SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 14 ભગવાઈ-૧-૧૫૨૧ અનંતગુણ નહીં અશએલા પુદ્ગલો છે. ત્રણ ઈદ્રિયવાળા જીવોએ ખાધેલો આહાર ઘાટિયપણે, જિભઈદ્રિયપણે અને સ્પર્શેન્દ્રિયપણે વારંવાર પરિણામે છે, અને ચાર ઈદ્રિયો વાળા જીવોએ ખાધેલો આહાર આંખ પણે, નાક પણે જિભ પણે અને ચામડી પણ વારંવાર પરિણામે છે. પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોની સ્થિતિ કહીને તેઓનો ઉચ્છવાસ વિમાત્રાએ કહેવો. અનાભોગનિવિર્તિત આહાર તેઓને વિરહ વિના પ્રતિ સમયે હોય છે અને આભોગનિવિર્તિત આહાર જઘન્ય અંતર્મુહૂર્ત, તથા ઉત્કૃષ્ટ છઠ્ઠભક્ત હોય છે. બાકી બધું ચાર ઈદ્રિયવાળા જીવોની પેઠે જાણવું યાવચલિત કર્મને નિજેર છે. એ પ્રમાણે મનુષ્યો સંબંધી પણ જાણવું, વિશેષ એ કે, તેઓને આભોગ-નિવિર્તિત આહાર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અઠ્ઠમભક્ત-હોય છે. મનુષ્યોએ ખાધેલો આહાર પૂિવક્ત ચાર ઇંદ્રિયપણે અને] કાન [ઇંદ્રિયપણે વિમાત્રાએ વારંવાર પરિણમે છે. બાકી બધું પૂર્વની પેઠે જાણવું અને વાવ-નિર્ભર છે. વાણવ્યંતરોની સ્થિતિમાં ભેદ છે. બાકી બધું નાગકુમારોની પેઠે જાણવું. એ પ્રમાણે જ્યોતિર્ષિક દેવો સંબંધે પણ જાણવું વિશેષ એ કેઃ- જ્યોતિષિક દેવોને જઘન્ય અને ઉત્કૃટે મુહૂર્તપૃથક્ત પછી ઉચ્છુવાસ હોય છે. અને આહાર પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ દિવસ પૃથકત્વ પછી હોય છે. વૈમાનિકોની સ્થિતિ ઔધિક કહેવી. તેઓને ઉછુવાસ જઘન્ય મૂહૂર્ત પૃથકત્વ પછી, અને ઉત્કૃષ્ટ તેત્રીશ પખવાડીયા પછી હોય છે આભોગનિવિર્તિત આહાર તેઓને જઘન્ય દિવસ પ્રથકત્વ પછી ને ઉત્કૃષ્ટ તેત્રીશ હજાર વરસ પછી હોય છે. બાકી બધું “ચલિતાદિક નિર્જરાવે છે. પૂર્વ પ્રમાણે જાણવું. [22] હે ભગવન! શું જીવો આત્મારભ છે? પરારંભ છે? તભયારંભ છે. કે અનારંભ છે? હે ગૌતમ ! કેટલાક જીવો આત્મરંભ પણ છે પરારંભ પણ છે. ઊભયારંભ પણ છે, પણ અનારંભ નથી, પરારંભ નથી. કેટલાંક જીવો આત્મારંભ નથી. પરારંભ નથી, ઉભયારંભ નથી, પણ અનારંભ છે. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છે તે ગૌતમ ! જીવો બે પ્રકારના કહ્યા છે-સંસારસમાપન્ક અને અસંસાર- સમાપન્નક તેમાં જે જીવો અસંસારસમાપનક છે તેઓ સિદ્ધરૂપ છે અને તેઓ આત્મારંભ, પરારંભ કે ઉભયારંભ નથી, પણ અનારંભ છે. તેમાં જે સંસારસમાપનક જીવો છે તે બે પ્રકારના કહ્યા છે, સંયત અને અસંવત. તેમાં જે સંયતો છે તે બે પ્રકારના કહ્યા છે. પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત, તેમાં જે અપ્રમત્ત સંયતો છે તેઓ આત્મારંભ, પરારંભ કે ઉભયારંભ નથી, પણ અનારંભ છે. તેમાં જે પ્રમત્તસંયતો છે તેઓ શુભ યોગથી અપેક્ષાએ આત્મારંભ પણ છે અને વાવ- અનારંભ નથી. તેમાં જે અસંયતો છે તેઓ અવિરતિને આશ્રીને આત્મારંભ પણ છે અને પાવતુ-અનારંભ નથી. તેમાં જે અસંયતો છે તેઓ અવિરતિને આશ્રીને આત્મારભ પણ છે અને યાવતુ-અનારંભ નથી. માટે હે ગૌતમ ! તે હેતુથી એમ કહેવાય છે કે, વાવતુ અનારંભ પણ છે. હે ભગવન્! નૈરયિકો શું આત્મારંભ, પરારંભ, તદુભયારંભ છે કે અમારંભ છે? હે ગૌતમ ! તૈયરિકો આત્મારંભ પણ છે અને વાવતુ-અનારંભ નથી. હે ભગવન્! તે એ પ્રમાણે શા હેતુથી કહો છો ? હે ગૌતમ! અવિરતિની અપેક્ષાએ નૈરયિકો વાવઅનારંભ નથી. એ પ્રમાણે વાવતુ-અસુરકુમારી પણ જાણવા. પૂર્વોક્ત સામાન્ય જીવોની પેઠે પંચેદ્રિયતિર્યંચયોનિક અને મનુષ્યો જાણવા. વિશેષ એ કે - તે જીવોમાંના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy