે આહાર ગ્રહણ કરવાના ઈરાદાથી પ્રવેશ કરેલા નિર્મન્થને કોઈ ગૃહસ્થ ત્રણ પિંડ ગ્રહણ કરવાને ઉપનિમંત્રણ કરે કે-હે આયુષ્મન 1 એક પિંડ તમે ખાજો અને બીજા બે પિંડ, સ્થવિરોને આપજો. પછી તે નિગ્રંથ તે પિંડોને ગ્રહણ કરે, અને સ્થવિરોની તપાસ કરે, બાકીનું પૂર્વસૂત્રની પેઠે જાણવું, યાવતું પરઠવે, એ પ્રમાણે યાવત્ દશ પિંડોને ગ્રહણ કરવાને ઉપનિમંત્રણ કરે, પરતું એમ કહે કે હે આયુષ્યમાન ! એક પિંડ તમે ખાજો અને બાકીના નવ પિંડ સ્થવિરોને આપજો. બાકી બધું પૂર્વની પેઠે જાણવું, યાવતું પરઠવે. નિગ્રંથ યાવતું ગૃહપતિના કુલમાં પ્રવેશ કરે અને કોઇ ગૃહસ્થ બે પાત્રવડે તેને ઉપનિમંત્રણ કરે કે-હે આયુખનું! એક પાત્રનો તમે ઉપભોગ કરો અને બીજું વીરોને આપજો, યાવતું તે પાત્રને પરઠવે. એ પ્રમાણે વાવતું દસ પાત્ર સુધી કહેવું, જે પ્રમાણે પાત્રની વક્તવ્યતા કહી છે તેમ ગુચ્છા, રજોહરણ, ચોલપટ્ટ, કંબલ, દંડ અને સંસ્તારકની વક્તવ્યતા કહેવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy